________________
સ્વપ્ન શિલ્પીઓ
ડો. ચંદ્રમૌલી જોષી
૧૯ જુલાઈ ૧૯૫૭ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બાલાપુર ગામે જન્મ. બાલાપુર પ્રાથમિક શાળામાં શિક્ષણ, કમાણી ફોરવર્ડ હાઇસ્કૂલ અમરેલી અને સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટમાં માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગણિતશાસ્ત્ર સાથે બી.એસ.સી. (૧૯૭૮) કમાણી સાયન્સ કૉલેજ અમરેલી, બી.એડ. (૧૯૭૯) ખંભાત ગુજરાત યુનિવર્સિટી, ૧૯૮૦માં પ્રાથમિક શાળા કેલિયાવાસણાણાં ફરજ બજાવી. દહેવાળા (બોરસદ) માધ્યમિક શાળામાં જોડાયા, માર્ચ ૧૯૮૦થી શ્રી મૂળવાજી હાઇસ્કૂલ કોટડાસાંગણીમાં શિક્ષક તરીકે, ૧૯૮૩થી નવેમ્બર ૨૦૦૩ સુધી શ્રી મોહનદાસ ગાંધી વિદ્યાલય–રાજકોટ ખાતે ગણિત—વિજ્ઞાન શિક્ષક તરીકેની સેવા આપી ડિસે. ૨૦૦૩થી શ્રી સદગુણાબહેન સી.યુ. શાહ (પી.ટી.સી. કોલેજ) વઢવાણ સિટીમાં પ્રિન્સિપાલ તરીકે સેવા ચાલુ. વિજ્ઞાન, ગણિત, જાદુ, જ્યોતિષ તેમ જ સાહિત્ય સામયિકો વાંચવાનો અને મૌલિક લેખો લખવાનો શોખ,
સંશોધન ક્ષેત્રોમાં બહોળો રસ, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સંશોધન પેપર્સ રજૂ કરી તેનાં પારિતોષિક મેળવેલ. હાલ રાજ્ય સંશોધન મંડળમાં સહમંત્રી તરીકે, શ્રી ગુજરાત ગણિત વિદ્યાભવનમાં મા. અધિક નિયામક તરીકે, રાજ્ય રામાનુજન મેથ્સ ક્લબના અધ્યક્ષ તરીકે, સ્વામી વિવેકાનંદ એકેડેમી–રાજકોટના લાયઝો તરીકે, અમૃતનગર કો.ઓ.સો.ના પ્રમુખ તરીકે—ગણિત-ઉત્કર્ષ દ્વિમાસિકના માનદ્ મંત્રી તરીકે તેમજ બુદ્ધિચાતુર્ય કસોટીના (માનસિક ક્ષમતા કસોટી)નાં પુસ્તકો ભાગ ૧ થી ૧૦, ક્રિયાત્મક સંશોધન, ધો. ૧૦ ગણિતના પાઠ્ય પુસ્તક મંડળના લેખક, પી.ટી.સી. કોલેજનાં ગણિત શિક્ષણના વર્ષ ૧-૨ વર્ષના સરકાર માન્ય લેખક તરીકે. વધુમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગણિતને લગતાં ૫૦૦ થી વધુ પ્રવચનો, વિવિધ દેશોની સ્કૂલ તથા કોલેજોમાં વિઝિીટિંગ ફેલો તરીકેની કામગીરી, ક્વોલિટી સર્કલ ફોર્મ ઑફ ઇન્ડિયાનાં કારોબારી સભ્ય, ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ફાઉન્ડર, રાષ્ટ્રીય અધ્યક્ષ, જિલ્લારાજ્ય અને રાષ્ટ્રીય ગણિત મહોત્સવના આયોજક તરીકે બહોળી સેવાઓ આપી રહ્યા છે.
Jain Education International
903
શ્રી વાડીલાલ મોહનલાલ શાહ
અંગ્રેજોના સમયમાં જ્યારે સમાજ સંકુચિત વૃત્તિઓ ધરાવતો હતો ત્યારે સુધારાવાદી સાહિત્યના સર્જક વા.મો. શાહનો જન્મ ૧૧-૭-૧૮૭૮ના રોજ થયેલ. તેમના જીવનકાળ દરમિયાન ગુજરાતી ભાષામાં ૪૨ પુસ્તકો અને ૩૬ તખલ્લુસો તેમજ હિન્દી સાહિત્યમાં ૧૬ પુસ્તકો પ્રગટ કરી સાહિત્યક્ષેત્રની ઉમદા સેવા કરેલ. વીરમગામમાં જન્મેલ અને તે સમયમાં ગ્રેજ્યુએટ થયેલ વાડીલાલ મોહનલાલ શાહને પત્ની રૂપારીબા તથા ત્રણ પુત્રો હતા. તેઓએ અખિલ ભારત શ્વે.જૈન કોન્ફરન્સના પ્રમુખ તરીકે સેવા આપેલ. તેમના પુસ્તકો આજે પણ લોકભોગ્ય અને વાચકોને પ્રિય બની રહેલ છે. તેઓ તા. ૨૧-૧૧-૧૯૩૧ના રોજ અમદાવાદમાં અરિહંત શરણ થયેલ.
શ્રી ત્રિભુવન વીરજી હેમાણી
સાક્ષર, પત્રકાર, સાહિત્યકાર, જૈન સાહિત્ય પર સંશોધક એવા ત્રિભુવન વીરજી હેમાણીનો જન્મ ૧૩-૧૨-૧૯૦૦ના રોજ જેતપુર ગામે દુધીબેનની કુક્ષીએ થયો. મેટ્રીકમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવનાર શ્રી હેમાણીના લેખો અનેક માસિકોમાં પ્રગટ થયેલ. જીવનકાળમાં ૧૫ પુસ્તકો સંપાદિત કરેલ તથા પુસ્તકોના સંશોધક હતા, જેતપુર સાહિત્ય સભાના પ્રમુખ હતા. મૌલિક પુસ્તકો લખેલ. તેઓ વા.મો. શાહના પ્રકાશિત થયેલ ૪ પુત્રો અને ૩ પુત્રીઓનો પરિવાર ધરાવતા આ પ્રખર પત્રકાર ૧૬-૯-૮૬ના રોજ અરિહંત શરણ થયેલ.
For Private & Personal Use Only
www.jainelibrary.org