________________
સ્વપ્ન શિલ્પીઓ
મૈત્રી, કારુણ્ય, પ્રમોદ, મધ્યસ્થ ભાવનાનું પરિપાલન, પર્વતિથિઓ પર યથાશક્તિ પ્રત્યાખ્યાન, રાત્રિ પૌષધ અને હંમેશાં તેઓ વધુમાં વધુ સામાયિક, સ્વાધ્યાયમાં તલ્લીન રહે છે.
તેઓ જ્યાં સુધી શ્રી ચંદ્રપ્રભુજી જૈન નયા મંદિર ટ્રસ્ટના મંત્રીપદ પર હતા ત્યાં સુધી બધાં જ ક્ષેત્રોમાં સંપૂર્ણ ધ્યાન રાખતા હતા. તેઓ હાલમાં પણ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી છે અને પ્રત્યેક કાર્યોમાં પૂર્ણ સહકાર આપતા હતા. સાચી પ્રરૂપણા અનુસાર માર્ગદર્શન આપે છે, જેથી કર્મબંધનમાં ન પડાય. કર્મગ્રંથોનું જ્ઞાન હોવાથી તેનો ઉપયોગ પણ સદ્ગતિ, સમાધિયુક્ત જીવન અને ધાર્મિક અનુષ્ઠાનો, કાર્યકલાપોમા વધુ આડંબરથી તેઓ દૂર રહેવામાં માને છે અને બીજાને દૂર રાખે છે.
ધાર્મિક પરિવાર–પૂર્વજોના ઉદારદિલ ચારિત્રોને યાદ કરી એ જ આદર્શ પર ચાલવાની ભાવના રાખે છે. તેમના એક કાકી અને એક ભત્રીજી સર્વવિરતિ સ્વીકારીને ચારિત્ર્યવાન આત્મા, ધ્યાન, જ્ઞાન, સ્વાધ્યાયમાં સંપૂર્ણપણે મગ્ન છે. તેઓ દીર્ઘાયુ પ્રાપ્ત કરે અને શાસનસેવામાં માર્ગદર્શન આપતાં રહે એ જ શુભેચ્છા.
પાપભીરુતા-ધર્મપ્રિયતા
શ્રી કમલચંદજી મુલ્તાનમલજી બુંદીમુથા
ગુણાનુરાગી બુંદીમુથા શ્રી કમલચંદજી મુલ્તાનમલજી આહોર (જિલ્લો-જાલોર, રાજસ્થાન)નો જન્મ તા. ૧૦-૯૧૯૪૦ના રોજ આહોરમાં જ હર્યાભર્યા પરિવારમાં થયો. બચપણથી જ સુસંસ્કારોની પરંપરા-શ્રૃંખલાથી જીવન ઝળહળતું રહ્યું છે. તેઓનો અભ્યાસ બી.કોમ. સુધીનો છે. એમના ધનાઢ્ય પરિવારમાં એમનાં પત્ની શ્રીમતી દયાબાઈ, પુત્ર અને પૌત્ર છે. એમના વેપાર તથા વ્યવહારમાં પુત્ર કુશળ છે. તેઓ ધર્મ-ધાર્મિક ૧૨ વ્રતધારી શ્રાવકરૂપે દાનવીર શ્રૃંખલામાં અગ્રસ્થાને રહ્યા છે. અગ્રિમ શ્રાવકજીવનમાં કેટલીય અઠ્ઠાઈઓ, બે ઉપધાન તપ, વીશસ્થાનક તપ અને હાલમાં ૬૫મી વર્ધમાન તપની ઓળી ચાલુ છે.
ભારતમાં કોઈ પણ જગ્યાએ ભગવાનની પ્રતિષ્ઠા ભરાવવી, પ્રતિષ્ઠામાં નવકારશી, જીર્ણોદ્ધાર, નૂતન ધર્મશાળા નિર્માણ, સાધર્મિક ભક્તિ અર્થે મેળો વગેરે સત્કાર્યો દર વર્ષે નિરંતર ચાલુ છે. ચોથા વ્રત, ભૂમિ સંથારા, પ્રાસૂક જલાહાર, પર્વાદિમાં પૌષધોપવાસ, સ્વદ્રવ્યથી પ્રભુપૂજા, લોંચ, દરરોજ બિયાસણાથી ઓછું નહીં વગેરે ઉચ્ચતર ઉલ્લાસથી જીવન
Jain Education International
૬૪૧
વ્યતીત કરે છે. ધાર્મિક કુટુંબ, દેઢ શ્રદ્ધાવાન સમર્પિત પરિવારથી તેઓ સુખી અને સંપન્ન છે.
પોતાની લાડલી પુત્રી શાસનને સમર્પિત કરી છે. શાસનરત્ન સાધ્વી શ્રી વિઅર્હમાલાશ્રીજી મ.સા. આચાર્યશ્રી યશોવર્મસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયને દીપાવી રહ્યાં છે. એમના ભાણેજ અને ભત્રીજીએ સર્વવિરતિ ગ્રહણ કરી છે અને શાસનના દેદીપ્યમાન નક્ષત્ર શ્રમણ છે.
ભારતના લગભગ તમામ સંપ્રદાયનાં શ્રમણ-શ્રમણીવૃંદ એમની દાનવીરતા, દાનપ્રવૃત્તિથી અને શાસનસમર્પિતતાથી પરિચિત છે.
એમનું જીવન ઉત્તરોત્તર ધર્મપ્રભાવના અને શાસન– સમર્પિતતામાં જ્યોતિર્મય રહે એ જ શુભેચ્છા.
શાસનત્ત
શ્રીમાન પુખરાજજી જે. જૈન પ્રાગવરવંશીય શ્રી જેઠમલજીના સુપુત્ર શ્રી પુખરાજી સાહેબ બાલી (જિ. પાલી, રાજસ્થાન)ના રહીશ છે. ઉંમરમાં ૭૧ વર્ષ પૂરાં થવા આવ્યાં છે, પરં૰ સાત્ત્વિક જીવનના કારણે તંદુરસ્તી સારી છે. દરરોજ ૧૮ થી ૨૦ કલાક શાસન, સમાજ,
સાધર્મિકોના ઉત્થાન-કાર્યક્રમોમાં અવિરત યોગદાન આપી રહ્યા
છે.
એમના જીવનનું લક્ષ્ય તન, મન, ધનથી સાધર્મિક બંધુઓની સેવા અને ઉત્થાન છે. આત્મામાં કરુણા, વાત્સલ્ય, અનુકંપાનો સ્રોત વહે છે. કદી અશોભનીય બોલતા નથી અને કોઈનું સાંભળતા નથી.
પોતાના જીવનના આ લાંબા ગાળા દરમિયાન તેઓ કેટલીયે સંસ્થા સાથે સંલગ્ન રહ્યા છે અને નૂતન જિનાલય, જીર્ણોદ્ધાર કાર્યોમાં, ગૌશાળા, પાંજરાપોળ વગેરે, કોલેજસ્કૂલોના નિર્માણમાં પોતાના યોગદાન અને બીજી સંસ્થાઓના પૂર્ણ યોગદાન અપાવી ચમકતા રહેલા સંસ્થાન છે. એકાસણાથી દિનચર્યા, પ્રતિદિન પ્રતિક્રમણ દ્વારા પ્રાસુક આહાર દ્વારા તથા સાત્ત્વિકતાસભર જીવન દ્વારા સમગ્ર જૈન-જૈનેતર સમાજમાં એમની સારી છાપ તો છે જ પરંતુ ભારતભરના તમામ સંપ્રદાયોના શ્રમણ-શ્રમણી સંઘમાં પણ તેઓ પુષ્યરાજ હીરાની જેમ ‘શ્રી પુખરાજજી-મોટા'ના નામથી પ્રખ્યાત અને જાણીતા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org