SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ હોય.” વાચન માટે સમય બચાવી લેતા શ્રી પંચોલી રાત્રે, બપોરે અને રવિવારે વાચન કરી લે છે. કોઈ ટી.વી. સીરિયલ નહીં પણ માત્ર સમાચાર જ તેમને જોવા ગમે છે. પોઝિટીવ વિઝન ધરાવતા આ યુવાન બાધા, આખડી, માનતા કે આસ્થામાં ન માને તે સહજ બાબત ગણાય, પણ તેઓ પાચનતંત્રને આરામ આપવા માટે માત્ર શનિવાર રહે છે. સકારાત્મક ઊર્જા મેળવવા માટે શ્રી દિલીપ પંચોલી સવારે શ્રી ગણેશજી અને શ્રી ગાયત્રી પાઠ અચૂક કરે છે. તેઓએ નાની વયમાં ઉત્તર તથા દક્ષિણ ભારતમાં લગભગ બધા જ તીર્થધામોનો પ્રાસાદિક આનંદ મેળવ્યો છે. તેઓ લાયન્સ ક્લબ ક્રાઉન, ભારત વિકાસ પરિષદ અને રાજકોટની સ્વનિર્ભર શાળાસંચાલક મંડળ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને ક્યારેક તો શૈક્ષણિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ગિરમાભર્યું સંચાલન પણ કરે છે. તે બાબત તેની અંદર પડેલી કલા પ્રત્યેની અભિરુચિ દર્શાવે છે. તેઓના જીવનમાં કોઈ યાદગાર પ્રસંગ બન્યો નથી. ઈશ્વર, ગુરુગ્રંથ અને દેવ ઉપર શ્રદ્ધાપૂર્વક આસ્થા ધરાવતા તઓ અંધશ્રદ્ધા દૂર કરવાના હિમાયતી રહ્યા છે. પ્રતિષ્ઠા, પ્રદર્શન કરતાં સામાજિક કુરૂઢિનું ખંડન કરી સામાજિક ઉત્થાન, ઉત્કર્ષ માટે અનેકવાર સમૂહલગ્નો, સંમેલનોમાં વક્તા તરીકે દીકરાઓ, દીકરીઓને સંબોધ્યાં છે. જાહેર કે ગુપ્તદાન કરતાં ગુજરાતી ભાષાની સાહિત્યિક પ્રવૃત્તિને ઉજાગર કરવામાં શ્રી પંચોલી અગ્રેસર હોય છે. ગૌશાળામાં વૃદ્ધાશ્રમમાં અને ભારતીય પરંપરાને સાચવતી કુંવારિકા સમી દીકરીઓને ગરબી મંડળમાં ફૂલપાંખડીરૂપ ભાવ સહાય પણ કરે છે. શ્રી પંચોલી એક સરસ, પ્રેરક અવતરણ આપતાં કહે છે કે ‘જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાનો સંગમ. પરિવારમાં પુત્ર આકાશનો જન્મ થયો. માતાપિતાની સેવા કરવામાં આનંદ ` આવે છે.’ જીવનસ્વપ્નની લશ્રુતિ પછીનું તેમનું મનન-ચિંતન પણ મજાનું છે. બસ, બધાને ઉપયોગી થવું. ઈર્ષા, દ્વેષમાંથી મુક્ત થવું. ખૂબ વાચન કરવું. યુવાન શ્રી દિલીપ પંચોલી સાથેના સહૃદયી સંબંધના પરિપાક પછી હજારો યુવાનોને ઉપકારક પંક્તિ ઉતાર્યા વિના કેમ ચાલે? Jain Education International ૬૭૧ “જે ચટ્ટાન સાથે ટકરાય તેને તૂફાન કહેવાય છે; જે તૂફાન સાથે ટકરાય તેને યુવાન કહેવાય છે.'' સંવેદનાથી ભરપૂર શ્રી દિલીપ પંચોલી ઉચ્ચતમ સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ. નિઃસ્વાર્થભાવે સૌનું ભલું ઇચ્છનારા અદના સેવક શ્રી ભૂપતભાઈ ડોડિયા વિભિષણ લંકામાં નિઃસ્પૃહી બનીને કેમ રહ્યા હશે? એવો પ્રશ્ન જ્યારે થાય ત્યારે અંતરમાં એક જ અવાજ આવે છે કે જેમની પાસે ભક્તિ, સૌ કોઈનું ભલું ઇચ્છવાની દૃષ્ટિ હોય તેની સાથે પરમાત્મા હંમેશાં હોય જ. સૌનું ભલું કરનારા આવા સેવકો ઉન્નત મસ્તકે સેવાકાર્ય કરતા હોય છે. આ પ્રકારનું સાદું, સરળ છતાં સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા શ્રી ભૂપતભાઈ મગનભાઈ ડોડિયાને તેમના પરિચય અર્થે મળવાનું બન્યું. તા. ૨૨-૮-૧૯૫૨ના રોજ જામનગર જિલ્લાના કાલાવડ (શીતલા) ગામે જન્મેલા શ્રી ભૂપતભાઈને પિતા મગનભાઈ, માતા ધીરજબહેન પાસેથી અનેક ગુણો અને સંસ્કાર પ્રાપ્ત થયા છે. મૂળ વતન કાલાવડના વતની એવા શ્રી ભૂપતભાઈ કાલાવડની તાલુકાશાળામાં પાંચ ધોરણ સુધી ભલે ભણ્યા છે પણ જીવનના તડકા-છાયામાં તેઓ ઘણા ઘડાણા છે. તેમના પિતા મગનભાઈને સોના-ચાંદીનો ધંધો હતો. મગનભાઈને ત્યાં ગરીબ-ગુરબા, સાધુ-સંતો એમ સો માણસોનું રસોડું ચાલતું હતું. પોતાના માટે નહીં, બીજાના માટે કંઈક ભલું થાય તેવું કરવું તેવી નેમ હતી. શ્રી ભૂપતભાઈના પિતા એટલે કે મગનલાલ ડોસાની હુંડી ચાલતી હતી. પિતાની સેવાવૃત્તિ, સરળતા અને સાદગી શ્રી ભૂપતભાઈમાં વારસારૂપે ઊતરી છે. તેઓ ચાર વર્ષના હતા ત્યાં જ તેમના પિતાનું મૃત્યુ થયું હતું. નાનપણમાં ભૂપતભાઈએ બહુ માર ખાધો હતો. તેઓ સ્વબળે અમદાવાદ ગયા હતા અને પછી બહેનની સાર સંભાળની જવાબદારી આવી પડતાં કાલાવડનું (શીતલા) મકાન વેચીને રાજકોટ સ્થિર થવા માટે આવેલા. ૧૯૭૫માં પોરબંદર ખાતે મંજુલાબહેન સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. મંજુલાબહેને એસ.એસ.સી. સુધી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy