________________
સ્વપ્ન શિલ્પીઓ
હિંમત ઝવેરી સમાજવાદમાં સમજવાદની અનિવાર્યતા સમજતા જાગૃત પત્રકાર અને હિંમતવાન હિંમતભાઈ ઝવેરીનો જન્મ ૧૪ સપ્ટેમ્બર ૧૯૨૫માં મુંબઈમાં થયો હતો. અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા–એ દિવસો આઝાદી આંદોલનનો સમયગાળો. ૪૨'ના આંદોલનમાં જેલવાસ કર્યો. આજ અરસામાં કવિશ્રી -સનદાસ માણેકના સંપર્કમાં આવ્યા અને સદાકાળ માટે તેમના બની રહ્યા. ૧૯૭૫માં ઇન્દિરાગાંધીએ લાદેલી કટોકટી વેળાએ જ્યોર્જ ફર્નાન્ડીઝ (ભૂ.પૂ. સંરક્ષણ પ્રધાન) ને આશરો આપ્યો. ભૂગર્ભ પત્રિકાઓ લખી અને સારામાં સારી રીતે ચલાવી. તેમનાં પત્ની મંજુ ઝવેરી પણ એટલાં જ હિંમતવાન. પંદર વર્ષના પરિચય પછી તેઓએ લગ્ન કર્યા.
રામમનોહર લોહિયાના સંપર્કમાં આવ્યા બાદ તેમના અનુયાયી બની રહ્યાં. એવું જ દાદા ભગવાનની સાથેના સંબંધોનું પણ થયું. અખબારી કટારલેખન માટે પ્રથમ “શેખાદમ આબુવાલા પુરસ્કાર” અને ગુજરાત સરકારનો એવોર્ડ મેળવનારા સમાજવાદી લેખક, કૉલમિસ્ટ હિંમત ઝવેરી ભારતની જાણીતી સંસ્થા (ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સ'માં ડૉ. અક્ષયકુમાર દેસાઈના આસિસ્ટન્ટ તરીકે પણ રહેલા છે. ગોવા સત્યાગ્રહમાં પણ તેમનું આગવું પ્રદાન હતું. મધુ લિમયે, મધુ દંડવતે, મૃણાલ ગોરે, કેશવ (બંડુ) ગોરે, જ્યોર્જ ફર્નાન્ડીઝ, ઉષા મહેતા જેવી સક્રિય સમાજ-લક્ષી વ્યક્તિઓ સાથે પણ સતત કરતા રહીને પોતાની સામાજિક નિસબત સૌ કોઈ સુધી પહોંચાડી છે. આજીવન સાદગીપૂર્વક રહેલા હિંમતભાઈએ પરિચયટ્રસ્ટ માટે “રામમનોહર લોહિયા’ અને “સાને ગુરુજી' નામની લઘુપુસ્તિકાઓ પણ લખી છે.
જગદીશ બિનીવાલે. પત્રકાર, લેખક, ટિકિટ સંગ્રાહક, સારા કેમેરામેન, ક્રિકેટના અભ્યાસુ, એવી અનેક ઓળખ ધરાવતા શ્રી જગદીશ બિનીવાલેને ગુજરાતી પ્રજા અખબારોના માધ્યમથી ઓળખે જ છે. ૨૩-૧૧-૧૯૪૧ના રોજ તેમનો મુંબઈ મુકામે જન્મ પણ કર્મભૂમિ તો અમદાવાદ જ. બાળવાર્તા ‘ભ' ભગલાનો ભ–બાલસંદેશમાં છપાયેલી તેમની પ્રથમ મૌલિક કૃતિ. પત્રકારત્વનું ખેડાણ કિશોરવયથી શરૂ કરેલું. કિશોરવયે તેમણે બાલદીપક', , ‘વસંતશોભા જેવાં હસ્તલિખિત માસિકો અને “સ્ટેશન રોડ સમાચાર' નામનું
૬૧૩ સાઈકલોસ્ટાઈલ્ડ પેપર બહાર પાડેલું. મુંબઈમાં સહાધ્યાયીઓની સાથે દૈનિકોમાં ફોટા પાડવાનું કામ શીખ્યા. ક્રિકેટની બાબતો અંગે વિશેષ જ્ઞાન હોવાને લીધે અનેક પુસ્તિકાઓ, ચરિત્રસંગ્રહ તેમણે બહાર પાડ્યા. અજિત વાડેકર, રમાકાન્ત દેસાઈ અને દિલીપ સરદેસાઈ તેમના શાળાજીવનના પાટલીમિત્રો. “કપિલ-ધ ગ્રેટ’ અને ‘સોહામણો ઓલરાઉન્ડર કરસન ઘાવરી તેમનાં અનેક પુસ્તકોમાંના બહુ જાણીતાં પુસ્તકો છે. ગેરી સોબર્સની મુલાકાત “મુંબઈ સમાચાર'માં છાપી અને મામા ફિલ્મજગત સાથે સંકળાયેલા હોઈ અનેક ફિલ્મી હસ્તીઓના ઇન્ટરવ્યુ જુદા જુદા દૈનિકો, સામયિકોમાં છપાવા માંડ્યા. “ચાંદની', “શ્રી’, ‘સ્ત્રી’માં તેમની કૃતિઓ, અહેવાલો, મુલાકાતો છપાતા રહ્યા છે. “ધર્મસંદેશ’ અને “રજનીશદર્શન' નું સંપાદન પણ કર્યું. દીર્ધકાલીન પત્રકારત્વ માટે તેમને ૧૯૯૪માં “સંસ્કૃતિ ગૌરવ' એવોર્ડ મળેલો છે. તેમની પ્રસિદ્ધિનું કારણ તેમની ટિકિટ-સંગ્રહ લેખનમાળા અને ક્રિકેટલેખન ગણાય છે. સંપાદક-પ્રકાશક : નાનુભાઈ નાયક
ચેતમછંદર, શેખચલ્લી, રમતારામ, અરુણોદય, પડછાયા, સુરેખા, કંકાવટી, અબિલગુલાલ જેવાં સામયિકોના સંપાદક, અનેક દૈનિકોમાં કૉલમલેખક, સામાજિક પ્રશ્નો અંગે લેખો લખનાર આશરે ૩૦ થી વધુ પુસ્તકો લખનાર નાનુભાઈ નાયક જાગૃત અને પ્રતિબદ્ધ લેખક તરીકેની ઓળખ ધરાવે છે. પ્રકાશન એ તેમનો વ્યવસાય છે. પ્રારંભિક લેખન અખંડાનંદ, નવચેતન, ચાંદની અને પ્રજાબંધુમાં છપાયું છે. તેમની પ્રથમ મૌલિક કૃતિ “ગુલામીનો વારસો' નવલકથા હતી. જેની પ્રસ્તાવના જ્યોતીન્દ્ર દવેએ લખી આપી હતી. ખેતીની સાથે લેખન-પ્રકાશન પ્રવૃત્ત રહેતા નાનુભાઈ પોતાની પરિસ્થિતિ, કાંઠાની ખારી જમીન, આવળ-બાવળ, કમબુદ્ધિ મજૂરો, મુંબઈની અંધારી આલમ અને પોતાના ખેતરમાં કામ કરતા કોશિયાને પોતાની પ્રેરણામૂર્તિ માને છે. છેવાડાના લોકોની રોજિંદી કડવી વાસ્તવિકતાઓને પ્રકાશક-લેખક-સંપાદક નાનુભાઈએ અવારનવાર વાચા આપી છે. ભગવતીકુમાર શર્મા, ચંદ્રકાન્ત બક્ષી, લાભશંકર ઠાકર સાથેનો તેમનો લેખકપ્રકાશક સંબંધ કેટલીક બહુચર્ચિત કૃતિઓના આવિર્ભાવ માટે જવાબદાર બન્યો છે. આધુનિક વાર્તાકાર જનક નાયક તેમના પુત્ર છે.
ગ્રહો સાઈના
જય મ
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org