________________
સ્વપ્ન શિલ્પીઓ
પરમાર્થસિક આગેવાન કાર્યકરો
તત્ત્વજ્ઞાન કે અધ્યાત્મજ્ઞાન જ જીવનસાર્થક્યની ચાવી છે. આર્યસંસ્કૃતિના સમૃદ્ધ અને સોનેરી કાળમાં આ અંગે ખૂબ જ ઝીણવટથી ગહન વિચારણા થઈ છે. મનુષ્યજીવનની પૂર્ણતા અને સાર્થકતા શેમાં છે એના ઉત્તરો આ વિચારણામાં ભર્યા પડ્યા છે. ક્ષણે ક્ષણે, દિવસે દિવસે, આયુષ્યના દરેક તબક્કે માણસને તન-મનથી કેમ વર્તવું તેનાં સ્પષ્ટીકરણો આ વિચારણામાં પ્રાપ્ત થાય છે. ધર્મ અને સંપ્રદાય આ વિચારણાનું જીવનમાં આચરણ કરવાના માર્ગો છે. ધાર્મિક ક્રિયાકાંડો કે વિધિવિધાનો માત્ર ઉપલક દેખાડા નથી, પણ એનાં મૂળ આ વિચારણાને પૂર્ણ કરવામાં જડબેસલાક જડાયેલાં છે.
પ્રાતઃકાળે સૂર્યપૂજા કરીને પોતાનાં પંચમહાભૂતોને પ્રેરણા, ઉત્સાહ, ઊર્જા, ઉમંગ, આશાથી પ્રેરતો મનુષ્ય દિવસભર કાર્યશીલ રહીને જીવનને સાંસારિક કે ભૌતિક સમૃદ્ધિ તરફ દોરી જાય છે, પરંતુ સાંજ પડ્યે ઈશ્વર સામે દીવો ધરીને એ સર્વ ઈશ્વરને સમર્પિત કરે છે અને કહે છે કે તારા ભરોસે ખેતરમાં નાખી દીધેલા પાંચ દાણામાંથી પાંચસો દાણા તું જ બનાવી આપે છે. કાર્યો અને પરિણામોથી જન્મતો અહંકાર, મદ, સ્વાર્થ, મોહ આદિ કષાય વૃત્તિઓ અહીં વિગલન પામે છે. આ ભારતીય તત્ત્વજ્ઞાનનું મૂળ છે. ગીતામાં એને યજ્ઞનું નામ આપવામાં આવ્યું છે. અહંકાર નહીં પણ વિનમ્રતા, મદ નહીં પણ વિવેક, સ્વાર્થ નહીં પણ પરમાર્થ, મોહ નહીં પણ સ્થિતપ્રજ્ઞતા એ જીવનસાર્થક્યના સ્તંભો છે. ઈશનું રાજ્ય છે આખું' એ ભાવનાથી ત્યાગીને ભોગવવાનો મંત્ર આ સંસ્કૃતિનો જીવનમંત્ર છે. યુગોથી આ જીવનમંત્ર આ પ્રજાના લોહીમાં વણાઈ ગયો છે. જેમ મૂળભૂત વૈવિઘા ગામડાંની ડોશીઓના જીભને ટેરવે સ્થાયી થયેલી છે તેમ જીવનને ઉપકારક આ વેદવિદ્યા પણ લોકોનાં હૈયાંમાં ઠરીઠામ થયેલી છે. અહીંનો સામાન્ય ખેડૂત પણ પ્રસંગે પ્રસંગે ઢગલા ધાનમાંથી જરૂરિયાતવાળાને ખોબો આપીને રાજી થાય છે. પોતાની કમાણીમાંથી ભગવાનનો ભાગ પણ જુદો કાઢી રાખે છે, એટલે તો આ દેશમાં સદાવ્રતોના, સખાવતોના યજ્ઞ મંડાય છે. કહેવાની જરૂર નથી કે નાનકડા ગામના સામાન્ય ખેડૂતથી માંડીને મહાનગરના શ્રેષ્ઠીવર્યો સુધીનામાં આ સંસ્કાર જોવા મળે છે. આ પરંપરાને વંદન! સદ્ભાગીઓએ પાડેલો આ સુંદર ચીલો યુગો સુધી અવિચળ રહે એવી વિનમ્ર પ્રાર્થના.
—સંપાદક
જ્ઞાનદાતા ગુરુદેવ
શ્રી નરેન્દ્રભાઈ કોરડિયા ગુણ-સંપત્તિઓથી સમૃદ્ધ બનેલા મહાપુરુષોના ગુણોની અનુમોદના અને સત્કાર્યોની અભિસંજ્ઞા કરવી એ આપણું પરમ કર્તવ્ય છે. એવા જ એક ઉત્તમ કોટીના સભ્યજ્ઞાનોપાસક અને જ્ઞાનદાનના ઉજ્જ્વળ સમાવતાર તથા કોન્વેન્ટ કલ્ચરના પ્રતિકૂળ પ્રવાહ સામે મર્દાનગી
૬૭૩
Jain Education Intemational
દાખવતા એક જવાંમર્દ અને અમારા જ્ઞાન તેમ જ સંસ્કારદાતા મોટા ગુરુદેવશ્રી........શ્રી નરેન્દ્રભાઈ કોરડિયાના ઉજ્વળ જીવનનો ગુણવૈભવ........
ગૌરવવંતો ગુજરાત દેશ......કચ્છની કામણગારી ભૂમિમાં રહેલું મોડા ગામ......એ ધર્મનગરીમાં ધર્માત્મા શ્રી ડાહ્યાલાલભાઈ.......અને તેમની સુશ્રાવિકા ચંપાબહેનની કુક્ષિથી વિ.સં. ૨૦૨૨, તા. ૧૭-૦૧-૧૯૬૬, પોષ વદ ૧૧ના શુભ દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો.......અને ગુણસંપન્ન નામ રાખવામાં આવ્યું નરેન્દ્ર.....ગળથૂંથીમાં જ માતા-પિતાથી પામેલા ઉચ્ચ સુ-સંસ્કારોને પોતાના જીવનમાં વણી લેવા માતા-પિતાના આશીર્વાદને ગ્રહણ કરી માત્ર ૧૨ વર્ષની કુમળી
For Private & Personal Use Only
www.jainelibrary.org