________________
૬૬૨
માનવતા જેમના દિલમાં સતત વસે છે એવા સાહસિક કારીગરને ઉજાગર કરનાર શ્રી કિશોરભાઈ માંડણભાઈ ખંભાયતા તા. ૧૫-૨-૧૯૫૫ના રોજ રાજકોટમાં જન્મ્યા છે. પિતા મોહનભાઈ અને માતા ગોદાવરીબહેનનું મૂળ ગામ રાજકોટ પાસેનું લીલી સાડિયાળી.
શ્રી કિશોરભાઈએ પ્રાથમિક શિક્ષણ રાજકોટની કસ્તુરબા વિદ્યાલયમાં અને માધ્યમિક ટેક્નિકલ વિષયો સાથે આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં લીધું છે.
પિતાએ આપેલા હૃદયસ્પર્શી, પ્રેરક પ્રસંગને વર્ણવતાં તેઓ કહે છે ‘‘મારા પિતા ૧૯૪૬માં એક-બે ઓરડાની નિશાળો બંધાતી તેના છાપરા બાંધવાનું કામ કરતા. ત્યારે તેમણે મને કહેલું. “જો ભાઈ, વણિક લોકોને ધંધો કરવામાં ખૂબ ભણવું પડે પણ આપણી પાસે તો સો રૂપિયાના લોઢા (હથિયાર) હોય એટલે આપણે કારીગર, મિસ્ત્રી કે કંત્રાટી બની જઈએ' પિતાની સોના જેવી આ શીખ મારા માટે આજ શિખર સમાન પુરવાર થઈ છે.
તેઓમાં નાનપણથી જ કંઈક કશું કરી દેખાડવાની તમન્ના હતી. એટલે તેઓ ૧૯૭૪માં નોકરી-ધંધા અર્થે મુંબઈ ગયા. સાહસ અને પરિશ્રમ યાત્રા શરૂ થઈ. ઓગસ્ટ ૧૯૭૫નો સમય હતો અને તેઓ સ્ટીમર દ્વારા દુબઈ ગયેલા. માત્ર બારસો રૂપિયાની નોકરીથી કઠિન દિવસોના શ્રીગણેશ કર્યા, પણ પાછા
ન પડ્યા.
નાની વયે બીજાના લાઇસન્સનો આધાર લઈ તેઓએ ૧૯૮૨માં દુબઈ ખાતે ટિકવુડ ઇન્ટિરિયર નામની પોતાની કંપનીનો પ્રારંભ કર્યો.
ઉદ્યોગની પોતાની સફળતા ટોચ સુધી પહોંચવા ધપી રહી હતી ત્યાં શ્રી કિશોરભાઈ તા. ૧૮-૦૫-૧૯૮૨ના શુભ દિને મોરબીનાં મીનાબહેન સાથે લગ્નગ્રંથિથી પણ બંધાઈ ગયા. કેતન, હીરલ અને મનાલી ત્રણ સંતાનોનું પિરવારમાં આગમન થયું.
શ્રી કિશોરભાઈએ સંતાનના ઉછેરની ઘટનાને યાદ કરતાં ગદિત થઈ મને જણાવ્યું હતું કે ‘હું જાણે પરદેશી હોઉં તેમ ધંધાના વિકાસ અર્થે મોટાભાગે દુબઈમાં જ રહેતો હતો. મારી પત્ની સાથે ફોન ઉપર વાત થતી હતી. પત્ની મીનાએ સંતાનોને ઉછેર્યાં છે, ભણાવ્યા છે. તેનું મને ગૌરવ છે.”
તેઓએ મારી સમક્ષ જે નિખાલસતાથી ઘટના રજૂ કરી
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ તે સાંભળી મારી આંખનાં ખૂણા ભીના થઈ ગયેલા. દુનિયાનાં બધાં જ માતા-પિતાએ આ ઘટના પોતાના જીવનમાં ગ્રહણ કરવા જેવી છે.
શ્રી કિશોરભાઈએ ઘટનાને વર્ણવતાં કહ્યું : “એકવાર હું મારા દસ વર્ષના પુત્ર કેતન માટે દુબઈમાંથી ઇલેક્ટ્રોનિક રમકડું કારમાં લઈ આવેલો. ભયંકર ગરમીને લીધે ગરમ થઈ ગયેલું રમકડું મેં કેતનને આપ્યું. “પપ્પા, આ તો ગરમ છે!” મેં કેતનને કહ્યું : “બેટા, તેને તાવ આવ્યો હશે!” તરત જ કેતને રમકડું પાણી ભરેલી ડોલમાં બોળી દીધું. જાણે કોઈ બાળકને તાવ આવે ને ઠંડા પાણીનાં પોતાં મૂકવામાં આવે પણ રમકડું તો ઇલેક્ટ્રોનિક હતું એટલે પાણીમાં પડવાથી તેનું મિકેનિઝમ ખલાસ થઈ ગયું.”
પોતે પુત્ર કેતન પાસે ખોટું બોલ્યા તે ઘટના યાદ કરીને તેઓ શૂન્ય બની ગયા હતા. તેઓ એકરાર કરતા કહે છે કે “સંતાનો સામે ખોટું બોલતાં વિચારજો. બાળક સામે ખોટું ન કરતાં તેની બુદ્ધિ સાથે ચેડા ન કરવા અને તેને કોઈ જાદુઈ ખેલ ન બતાવતા. બાળકોને ઇગ્નોર ન કરવા.” ખોટું બોલવાથી કેવું પરિણામ આવે છે, તે ઘટનાને યાદ કરતાં શ્રી કિશોરભાઈ કહે છે કે, “૧૯૭૬માં દુબઈમાં ઘણાં પાસે બે-ત્રણ પાસપોર્ટ હતા. મને થયું કે મારી પાસે પણ કેમ ન હોય? બીજો પાસપોર્ટ મેળવવા હું ખોટું બોલ્યો. સમય વીતતો ગયો. લગભગ પંદર વર્ષ પછી એટલે કે પુત્રી હીરલના જન્મ સમયે ૧૯૮૯ મારી માતા ગોદાવરીબહેન પહેલીવાર દુબઈ મારે ત્યાં આવ્યાં. ઠંડી બહુ હતી. હું માતા ગોદાવરીબહેનને ગીઝરના ગરમ પાણીથી નહાવા બાથરૂમમાં ગીઝર સ્ટાર્ટ કરવાનાં બટનને દેખાડતો હતો, પણ માતાએ મને ગરમ પાણીથી નહાવાની ના પાડી અને કહ્યું કે બેટા, કિશોર તારો પાસપાર્ટ ખોવાઈ ગયો હતો ને? તારો પાસપોર્ટ મળી જાય ત્યાં સુધી મેં ટાઢા પાણીથી નહાવાની માનતા માતાજી પાસે રાખી છે.” હું ધ્રૂજી ઉઠ્યો. મારા ખોટા બોલવાની આવી આકરી સજા મારી માતાને? તે સમયે મને બહુ પસ્તાવો થયો અને આજે પણ થાય છે.”
માતૃપ્રેમનો બીજો હૃદયસ્પર્શી પ્રસંગ શ્રી કિશોરભાઈએ મારી સમક્ષ વર્ણવ્યો. મારી માતા ૧૯૯૧માં દેવલોક થયાં. તેમના મૃત્યુ પછી સતત બાર દિવસ સુધી મેં આજુબાજુના પછાત વિસ્તારનાં બાળકોને જમાડેલાં. મારી જાહોજલાલી જોઈ સગાં, સંબંધી, પાડોશીએ મારા બહુ જ વખાણ કરેલાં. હું ફુલાઈ ગયો હતો. માતાની ઉત્તરક્રિયા પૂરી થઈ ગઈ. હું દુબઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org