SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ પચાસના દાયકામાં જન્મેલા શ્રી રૂગનાથભાઈ રૂઢ માન્યતા ધરાવતા નથી એટલે જ તેઓ કહે છે કે ‘કમ્પ્યૂટર આધુનિક યુગમાં અતિ જરૂરી છે. વાચન માટે પણ તેમણે સરસ અવતરણ આપ્યું–‘વાચન માટે સમય કાઢીએ તો સમય જરૂરથી બચે.” તેઓ ટીવી સીરિયલ જોતા નથી. બાધા, આખડી કે માનતામાં માનતા નથી. પણ એકાદશી અને પૂજા કરે છે. સ્વદેશમાં ત્રણેક વાર પર્યટન કર્યા છે. શ્રી રૂગનાથભાઈ રાજકોટની જ વિશ્વજ્યોત વિદ્યાલયમાં આચાર્યપદ શોભાવતા હતા, એટલું જ નહીં પણ રાજકોટમાં એમની બહુમુખી પ્રતિભા આ રીતે વિસ્તરી છે. તેઓ શ્રેયસ સ્કૂલ તથા રણછોડ વિદ્યાલયમાં સંચાલક, ગૌતમ શાળા વિકાસ સંકુલમાં સંયોજક, રાજકોટ શહેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલકમંડળના ખજાનચી તેમજ કડવા પાટીદાર સમાજની શિક્ષણ સમિતિમાં સક્રિય રહી જુદાં જુદાં પદ શોભાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પ્રત્યે અપાર પ્રીતિ ધરાવતા શ્રી રૂગનાથભાઈ ધો. ૧૦ના અભ્યાસમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. તે બાબત સરાહનીય છે. ગુરુગ્રંથ પર વિશ્વાસ ધરાવતા તેઓએ પ્રતિષ્ઠા, પ્રદર્શન કે સમાજિક રૂઢિના ખંડન માટે વિજ્ઞાનના ચમત્કારના કાર્યક્રમો ગોઠવ્યા છે. તેઓ માને છે કે, ગુપ્તદાન ગુપ્ત રહે તે હિતકર છે, એમનું પ્રેરક અવતરણ એ છે કે “જે કાંઈ કરો તે ઈશ્વરનું કાર્ય છે તે સમજી કરવું જોઈએ અને તો ઈશ્વર મદદરૂપ થાય છે જ.' શ્રી રૂગનાથભાઈની જીવન સ્વપ્નની ફલશ્રુતિ માટેનું ચિંતન આ પ્રમાણે છે : “ઉપકાર કરો પણ ભૂલી જાઓ. બીજાનું દિલ દુભાય તેવું ક્યારેય ન કરવું. દરેક મનુષ્યમાં ઈશ્વરના દર્શન કરવા.' રાજકોટના પાદરે નેશનલ હાઇવેથી બહુ નજીક ડુનેક્ષ મેટલ્સ નામનું વિશાળ ઉદ્યોગ સંકુલ આવેલું છે. આ સંકુલ રમણીય બગીચામાં છે. પર્યાવરણરક્ષક, વૃક્ષને પંખીપ્રેમી, ૬૬૧ ઉછેરવામાં, જતન કરવામાં જેને બહુ જ આનંદ આવે છે એવા સાહસિક, મહેનતુ અને નિખાલસ દિલના માલિક શ્રી કિશોરભાઈ ખંભાયતા સાથે હમણાં-હમણાં બે-ત્રણ વાર તેમના પરિચય અર્થે મળવાનું થયું જે મુલાકાત હજારો યુવાનો માટે પ્રેરક બની રહેશે. Jain Education International શ્રી કિશોરભાઈ કહે છે કે “મારી ફેક્ટરીમાં બગીચો નહીં પણ બગીચામાં ફેક્ટરી છે. આ જગ્યામાં મેં જમરૂખડી, ચીકુડી, અંજીર, શેતૂર, સીતાફળી, આંબો, મીઠી આંબલી, રાવણાંના વૃક્ષો વાવ્યા છે. વૃક્ષોનું બરાબર ધ્યાન રાખું છું. પાણી, ખાતર અપાય છે. મારે ધંધાર્થે વારંવાર દુબઈ જવાનું થાય છે, પણ ભલે થાય. બે માણસોને વૃક્ષો માટે રાખશું. ઉનાળે પતંગિયાં ઊડે છે, દેવચકલી, કાબર, ખિસકોલી, કબૂતરો માળો કરીને બેઠાં છે. પંખીના માળા વીંખાઈ ન જાય, તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ. હું પંખીને ચણ નાખતો નથી, કારણ આજે ચણ નાખું ને કાલે હું દુબઈ હોઉં, પંખી નિસાસા નાખી ચાલ્યાં જાય. તેના કરતા તેને બારેમાસ ખોરાક મળી રહે તેથી બગીચામાં ફળઝાડ ઉછેર્યાં છે. ખાટી આમલી વાવી છે, જેનું આયુષ્ય બસો વર્ષનું હોય છે. મારી ગેરહાજરીમાં પણ આ બધું ટકી રહે. એવું હું ઈચ્છું છું.” વૃક્ષો પ્રત્યે શ્રી કિશોરભાઈને ભારે પ્રેમ છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે. કારખાનામાં પ્રવેશ કરતા ડાબી સરસ્વતીના ઉપાસક, વિદ્યાર્થીપ્રિય શ્રી રૂગનાથભાઈને બાજુની દીવાલે થોડે દૂર જાંબુડો ઊભો છે. દોઢ ફૂટની જગ્યા હાર્દિક અભિનંદન-શુભેચ્છાઓ. માત્ર ઉદ્યોગપતિ નહીં, પણ પર્યાવરણરક્ષક શ્રી કિશોરભાઈ ખંભાયતા કારખાનેદાર પાસે શરતચૂકથી વહી ગઈ છે. પાડોશી કારખાનેદારે જાંબુડો કાપવાની વાત કરી ત્યારે શ્રી કિશોરભાઈએ તેમને સમજાવ્યા : “જો ભાઈ, દોઢ ફૂટ જગ્યા મારી ગઈ છે, છતાં મારે તમારી સાથે કાયદાકીય તકરાર કરવી નથી, પણ તમને એટલું જ કહેવું છે કે જાંબુડો કાપવાનો નથી. તમારા કારખાનામાં પાંદડાં ખરે છે, એટલું જ ને? તેને વાળી લેવાના. જાંબુડો છાયો આપે એ, ઉનાળામાં એરકંડિશન જેવી ઠંડક આપે છે, એ ગુણો જુઓને!” બંનેની સમજૂતી પછી આજે પણ જાંબુડો એમને એમ, અકબંધ ઊભો છે. કહેવાનું મન થાય કે ‘વૃક્ષ જતન, આબાદ વતન'. “ડુનેક્ષ મેટલ્સની આ જગ્યા મેં લીધી ત્યારે બે કાળિયા કૂતરા સાથે આવ્યા એણે આજે પણ મારી જગ્યા છોડી નથી. હું પણ તેનું ખાસ ધ્યાન રાખું છું. ઉનાળામાં તેના માટે ઠંડક મળે તેવી ખાસ બખોલ કરી છે. ચોકીદારની પત્ની કૂતરા માટે રોજ સાંજે દૂધ, રોટલા બનાવીને ખવડાવે છે.' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy