________________
૬૭૪
વયમાં પોતાની તત્ત્વતલસાટની અજોડ પ્રતિભાને ખીલવવા તેઓએ મહેસાણા પાઠશાળામાં ધાર્મિક અધ્યયન પ્રારંભ કર્યું અને એ માર્મિક જ્ઞાન દ્વારા મહાન શાસન પ્રત્યે અવિહડ રાગ પેદા થતો ગયો. લોકોને પ્રભુવીરના દિવ્યસંદેશને છોડી પાશ્ચાત્યવિકૃતિ તરફ આગળ વધતાં જોઈ તેઓશ્રી શાસનરાગથી આર્યસંસ્કૃતિના પુનર્જીવન માટે પાઠશાળા પ્રારંભ કરી શાસનરક્ષા કરવાનો દૃઢ સંકલ્પ કર્યો......પરંતુ આ મહાન્ કલ્પનાને સાકાર બનાવનાર ભાવીસંજોગો થોડા દૂર હતા. છ વર્ષ અધ્યયન કરી વઢવાણ મુકામે અધ્યાપનાર્થે પ્રયાણ કર્યું અને જ્ઞાનદાનનો એક મહાયજ્ઞ પ્રજ્વલિત કર્યો.....સંજોગોવશાત્ પુનઃ પોતાની માતૃસંસ્થામાં જ અધ્યાપનાર્થે તેઓનું આગમન થયું. ભક્તિ અને શક્તિના વિરાટ વ્યક્તિત્વ સમા પ્રજ્ઞાચક્ષુ પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમાન્ પુઅરાજજી સાહેબનું શિરછત્ર સાંપડ્યું. તેઓની કૃપાના બળે તેઓશ્રી જિનશાસનની આધારશિલા બનવા સતત થનગનતા રહ્યા.
એ અરસામાં પ.પૂ. આ.ભગ. શ્રી મંગલપ્રભસૂરિજી
મ.સા. દ્વારા પ્રારંભિત ‘શ્રી વર્ધમાન તત્ત્વ પ્રચારક વિદ્યાલય, તખતગઢ (રાજ.)'ની પાઠશાળા કોઈ કારણોસર ૩-૪ વર્ષોથી બંધ હતી.......તેઓશ્રીના પ્રશિષ્યરત્ન પૂ. રૈવતવિજયજી મ.સા.ના પત્રાનુસાર પૂજ્ય ગુરુદેવશ્રી માતૃ-સંસ્થાને પ્રણામ કરી ગુરુકૃપાને અંતરથી ઝીલી સંસ્કારોના ગુણોનો શંખનાદ ફૂંકવા વિ.સં. ૨૦૪૭, જેઠ સુદ ૧૩, સોમવાર, ૨૪-૬-૧૯૯૧માં તખતગઢ પાઠશાળાના સુકાની બન્યા. ફક્ત ૯ વિદ્યાર્થીઓથી પ્રારંભિત આ પાઠશાળાના ઉત્થાન માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ
તનતોડ મહેનત કરી......પાઠશાળા માટે તેઓએ નથી અંગત સ્વાર્થ વિચાર્યો કે નથી પારિવારિક સુખોની તરફેણમાં ખેંચાયા.......પણ બબ્બે વર્ષ સુધી પોતાના પગારના પૈસાનો
પણ તેઓએ સંસ્થા પાછળ ઉપયોગ કર્યો છે......ધન્યવાદ તો તેમના માતા-પિતાને કે જેઓએ પોતાના લાડકવાયાને એમ પણ ક્યારેય પૂછ્યું નથી કે—“બેટા! તારો પગાર કેટલો છે?’’.......નમન હો! એ અનાસક્ત માતા-પિતાને........!
ટૂંક સમયમાં જ ૯ થી ૨૭ છાત્રો થયા પરંતુ અમુક પ્રતિકૂળ સંજોગોના વશથી આ પાઠશાળા વિ.સં. ૨૦૫૨, વૈશાખ સુદ ૭, ગુરુવાર, ૨૫-૪-૧૯૯૬ના શુભ દિવસે નાકોડાજી જૈન તીર્થમાં સ્થાનાંતરિત થઈ અને નામકરણ થયું શ્રી ના.પા. જૈન જ્ઞાનશાળા.......
પૂજ્ય ગુરૂદેવશ્રીએ જ્ઞાનશાળા માટે અથાગ પ્રયત્નો દ્વારા
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ અનેક પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ પોતાના ધ્યેયને ધગશથી કામ કરવાપૂર્વક સાકારતા બક્ષી. દરેક છાત્રોનો પણ પૂર્ણ પ્રેમભાવ મળતાં તેઓનો શાસનસેવાનો સંકલ્પ મજબૂત બન્યો અને જોતજોતામાં છાત્રોની સંખ્યામાં અતિશય વૃદ્ધિ થઈ. નાકોડા ટ્રસ્ટ દ્વારા નૂતન ભવન નિર્મિત થઈ વિ.સં. ૨૦૫૮, પોષવદ ૧૧, બુધવાર, ૯-૧-૦૨ના શુભ દિવસે પ.પૂ. અધ્યાત્મયોગી આ. ભગ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના હસ્તપદ્મ દ્વારા ઉદ્ઘાટન થયું......ત્યારથી માંડીને આજ સુધી થયેલી આ સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિને જોતાં ચોક્કસ કહી શકાય કે પૂજ્ય ગુરુદેવશ્રી શાસનના ઋણમાંથી મુક્ત બનવા યત્કિંચિત્ પણ સફળ થયા છે, જેના પ્રભાવે ભારતને આજે અનેક આચારસંપન્ન અધ્યાપકો અને ચુસ્ત વિધિકારકોની ભેટ મળી છે તો ૩૪-૩૪ પુણ્યાત્માઓ પણ શાસનના ચરણે સમર્પિત થયા છે. બાલ્યવયમાં વાવેલ જ્ઞાનનાં બીજરૂપ આ જ્ઞાનશાળા આજે વટવૃક્ષ બની જૈનશાસનને તેના મધુરાંફળના અમૃતરસનું પાન કરાવી રહી છે.......એતદ્ ઉપરાંત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન પાઠશાળા-માલવાડા (રાજ.) અને શ્રી જિનેશ્વર વિદ્યાપીઠ-માંડવલા (રાજ.) બન્ને ધાર્મિક પાઠશાળાઓ પણ પૂ. ગુરુદેવશ્રીના સુચારુ માર્ગદર્શન અને સુંદરતમ્ અધ્યયનકાર્યથી અસ્ખલિતપણે ચાલી રહી છે.......એ નિહાળતાં જૈનશાસનનું ભાવિ ચોક્કસ ઊજળું ભાસે છે....વધારે શું કહું? જીવવિચાર, નવતત્ત્વ, દંડક, પ્રત્યાખ્યાન ભાષ્ય, પ્રથમ
કર્મગ્રંથ આદિ હિન્દી લિપિમાં ગંભીર રહસ્યાર્થોને આવરી તેઓએ તેનુ સંપાદન કાર્ય કર્યું છે, જેનાથી તત્ત્વની વાતો પર હાર્દિક શ્રદ્ધા સહજ જ ઊપજી જાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીનાં આ સત્કાર્યોને સમ્માનતાં વિવિધ સમુદાયના આચાર્ય ભગવંતોની નિશ્રામાં અને જૈન સંઘના સેંકડો સદસ્યોની પાવન ઉપસ્થિતિમાં ‘યુવા ઊર્જાપુરુષ’, ‘જિનશાસનરત્ન’, ‘પંડિત પદ્મવિભૂષણ' એવું ‘વિદ્વદૂત્ન’ જેવી મહાપદવીથી અલંકૃત થઈ તેઓશ્રીએ જૈનમ્ જતિ શાસનમ્'ની ફોરમને દિગંતમાં પ્રસરાવી છે.
પૂજ્ય ગુરુદેવશ્રીના ખંત અને નિષ્ઠાપૂર્વકનાં કાર્યોને જોઈ નિઃસંકોચ કહી શકાય કે સંસ્થાના સુકાની જ્યારે નિષ્પક્ષ કે નિઃસ્વાર્થી બની માત્રને માત્ર સંસ્થાને જ પોતાનું એક અભિન્ન અંગ માને તો જિનશાસનની ઉન્નતિ આકાશને આંબી શકે તેમ છે. જરૂર છે માત્ર આવા ઉમદા વ્યક્તિત્વની.......
તેઓશ્રી આજના આતંકવાદથી આતંકી બનેલા વિશ્વને સત્ત્વશીલ પુરુષોની ભેટ ધરવા પોતાનાં સત્કાર્યોની વણથંભી
For Private & Personal Use Only
www.jainelibrary.org