________________
સ્વપ્ન શિલ્પીઓ
નિર્ભેળ લખવાની મથામણ તેમણે સાચા અર્થમાં સમજાવી અને જીવી પણ બતાવી. તેમણે ‘૭૫-૭૬ ની પ્રિન્સેસરશીપને જરાય માન્ય રાખી ન હતી. ઇમરજન્સીના એ દિવસોમાં પ્રકાશિત થયેલી ભૂગર્ભપત્રિકાઓ અને ‘સાધના' સામયિકના ઘણા લેખો તેમણે લખ્યા હતા. ૧૯૬૭માં વિષ્ણુ પંડ્યા તેમની સાથે ન જોડાયા તેનો સુંદર પ્રતિભાવ તેમણે આપ્યો હતો. જેમાં તેમની પત્રકારત્વની શૈલી અને પ્રકાર અંગેની સ્પષ્ટતા હતી. તેમણે વિષ્ણુ પંડ્યાને લખ્યું, “ખાલી વ્યવસાય તરીકે જ નહીં પરંતુ પરિવર્તનની ઇચ્છા સાથેના મિશન તરીકે પત્રકારત્વમાં પ્રવેશ કરવો વિરલ છે. આવો આદર્શ મેં પણ જુવાનીમાં સેવ્યો હતો. તમે જ્યાં જશો કે રહેશો ત્યાં શબ્દ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાના એની પ્રતીતિ થઈ છે એટલે, ‘વિષ્ણુ’માં હવે ‘વાસુદેવ’ ને જોતો રહીશ...........
......તેઓ જ્યોતિષ પણ સારું જોઈ શકતા. તેમણે બળવંતભાઈ શાહને કહ્યું હતું કે, ‘હું મને ૧૯૯૧ પછી દેખાતો નથી.’ તોય ૧૯૯૨ પછી પૂરાં ચાર વર્ષ તેઓ જીવ્યા.
અમદાવાદમાં પત્રકારોનું યુનિયન સ્થાપવામાં તેમનો મુખ્ય ફાળો હતો. એ વખતની સ્થિતિ એવી હતી કે કોઈ યુનિયન કરવાની હિંમત ન કરે. છતાંય તેમણે એ કર્યું. પત્રકારોના વેતનપંચ સમક્ષ પત્રકારોની માંગણી અંગેનું આવેદનપત્ર ઘડવામાં એમનો મુખ્ય ફાળો છે. પત્રકારો અને માલિકો વચ્ચે જ્યારે પણ વિખવાદો થયા છે ત્યારે તેઓ હંમેશા પત્રકારોના પક્ષે રહ્યા છે.
પત્રકાર તરીકે તેમને શેખઆદમ આબુવાલા સમેત વિવિધ ચંદ્રકો મળ્યા હતા, પણ ‘ચિત્રલેખા' તરફથી તેમનું જે સન્માન થયું અને હરિકસન મહેતાએ તેમની જે આગતાસ્વાગતા કરી માન આપ્યું તેનો તેમને સવિશેષ આનંદ થયો હતો. તેમણે પોતાના એ સન્માનને પત્રકારત્વના દાદાસાહેબ ફાળકે એવોર્ડ સાથે સરખાવ્યો હતો.
જીવનના છેલ્લા દિવસોમાં પણ પત્રકાર તરીકે તેઓ કાર્યરત હતા. ગુજરાત અને મુંબઈમાં તેમનો વિશાળ વાચક વર્ગ ઊભો થયો હતો. ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસમાં તેમનું સ્થાન અનોખું છે, અચળ રહેશે. ‘અલ્પવિરામ’થી જાણીતા વાસુદેવભાઈ જીવનના પૂર્ણવિરામ સુધી કામ કરતા રહ્યા, એ જ તેમની નિસબત અને એજ તેમનો આપણને સૌને સંદેશ.
Jain Education Intemational
૬૧૧
શ્રી બળવંતરાય શાહ
વિદ્યાર્થીઓ અને પત્રકારોમાં પ્રિય એવા શ્રી બળવંતરાય શાહનો જન્મ તા. ૨૮-૯-૧૯૨૨ના રોજ અમદાવાદમાં થયો હતો. ઉછેર, શિક્ષણ અને કારકિર્દી ત્રણેય અમદાવાદમાં જ થયાં. શ્રી રઘુવીર ચૌધરી નોંધે છે કે, ‘તેમનામાં અમદાવાદીનું એકેય લક્ષણ નથી.' નિખાલસ વ્યવહાર કરનાર શ્રી બળવંતભાઈ વિદ્યાની કદર કરનારા, પત્રકારત્વના શિક્ષણની ચિંતા કરનારા અને એ જ રીતે સમાજ અને દેશના પ્રશ્ન નિસબત ધરાવનાર અગ્રણી નાગરિક છે.
બળવંતભાઈએ બી.એ. ગુજરાતી, અંગ્રેજી સાથે કર્યું અને એમ.એ.માં અર્થશાસ્ત્ર વિષય લઈને અભ્યાસ કર્યો પણ કામે લાગી જતાં પરીક્ષા ન આપી. ૧૯૪૨ના એપ્રિલમાં તેમનું પદ્માબહેન સાથે લગ્ન થયું. ચાર જ મહિનામાં પિતા ગુમાવ્યા અને ઑગષ્ટમાં ‘હિંદ છોડો'ની ચળવળમાં ભાગ લેવાને કારણે સપ્ટેમ્બરમાં જેલમાં જવું પડ્યું. ૧ વર્ષ પૂરો જેલવાસ. ૧ વર્ષ પછી છૂટ્યા. ગાંધી ચીંધ્યા માર્ગે ચાલ્યા અને લગ્નજીવનને કસોટીની એરણે ચડાવી જેલવાસ ભોગવ્યો એનું પતિ-પત્નિ ઉભયને ગૌરવ છે.
પત્રકારત્વના શિક્ષણમાં પણ બળવંતભાઈ એટલો જ રસ લે છે. ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ, નવગુજરાત મલ્ટીકોર્સ ઇન્સ્ટીટ્યૂટ, આર. એ. ભવન્સ કૉલેજ અને હીરામણિ ઇન્સ્ટીટ્યૂટ ઑફ જર્નાલિઝમમાં તેઓ મુલાકાતી અધ્યાપક તરીકેની સેવાઓ આપે છે.
૧૯૪૮માં ૨૬ વર્ષની ઉંમરે ગુજરાત સમાચારમાં તેઓ પત્રકાર તરીકે જોડાયા. ૧૯૬૫માં અન્ય પત્રકારોની જેમ તેમણે પણ ‘ગુજરાત સમાચાર’ છોડ્યું અને ‘સંદેશ’માં આવ્યા. ત્યારથી માંડીને નિવૃત્ત થયા ત્યાં સુધી ‘સંદેશ' સાથે જ રહ્યા. સતત પ્રવૃત્તિશીલ રહેવાના સંસ્કારને લીધે આજે ૮૨ વર્ષે પણ બળવંતભાઈ સક્રિય છે. ‘સંદેશ’, ‘દિવ્યભાસ્કર’, ‘ગુજરાત ટાઈમ્સ' જેવા દૈનિકમાં તંત્રીલેખ લખે છે.
બળવંતભાઈનું કહેવું છે કે, ઉત્પાદન, મૂડીરોકાણ, રોજગારી, ખરીદી, વેચાણ અને ભાવો દ્વારા જ આર્થિક સત્તા ભોગવવામાં આવતી નથી બલ્કે પ્રચારનાં જે સાધનો છે તેના ઉપર કાબૂ મેળવીને પણ આ સત્તા ભોગવવામાં આવે છે. પ્રચારના આ સાધનોમાં સૌથી મહત્ત્વનું સાધન છે વર્તમાનપત્ર. એટલે જ વર્તમાનપત્રો અને મોટા મૂડીપતિઓ વચ્ચે જોડાણ
For Private & Personal Use Only
www.jainelibrary.org