________________
૬૦૪
ભગવતીકુમાર શર્મા એક વિશિષ્ટ સંવેદના-ચેતના અને અભિવ્યક્તિના અધિષ્ઠાતા છે. જેટલા તેઓ સાહિત્યકાર તરીકે સ્થાપિત, અધિકૃત છે એટલા જ પત્રકાર, કૉલમલેખક તરીકે પણ. નવલિકા, નિબંધ, વિવેચન, કવિતા ઉપરાંત સાહિત્યની અન્ય વિદ્યાઓમાં પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ‘અસૂર્યલોક’ અને ‘ઉર્ધ્વમૂલ' જેવી ઉત્તમ નવલકથાઓ દ્વારા તેઓ સાહિત્યના ક્ષેત્રમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા હતા. સોનેટ, ગીત, ગઝલ, છાંદસ અને અછાંદસ રચનાઓ પણ તેમણે આપી છે. તેમની અન્ય જાણીતી કૃતિઓમાં ‘આરતી અને અંગાર', ‘સમયદ્વીપ', ‘વ્યર્થ ફડકો’, ‘છળ બારાખડી', શબ્દાતીત, બીસતંતુ, પરવાળાંની લિપિ, હૃદયસરસાં વગેરેનો સમાવેશ થાય છે.
તેમના કાવ્યો પરંપરા અને આધુનિકતાના સમન્વય જેવાં છે. અન્ય સંપાદકોએ તેમના કાવ્યસંગ્રહોને સંપાદિત કર્યા છે. તેમણે વિવેચન, ગઝલ ક્ષેત્રે પણ અધિકૃત ગ્રંથો આપ્યા છે.
છેલ્લા પચ્ચીસ વર્ષનું ગુજરાતી પત્રકારત્વ' એ તેમનાં તંત્રીલેખોનો સંગ્રહ છે. તેમને સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે પ્રદાન બદલ દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા ડી. લીટ (ડૉક્ટર ઑફ લેટર્સ)ની માનદ્ ડિગ્રી એનાયત કરી છે. તેમને મળેલા પુરસ્કારો, એવોર્ડની યાદી ઘણી લાંબી છે. તેમાં પત્રકારત્વના એવોર્ડ તેમની નિર્ભિકતા, સત્યપ્રિયતા માટે છે તો સાહિત્યના એવોર્ડ સંવેદના, ઋજુતા માટે મળ્યા છે. તેમણે વિદેશપ્રવાસ કરેલા છે. વ્યવસાયી પત્રકારત્વમાંથી નિવૃત્ત થયા બાદ ‘ગુજરાત મિત્ર’માં તેઓ સક્રિય છે. જન્મભૂમિ’, ‘પ્રવાસી’, ‘મુંબઈ સમાચાર’, ‘સમકાલીન’, ‘સમાંતર’, ‘જોગ-સંજોગ’ વગેરે દૈનિક પત્રપત્રિકાઓમાં નિયમિત કટારલેખન કરે છે. મહાદેવભાઈ દેસાઈ
મહાત્મા ગાંધીના અંતેવાસી રહસ્યસચિવ મહાદેવ હિરભાઈ દેસાઈ ગુજરાતી પત્રકારત્વની દિશા બદલનારું અને ગાંધીયુગના પત્રકારત્વને પ્રસ્થાપિત કરનારું પ્રભાવક પરિબળ છે. તેઓ ચરિત્રાત્મક સાહિત્ય અને પ્રયોગધર્મી લેખક તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. ગાંધીજી સાથે જોડાયા પછી તેમણે ડાયરીઓ લખવાની શરૂઆત કરી જે થોડાક અપવાદો બાદ કરતા સતત ચાલુ રહી હતી.
મહાદેવભાઈ એટલે સધિત સાક્ષર, સંસ્કારી પત્રકાર. ૧૯૦૯ના ‘નવજીવન'ના પહેલા અંકથી તેઓ તેની સાથે
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ સંકળાયેલા રહ્યા. પ્રસંગોપાત્ત તેના સંપાદક,તંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી. મોતીલાલ નહેરુના આમંત્રણથી તેઓ ‘ઇન્ડિપેન્ડન્ટ’ના તંત્રી બન્યા. ૧૯૩૧થી ‘યંગ ઇન્ડિયા’નું સફળ સંચાલન, સંપાદન કર્યું. તેમણે તમામ ‘હિરજનપત્રો’ને પોતાના સ્પર્શથી આગવું સ્વરૂપ આપ્યું.
તેમણે આજીવન લેખન, સંપાદન, સંકલન અને અનુવાદો કરી ગુજરાતની પ્રજાને ન્યાલ કરી દીધી. મણિલાલ નભુભાઈ દ્વિવેદી (અમર આશા)
જેમની કઈ ઓળખાણ સૌથી વધુ મજબૂત છે? એ અંગે વારંવાર ચર્ચાઓ થતી હોય એવા શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીની સાહિત્ય અને પત્રકારત્વનાં બહુવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ છે. ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે' એ પંક્તિથી સાહિત્ય જગતમાં પોતાનો સીમાસ્તંભ રોપનાર મણિલાલભાઈએ ૩૯-૪૦ વર્ષના કુલ આયખામાં ૮૦ જેટલા ગ્રંથોનું સર્જન કર્યું. કવિ તરીકે વધુ જાણીતા એવા મણિલાલભાઈ નિબંધકાર, નાટ્યકાર, ભાષ્યકાર, પત્રકાર અને સંપાદક પણ હતા.
‘પ્રિયવંદા’ અને ‘સુદર્શન' નામનાં સામયિકો તેમણે હોશભેર શરૂ કર્યાં અને હિંમતપૂર્વક, ખૂબ ઝઝૂમીને પણ ઘણાં વર્ષો સુધી ચાલુ રાખ્યાં. પાંડિત્યપ્રચૂર ભાષા હોવાને લીધે મહિલાઓને અને મણિલાલભાઈના ચાહકોને પણ વાંચવામાં અઘરું પડતું હતું. તેમ છતાં મણિલાલભાઈનો આગ્રહ રહેતો કે સૌ કોઈની ભાષા સુધરતી જાય અને સમૃદ્ધ થતી જાય. આ કારણસર તેઓ પોતાની શૈલી અને વિષયપસંદગી અંગે ખુલાસા કરતા નહીં અને સુદૃઢ લેખન કરતા રહ્યા. બંને સામયિકોનો બહોળો વાચકવર્ગ હતો.
‘કાન્તા’તેમજ ‘નૃસિંહઅવતાર’તેમની જાણીતી નાટ્યકૃતિઓ છે. તેજ રીતે ‘સિદ્ધાંતસાર’ અને ‘પ્રાણવિનિમય’ ગ્રંથમાં તેમની વિદ્વતા, મેધા અને પ્રતિભાશીલ તત્ત્વોના દર્શન થાય છે અને આ ગ્રંથોમાં તેમણે હિંદુધર્મતત્ત્વને તેમજ યોગદર્શનને સમજાવી આપ્યું છે' એવું સાહિત્યક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે. તેમણે ‘બાળવિલાસ’ ને ‘સુદર્શન ગદ્યાવિલ' નામના ઉત્તમ નિબંધો આપેલા છે. ‘ગુપ્તવિદ્યા’ને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી ‘ગુલાબસિંહ' નામની નવલકથા પણ એટલી જ જાણીતી છે. શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું ‘આત્મવૃત્તાંત’
For Private & Personal Use Only
www.jainelibrary.org