________________
૬૨૨
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ઉપર તેમની સારી પડ છે. ૧૯૯૧માં લખાયેલું 'ગવૉર' અને ૨૦૦૩માં લખાયેલા સદામ હુસેન' તેમના સૌથી વધુ જાણીતા અને ચર્ચિત પુસ્તકો છે. તેમણે અનેક નવલકથાઓ પણ આપી છે. ઇઝરાયેલ ધ લેન્ડ ઑફ ધ બાઈબલ' પુસ્તકે ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત કર્યું છે.
ચાઈલ્ડ હસબન્ડ (બાળ નાટક) મિયાં ફુસકી ૭ (ગુજરાતી પેટથા), અંતરના એકાંત ટેલિવિઝન સિરિયલ), દિલ ચાહતા હૈ (હિન્દી સિરિયલ) જેવું સાહિત્યમાં વૈવિધ્યનું સર્જન તેમણે આપ્યું છે.
તેમનો સંપર્ક : ૯૮૭૯૨૦૭૧૦૨, એ-૧૦૧, અભિલેખ વિલા, આર્યમાન બંગલોઝની સામે, થલતેજ, શીલજ રોડ, શીલજ, અમદાવાદ-૩૮૦૦૫૮ મુકામે થઈ શકશે.
પ્રફુલ્લ પ્રાણશંકર ત્રિવેદી
પત્રકારત્વની વર્તમાન પેઢીના માર્ગદર્શક અને પત્રકારત્વના શિક્ષણની ગુજરાત યુનિવર્સિટીમાં શરૂઆત કરાવવાના હિમાયતી પ્રફુલ્લભાઈ ત્રિવેદીને હાલમાં પત્રકારત્વમાં પ્રવૃત્ત હોય તેવા મોટાભાગમા લોકો ઓળખે છે.
૧૯૫૨ ૧૮ ઓક્ટોબરના રોજ ધંધુકા તાલુકાના ચંદરવા ગામે જન્મ અને પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ થયું. એમ.એ. સુધીનું શિક્ષણ રાજકોટમાં અને પત્રકારવનો ડિપ્લોમા અમદાવાદમાંથી કર્યા બાદ ભાવનગરમાં છોકરા' નામના સમાચારપત્રથી કારકિર્દીની શરૂઆત થઈ. ગુજરાત સમાચાર'માં ૨૦ વર્ષ સુધી સતત કાર્યરત રહ્યા. આ વર્ષો દરમ્યાન જ ગુજરાત યુનિવર્સીટીમાં પત્રકારત્વ શિક્ષણના પ્રારંભ માટે પ્રયાસ કર્યા. શ્રી સઘુવીર ચૌધરીની સાથે મળીને ૧૯૯૯માં પત્રકારત્વની પ્રથમ ખેંચ શરૂ કરી. પત્રકારત્વનો વ્યવસાય ને શિક્ષણ આપવાનું સમાંતર ચાખ્યું, 'દિવ્ય ભાસ્કર' દૈનિકનો ગુજરાતના પત્રકારત્વમાં પ્રવેશ થવો એ ગુજરાતી પત્રકારત્વની નોંધપાત્ર ઘટના હતી. પ્રફુલ્લભાઈ એક નવા પ્રકારના પત્રકારત્વની કામગીરી માટે દિવ્ય ભાસ્કરમાં જોડાયા. હાલમાં તેઓ ચીફ રિપોર્ટર તરીકે સંદેશ’ દૈનિકમાં કાર્યરત છે. અને વર્તમાન પેઢીના પત્રકારોને તાલીમ આપી રહ્યા છે.
વાંચન-લેખન તેમની કામગીરી અને શોખ બંને છે. ક્લાસિક ફિલ્મો જોવી સંગીત સાંભળવું તે તેમના અન્ય પ્રિય શોખ છે. પોતાના સંસ્મરણોમાં તેમને પત્રકારત્વ શિક્ષણ શરૂ કરાવી શક્યાનો આનંદ છે. યુવાશક્તિ' નામનું સામયિક
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ (પાક્ષિક) પ્રકાશિત કર્યાનો સંતોષ છે. રિપોર્ટીંગની આટલા વર્ષોન કામગીરી દરમ્યાન તેમને અનેક સારા અનુભવો થયા છે. રંગ સાહિત્યિક માસિક, 'યુવાશક્તિ' પાક્ષિક, “અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય પુસ્તક અને આદિવાસી લોકસાહિત્ય'ના પુસ્તકનું સંપાદન તેમ કર્યું છે. ટીવી પર અનેક મુલાકાતો પણ તેમણે લીધી છે અ ચર્ચાઓમાં ભાગ લીધો છે. હજુ તેમણે ઘણા કામ વિચારી રાખ્ય છે. જેનો તેઓ આકાર આપવા માંગે છે. તેમનો સંપર્ક ૮૨૫ ૧૮૩૬૫ નંબર પર અથવા ૪પ, કોસ્મોવિલા, પ્રેમચંદનગ પાછળ, બોડકદેવ, અમદાવાદ-૫૪ ખાતે થઈ શકશે.
રાજેશ શાં
૨૩ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ જન્મ-કુકરવાડ મહેસાણા મુકામે ગુજરાત યુનિ.માંથી પત્રકારત્વનું શિક્ષણ લીધું ક્રિકેટ અને વાંચનનો શોખ આજે પણ જાળવી શકનારા રાજેક શર્મા ૧૯૬૪થી ગુજરાત સમાચારમાં કાર્યરત હતા. છેલ્લા થોડ સમયથી તેઓ ‘સંદેશ'માં ન્યૂઝ એડિટર તરીકે જોડાયા છે. તેમન સંપર્ક સંદેશની અમદાવાદની ઓફિસેથી પઈ શકશે.
જશવંત રાવલ
સંદેશ દૈનિકના એક્ઝીક્યૂટીવ એડિટર તરીકેની સુદી કારકિર્દી ધરાવનારા ઉત્તર ગુજરાતના ઉંઝાના જશવંત રાવલન જન્મ ૨૦-૭-૫ના રોજ ઊંઝામાં થયો. પ્રાથમિક શિક્ષણ ઊંઝામ થયું. પત્રકારત્વનો ડિપ્લોમાં કર્યાં બાદ 'સંદેશ'માં જોડાયા. ઘણ વર્ષોથી મહત્ત્વના હોદ્દા પર જવાબદારી સંભાળી રહ્યા છે. પ્રવાસ લેખન, સંગીત કે મિોના શોખીન જસવંત રાવલનો સંપ સંદેશના સરનામે થઈ શકશે.
મિલિન્દ માંકડ
જેમની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ પણ પત્રકારત્વ જ રહી છે. એવા મિલિન્દભાઈ અંગે જાણવું રસપ્રદ બની રહેશે. ૩૧ જાન્યુ ૧૯૪૫ના રોજ કાંચીમાં જન્મ. શરૂઆતમાં કરાંચીમાં રહ્ય ત્યારબાદ જામનગર અને પછીના વર્ષો બનારસમાં વિત્યા શિક્ષણયાત્રા બનારસથી શરૂ થઈ અને ગુજરાત યુનિ સુધ વિસ્તરી.
તેમનું ગુજરાતી, હિન્દી, અંગ્રેજી પર સારું પ્રભુત્વ છે. અખિલ ભારતીય ભાષાઈ સમાચાર સંચામાં સમાચાર ભારતી ન્યૂઝ એજન્સીમાં ૧૯૭૧માં રાજ્યના બ્યૂરોચીફ તરીકે નીમાયા કટોકટી વખતે પી.ટી.આઈ., યુ.એન.આઈ.માં અને તેમન વિલીનીકરણ બાદ 'સમાચાર' દૈનિકમાં સહાયક તંત્રી તરીકે
For Private & Personal Use Only
www.jainelibrary.org