________________
૬૪૪
લૌકિક દૃષ્ટિએ સુખસગવડમાં જીવન વ્યતીત કરનાર વ્યક્તિ આંતર્ જીવનમાં કેવી સંવેદનશીલ અને વ્યથિત હોય છે એ એમના ઘણા શેઅર બતાવે છે :
“ક્યાં લગી આંસુઓથી હું ધોયા કરું? જખ્મ દિનરાત ઊંડા થતા જાય છે.’’ “કાંધે સ્વયંની લાશ છે, મરજી મુજબની રાત છે.' ‘ચાલું છું ‘શૈલ’ એકલો ઈશ્વરના ભરોસે. બાકી તો કાફલા મહીં ઇન્સાન ઘણા છે.'' “શૈલ અમે નિત મીણ-મિજાજી, ભણી પીગળતું જીવન.'
શૂન્ય
“મને મારી શરમ તો ના જ આવે, કહું શું? આરસી છે, કોણ છે આ?”
શૈલની એકલતા અને ઉદાસીનતા, ખુદ્દારી અને ખુમારી, વેદના અને વ્યથા જાતઅનુભવની નીપજ છે. જાતને જે તંતોતંત આરસીમાં જોઈ શકે છે, ઓળખી શકે છે, તે જ સાચા મોતી જેવા શેઅર પ્રગટાવી શકે છે. એમનાથી જ હૃદયસ્થ ભાવ અસરદાર શબ્દને પામે છે. ‘ઝૂરતો ઉલ્લાસ'માં એવા ઘણા અશરાત મળશે.
જૈન શાસનના શિરતાજ, દીન-દુઃખીયાના બેલી જામનગરના કુલચંદભાઈ તંબોલી
મૂળ જામનગરના વતની જ્ઞાતિએ વીસાશ્રીમાળી. પૂર્વની પુન્યાઈ જોરદાર. એમનું પુરું નામ તો ફુલચંદભાઈ પુરુષોત્તમભાઈ તંબોલી. જૈનશાસનના શિરતાજ એવા પૂ. આ. વિ. રામચંદ્રસૂરિશ્વરજી મ.સાને એમણે પોતાના ગુરુ તરીકે સ્વીકારેલાં. પોતાના જીવનમાં એમણે કેટકેટલાં સુકૃતો કરીને લક્ષ્મીનો સર્વ્યય કર્યો એનો તો કોઈ હિસાબ જ કરી શકાય તેમ નથી. આજથી લગભગ એંશી વરસ પહેલાંના તે વખતના કરોડપતિમાં જેમની ગણના થતી હતી; એવા એમના ઘરે જે કોઈ આશા ધરીને ગયો હોય તે કદી ખાલી હાથે પાછો ફરેલ નથી. એમને ત્યાં કામ કરનારા એમના માણસો, ઘોડાગાડીવાળાંઓ વિગેરે સોનાનાં ઘરેણાં પહેરતાં થઈ ગયેલાં.
એમના દાનની ગંગોત્રીમાં કોઈ જાતનો ભેદભાવ નહીં, હિંદુઓ તો ઠીક, પરંતુ મુસલમાનો પણ એમનાં દાનની ગંગોત્રીમાં પાવન થતાં અને એમની આપણે માની શકીએ
Jain Education Intemational
સ્વપ્ન શિલ્પીઓ
એવી અદબ જાળવતા.
એમનો એક પ્રસંગ : —કર્મના ફળ મુજબ જીવનમાં ચડતી-પડતી તો દરેકના જીવનમાં આવે જ છે. એવા જ એક નબળાં અવસરમાં જે વખતે આર્થિક મુશ્કેલી હતી તે વખતે દૂર દૂરના એક સંઘના કાર્યકર્તાઓ એમની પાસે દાન માટે આવ્યાં. ભગવાન જિનેશ્વરદેવનું મંદિર-ઉપાશ્રય આદિનું આયોજન હતું. આવનાર લોકોને ઘરમાં પેસતાં જ પરિસ્થિતિનો સ્હેજ અણસાર આવી ગયેલ. એટલે તેઓ વાત કરતાં અચકાતા હતા. પરંતુ ભાઈના આગ્રહથી તેઓએ પોતાની રજુઆત કરી. તે સાંભળી તેમણે કહ્યું કે–‘તમો મોડા પડ્યાં, છ મહીના પહેલાં આવ્યાં હોત તો તમારું કામ થઈ જાત.’એવામાં ટપાલી રજી. કવર લઈને આવ્યો. તે કવર લીધું. તે જોતાં જ સમજી ગયાં કે કે જે રકમ આવવાની કોઈ સંભાવના ન હતી તેનો ચેક આવ્યો લાગે છે. એટલે તે કવર ખોલતા પહેલાં જ તેમણે મહાનુભાવોને જણાવ્યું કે આમાંથી જો ચેક નીકળશે તો તે જેટલા રૂા.નો હોય એ બધું જ તમોને દાનમાં. તે પછી તે કવર ખોલ્યું તો તેમાં રૂા. ૧૭ હજારનો ચેક હતો. પોતની આવી કટોકટીમાં પણ તેમણે ચઢતા પરિણામે ઉલ્લાસથી તેનું દાન કરી દીધું. જો–કે એમના જીવનમાં થોડાં જ સમયમાં વળતાં પાણી થઈ ગયાં અને પાછી જાહોજલાલી આવી ગઈ. ધન્ય છે તેમની જીવનધારાને.
છેલ્લે એમનો સ્વર્ગવાસ થયા પછી એમની સ્મશાનયાત્રા પણ એવી જ ભવ્ય નીકળી હતી. ગુજરાતના વિવિધ જૈન સંઘોએ ભાવભરી શ્રદ્ધાંજલી અર્પી હતી.
એમનાં પુત્ર-પરિવારને પણ એમના સ્વર્ગવાસ પછી જ પોતાના પિતાજીનું શું હતું? એની વાસ્તવિક ખબર કેટલાંયે વરસો પછી પડી હતી.
જિનભક્તિ અને ગુરુભક્તિથી ઓતપ્રોત, ભરપૂર, સાધર્મિક ભક્તિ, કરૂણાભાવથી ભરપૂર અને દીન-દુઃખીયાના સાચા બેલી એવા આ નરપુંગવના સુકૃતોની હૈયાના ભાવથી આપણે પણ અનુમોદના કરીએ અને પાવન થઈએ. એ ગૌરવભર્યો ધર્મવારસો ભાવનગરમાં શ્રી મનમોહનભાઈએ જાળવી રાખ્યો છે. તેઓ જૈનસંઘ સહિત ભાવનગરની અનેક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા રહીને સુંદર સેવા આપી રહ્યાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org