SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૪ સ્વપ્ન શિલ્પીઓ. શ્રી ૧૦૮ પાર્થભક્તિવિહાર જૈન ટ્રસ્ટના માજી પ્રમુખ સ્વ. શ્રી નવનીતલાલ મણિલાલ શાહ જેમની સમગ્ર જીવનકિતાબમાં સમાજ, શાસન અને ધર્મના અભ્યદય માટેની તીવ્ર તાલાવેલી નજરે પડે છે. ઉત્તર ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણની પુણ્યભૂમિના સપૂત સ્વ. શ્રી નવનીતલાલભાઈ શાહ વેપાર વાણિજ્યના ક્ષેત્રનો ભવ્ય વિકાસ સર્જીને સંપત્તિના સ્વામી તો બન્યા પણ સંપત્તિના પોતે માત્ર ટ્રસ્ટી છે એમ માનીને સમાજના અનેકવિધ ધાર્મિક શૈક્ષણિક અને સાર્વજનિક કાર્યોમાં છૂટે હાથે દાનનો પ્રવાહ વહેતો રાખ્યો. જૈન સમાજના ઇતિહાસમાં દાન અને સખાવતો કરનારા શ્રેષ્ઠીઓના ઔદાર્યની ઉજળી પરંપરા તો સૈકાઓથી ચાલતી આવે છે, પણ એમાં યશકલગીરૂપ ભક્તિસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ પ.પૂ.આ. બની રહે તેવા દાનની નવી જ પ્રણાલિકા પ્રસ્થાપિત શ્રી પ્રેમસૂરિજી મ. સા.ના આશીર્વાદ લેતા શ્રેષ્ઠી કરીને પાયાના પુરસ્કર્તા બની વિખ્યાતિને વર્યા છે. સાધુ શ્રી નવનીતલાલ મણિલાલ શાહ સંતોની સેવા અને વૈયાવચ્ચ માટે એમણે ગજબનો ભોગ આપ્યો છે. મહાનુભાવોની યશસ્વી સિદ્ધિઓના મૂળમાં તેમના કોઈ ઉપકરણો નહીં પણ એમનું નિજીસત્ત્વ રહેલું હોય છે. ગુજરાતના અગ્રણી મહાજનોમાં તેમનું નામ મોખરે રહ્યાનું નજરે પડે છે. જૈન તીર્થ શંખેશ્વર, સમેતશિખર અને ગાંધીનગર પાસે કોબાના ધર્મકાર્યોમાં તેમની ઉદાર સખાવતોથી તેમના નામના મૃતિમંદિરો અને અનેકોને પ્રેરણા આપી જાય છે. શ્રી શંખેશ્વર ૧૦૮ પાર્શ્વ-ભક્તિવિહાર જૈન ટ્રસ્ટના પ્રમુખ તરીકેની તેમની સત્તર વર્ષ સુધીની સેવા એક યશગાથા બની ગઈ છે. શ્રી શંખેશ્વર આર્ટ્સ અને કોમર્સ કૉલેજ તેમના નામથી ચાલે છે. જુદા - જુદા સ્થળે કરોડો રૂપીયાના તેમના હાથે થયેલા દાનથી વિશાળ પરિવારને ધન્ય બનાવ્યું છે. તેમણે ઊભી કરેલી આંખની હૉસ્પિટલ અનેકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. છેક નાની ઉંમરથી અંતરના ઉંડાણમાંથી ટપકતી એમની અમીરાતે તેમના માનવતાવાદી અનેક કાર્યો વિવિધ સ્થળે જીવંત સ્મારકરૂપે નજરે પડે છે. હમણાં જ થોડા સમય પહેલા તેઓ સ્વર્ગવાસી બન્યા. પણ તેમની જે વિગતો મળે છે તે સર્વજીવ સમાદરની વ્યાપક ભાવનાના ગૌરવમાં વૃદ્ધિ કરે છે. ગર્ભશ્રીમંત હોવા છતાં શ્રીમંતાઈને સાચા અર્થમાં શોભાવતી તેમની નમ્રતા, ઉદારતા, સંસ્કારિતા અને સુજનતાની મઘમઘતી સુવાસ વતન અને વિશાળ જનસમુદાયમાં પ્રસરી ગઈ છે. ખરેખર તો પાટણની ભૂમિની સંસ્કૃતિના સત્ત્વને જપણે પચાવી તેઓશ્રીએ તેમનું હીર અને ખમીર સાર્વજનિક હિતોના વિશાળકાય આયોજનોમાં પ્રગટ કરી દેખાડ્યું છે જે સમાજસેવા પ્રતિની ગતિ પૂરૂ પાડનાર પ્રેરણાબળ બની રહ્યું છે. આવા ગૌરવશાળીઓ જ આપણા સાચા ઘરેણા છે. Jain Education Intemational ation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy