________________
સ્વપ્ન શિલ્પીઓ
“પાપભીરુ-પ્રિયધર્મ”—એ જ મને પ્રિય છે).
લગભગ ૧૧ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, તનમન-ધનથી સમર્પિત છે.
ઉચ્ચત્તમ આદર્શના પ્રેરક
શ્રી રતિલાલ ફાવચંદ
‘જીવનમાં કોઈપણ ડાઘ કે કલંક લગાડ્યા વગર પોતાની સડસઠ વર્ષની જીવનયાત્રા ખૂબ જ સુખચેનથી પસાર કરી છે.' એવો એક ઊંડો આત્મસંતોષ જેના મુખ ઉપર હંમેશાં પ્રગટ થતો રહ્યો છે તેવા શ્રી રતિભાઈ તળાજા પાસે ભાલર (બોરલા)ના વતની છે. વણિક પરિવારના સંસ્કારો અને નિયમો પ્રમાણે તેમનું ઘડતર થયું. ધર્મ તરફની આસ્થા વધુ દૃઢ બનાવતા અને તેમાં એક પછી એક વ્રત–જપની આરાધના કર્યે જતાં કેવા કેવા ચમત્કારોથી જીવનબાગ મહેકતો રહે છે તે જમને જાણવા-સમજવાની જિજ્ઞાસા હોય તેમણે મુંબઈમાં માટુંગામાં તેમના નિવાસસ્થાને પરિવારના સભ્યોને જરૂર મળવું.
૧૦૬ વર્ષનાં તેમના વૃદ્ધ માતુશ્રીને વંદન દર્શન કરીને જ નિત્યક્રિયા શરૂ કરે અને કહે છે કે માનવીને જ્યાંથી શુભ સંકેત સાંપડે તેવી તીર્થભૂમિ કે તીર્થંકરનું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રટણ નહીં ભૂલવું જોઈએ. શરીરની અસ્વસ્થતા હોય કે– ગળાડૂબ ધંધાની પ્રવૃત્તિ હોય તો પણ ચોક્કસ સમય અને ચોક્કસ તિથિએ એકસો સીત્તેર વખત ભોયણી જૈન તીર્થની યાત્રા તેઓ કરી ચૂક્યા છે.
પિસ્તાળીશ વર્ષ પહેલાં સામાન્યસ્થિતિમાં મુંબઈમાં તેમનું આગમન થયું. શેઠશ્રી પ્રભુદાસ ગાંડાભાઈ તથા મામાના અંગત સહારાથી મુંબઈમાં સ્થિર થયા. કુટુંબના ભરણપોષણ કે વ્યાપારની તડકી છાંયડી કરતાંયે જૈન ધર્મના ઉચ્ચતમ આદર્શોએ તેમના જીવનને નવપલ્લવિત કર્યું છે. સાત જેટલાં પ્રખર જૈનાચાર્યોના સમાગમમાં આવવાનું બન્યું અને પલટાતા પ્રવાહો નજરે નિહાળવાનું તેમને સાંપડેલું સૌભાગ્ય તેમના શબ્દોમાં જ જ્યારે સાંભળીએ ત્યારે તેમની પાસેથી ઊઠવાનું
મન ન થાય.
Jain Education International
૬૪૩
ભયંકર દુર્વ્યસનો અને શઠતાની બદબોમાં રાચતો માનવી પણ યોગ્ય સમયે જો ધર્મનું શરણ થે તો કંઈક દિવ્ય કક્ષઃ સુધી પહોંચી શકે છે તે ધર્મની આસ્થા જ કહી શકે છે. સંસારમાં કોઈ એવી અજબ ચેતના શક્તિ પળે પળે આપણાં માંગલિક કામોમાં સહાય કરી રહી હોય ત્યારે સમજવું કે તેની પાછળ ધર્મની શ્રદ્ધાનું જ રહસ્ય છુપાયેલું છે. શ્રી રતિભાઈનું આતિથ્ય માણવું એ એક જીવનનો લ્હાવો હતો. થોડા વર્ષો પહેલાં જ સ્વર્ગવાસી બન્યા.
શ્રી શૈલેષભાઈ કોઠારી (શૈલ પાલનપુરી)
શૈલેષભાઈ હિંમતભાઈ
કોઠારી–વતન પાલનપુર, પણ વર્ષોથી વસવાટ મુંબઈ. પાલનપુરમાં વેપાર-ઉદ્યોગ, સાહિત્ય-કળાના ક્ષેત્રે હીરા જ છે, છતાં શૈલેષનો વ્યવસાય હીરાનો, પણ એ પથ્થરના ચળકાટથી જ અંજાયેલા રહ્યા નહીં, એમણે જીવતરના
પાક્યા
ઝળહળાટને પારખ્યો, ભીતર ઝણઝણતી ઊર્મિની સરવાણીઓને ઓળખી અને નવા અવતારે-નવા નામે પ્રગટ થયા શૈલ પાલનપુરી. એમણે એ સિદ્ધ કરી આપ્યું કે પાલનપુરમાં માત્ર રત્નસમૃદ્ધિ છલકાવતું બજાર જ નથી, અહીં શબ્દસમૃદ્ધિ છલકાવતાં રત્નોની પણ ભારોભાર ભીડ છે. સૈફ પાલનપુરી અને શૂન્ય પાલનપુરી તો દિગ્ગજો છે જ, પણ ગઝલિસ્તાનની બજારમાં ‘શમીમ’, ‘મુસાફિર’, ‘અમર’, ‘અગમ’ જેવાં નામ પાછળ ‘પાલનપુરી’ લાગે ત્યારે જ એ નામો પૂરાં બનતાં હોય છે. પછી ચંદ્રકાન્ત ભલે ‘બક્ષી’ અટકથી ચલાવે, પણ પાલનપુરનું નામ પડે અને સાપ જેમ ઊંચા થાય ખરા!
શૈલ પાલનપુરીની ગઝલપ્રીતિ આ વાતાવરણમાં પ્રગટી છે, પનપી છે. પોતાને ‘શૂન્ય’નો ચેલો માનતા આ શાયરે ‘ઝૂરતો ઉલ્લાસ ' નામે એક સંગ્રહ પણ આપ્યો છે.
For Private & Personal Use Only
હિંમતભાઈ કોઠારી
www.jainelibrary.org