________________
સ્વપ્ન શિલ્પીઓ
ગુજરાતી સાહિત્યમાં હલચલ મચાવનારું બની રહ્યું. પંડિતયુગની આત્મકથાઓમાં એ શ્રેષ્ઠ છે. સંસ્કૃત મહાકવિ ભવભૂતિનાં ત્રણ નાટકો ‘માલતીમાધવ', ‘ઉત્તરરામચરિત’અને ‘મહાવીર ચિરત'નાં તેમનાં રૂપાંતરો પણ જાણીતાં છે.
સાહિત્ય અને પત્રકારત્વનો સંગમ
મોબેદ ફરદુનજી મર્ઝબાન (૧૭૮૭થી ૧૮૪૭)
ગુજરાતી ભાષાનું પ્રથમ અને આજે પણ પ્રગટ થતાં હોય એવાં દૈનિકોમાં એશિયા ખંડમાં પ્રથમ નંબરે અસ્તિત્વ ધરાવતું અને હજુયે સફળતાપૂર્વક ચાલુ રહેલ અખબાર એટલે ‘મુંબઈ સમાચાર’.
આ અખબારના આદ્યસ્થાપક એટલે ફરદુનજી. ગુજરાતી પત્રકારત્વના આદ્યસ્થાપક. કુટુંબની સ્ત્રીઓ અને સર્વે સભ્યોએ ભેગાં મળીને ગુજરાતીભાષાનાં બીબાં બનાવ્યાં અને ગુજરાતી ભાષાના આદિ મુદ્રક, પ્રકાશક, લેખક, સંપાદક, અનુવાદક અને મરજીવા પત્રકાર એટલે આપણા ફરદુનજી.
ફરદુનજીનો જન્મ સુરતમાં થયો હતો. પિતા પાસેથી તેમને ધર્મનું શિક્ષણ મળ્યું. તે ઉપરાંત ગુજરાતી, ફારસી ભાષાનું શિક્ષણ પણ પિતાજી પાસે જ થયું. પંડિતો પાસેથી તેઓ સંસ્કૃત શીખ્યા અને હકીમ પાસેથી વૈદક શીખ્યા. ૧૮૦૫માં એક લગ્નપ્રસંગે તેઓ મુંબઈ ગયા અને મુંબઈના જ થઈને રહી ગયા. બૂકબાઇન્ડના વ્યવસાયમાં અને પછીનાં વર્ષોમાં કાસ્ટિંગના વ્યવસાયમાં ઝુકાવ્યું. એ દરમ્યાન જ તેમણે ગુજરાતી ટાઇપ પાડ્યા અને ‘શ્રી મુંબઈના સમાચાર' નામે પ્રથમ ગુજરાતી અખબારની શરૂઆત કરી.
દસ વર્ષમાં તેમણે ઘણું માન અને ધન એકઠું કર્યું. પારસીઓના બે જૂથમાં કોઈ કારણોસર ઝગડો થયો હોવાને કારણે તેઓ ‘મુંબઈ સમાચાર' સહિત બધું જ છોડીને દમણમાં સ્થાયી થયા. નવા તંત્રીને માર્ગદર્શન આપતાં લખ્યું હતું કે, “સમાચારની ભાષા ગુજરાતીભાષા જેવી લખાય છે તેવી લખવાનો જ ચાલ રાખવો......કે જેથી પારસી હિંદુ સહુની સમજમાં આવે.”
અંતિમ દિવસોમાં તેમણે દમણમાં દવાખાનું શરૂ કરી પુસ્તકો છાપ્યાં, વૈદિક જ્ઞાનથી મફત સારવાર કરી પણ ફરી મુંબઈમાં ક્યારેય પગ ન જ મૂક્યો.
Jain Education International
૬૦૫
મહાત્મા ગાંધીનું પત્રકારત્વ. ગાંધીજી હિંદમાં ૧૯૧૫માં આવ્યા. ૧૯૧૫માં ઇન્દુલાલ યાજ્ઞિકે ‘નવજીવન અને સત્ય' દ્વારા સ્વતંત્રતા અને સમાજના પછાત વર્ગના લોકોના ઉત્કર્ષ માટે પ્રયત્ન કર્યો હતો. ઇન્દુચાચાએ ગાંધીજીને ‘નવજીવન અને સત્ય'નું સુકાન સંભાળવા કહ્યું. ગાંધીજીએ તેનું નામ માત્ર ‘નવજીવન’ રાખ્યું અને ૧૯૧૯થી તેનો કાર્યભાર સંભાળ્યો. ગુજરાતી ભાષાના પત્રકારત્વને તેના હોવાપણાનો અર્થ સમજાયો, જાણે કે એક નવા યુગના મંડાણ થયા.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપીનિયન’ અને ભારત આવીને ‘યંગ ઇન્ડિયા', ‘નવજીવન' અને ‘હિરજન’ અને ‘હિરજનબંધુ' જેવા વિચારપત્રો ચલાવ્યાં. એમાં કેળવણી, અસ્પૃશ્યતા, ખાદી, સ્વદેશી, કોમી એકતા, ગ્રામોદ્યોગ વગેરે વિષયો પર લખ્યું. જાહેરખબર લીધા વિના અનેક વર્ષો સુધી આ સામયિકો ચલાવવાં અઘરાં હતાં તેમ છતાં ઘણાં વર્ષો સુધી તેને કોઈને કોઈ રીતે આર્થિક પીઠબળ મળતું રહ્યું.
ગાંધીજીના પત્રકારત્વની વિશેષતા એ તેમની ગુજરાતી ભાષા. ગાંધીજીની ગુજરાતી ભાષાએ ગુજરાતી ભાષાને એક નવી શૈલી આપી. ‘ગાંધીયુગીન પત્રકારિત્વ’ એવી સંકલ્પના આપી. સામાન્યમાં સામાન્ય માણસ પણ સમજી શકે એવી સાદી, સરળ, ટૂંકા વાક્યોવાળી ચોટદાર શૈલીમાં તેમણે ગુજરાતીમાં, હિન્દીમાં અને અંગ્રેજીમાં લખ્યું. તત્કાલીન ગુજરાતી ગદ્ય ઉપર ગાંધીજીના લખાણોની અને તેમની જેમ, તેમના જેવું લખવું–આ બધી બાબતોની એક ચોક્કસ અસર હતી.
લોકો સુધી પહોંચવા, લોક કેળવણીના માધ્યમ તરીકે અને સાધન તરીકે ગાંધીજીએ પત્રકારત્વનો જે ઉપયોગ કર્યો તે ભાગ્યે જ કોઈએ કર્યો હશે. તેમના પત્રો તત્કાલીન સમયમાં માહિતીના આદાનપ્રદાનનું આધુનિકતમ સાધન હતાં અને ગાંધીજીએ તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કર્યો હતો.
સકલપુરુષ રમણભાઈ નીલકંઠ
નાટ્યકાર, નિબંધકાર, વિવેચક રમણભાઈ નીલકંઠના સાહિત્યનાં વિવિધક્ષેત્રોના પ્રદાનથી ગુજરાતની તત્કાલીન અને હાલની પ્રજા ન્યાલ થઈ ગઈ છે એવું તેમના વિશેનાં લખાણોમાંથી જાણવા મળ્યું છે. ‘રાઈનો પર્વત' જેવી એક
For Private & Personal Use Only
www.jainelibrary.org