________________
૬૦૨
૧૯૧૪ના ૧૦મી મે ના રોજ ગુજરાતી ‘ગ'નો આરંભ થયો. પીળા કાગળ પર એ છપાયું હતું. ‘ક્રાંતિના પ્રચારાર્થે વિના મૂલ્યે વિતરણ' એવી ઘોષણા તેની પર હતી. ભારતીય ભાષા પરત્વેનો પ્રેમ આ સામયિકના એક લખાણમાંથી સ્પષ્ટ થતો હતો. જે મુજબ,‘દુનિયાના ઇતિહાસમાં કોઈપણ કાર્ય પુરું થયું હોય તો તે તેની પ્રાદેશિક ભાષાઓને આધારે, નહીં કે વિદેશી ભાષાથી.' આ પત્રો જપ્ત થયાં તો ભારતીયોની વચ્ચે ખુદ જર્મન લશ્કરે વહેંચ્યા. છગન ખેરાજ વર્માએ ‘કોમાગાટા મારુ' નામનું જાપાની જહાજ ખરીદ્યું અને ભારતીય વસાહતીઓને લઈને કાનૂની લડાઈ અનેક વર્ષો સુધી લડ્યા. વાનકુંવર બંદરે બે મહિના સુધી જહાજ પર સૌને રાખવા સહેલી વાત નો'તી. હાર્યા અને પાછા વળવું પડ્યું પણ પોતે મનથી હાર્યા નહીં. ‘ગદ્ર’ પ્રવૃત્તિના ઇતિહાસમાં પછીના વર્ષોમાં તેમનું યોગદાન ક્યાંય નોંધાયેલું જોવા મળતું નથી. ‘ગદ્’નો ઇતિહાસ પ્રખ્યાત પત્રકાર ખુશવંતસિંહે લખ્યો છે. પછીના વર્ષોમાં ‘ગદ્’ પ્રવૃત્તિમાં શીખોનું અને પંજાબીઓનું વર્ચસ્વ વધારે રહ્યું હતું. હોપકિન્સનની હત્યાના પ્રકરણમાં તેમની ધરપકડ થઈ. તેમને કેનેડાથી બર્મા લઈ જવાયા. શક્ય છે કે ત્યાં જેલમાં કે જેલબહાર તેમને ફાંસીએ દેવાયા હોય, ગોળીએ દેવાયા હોય. શક્ય છે કે આપણા છગન ખેરાજ વર્મા ઉર્ફે હસન રહીમે પણ આવી જ રીતે શહાદત વહોરી હોય. આજે આપણી પાસે તેમની કોઈ યાદગીરી નથી.
પત્રકાર દેસાઈ નીરુભાઈ (૧૯૧૨–૧૯૯૩)
મધ્યમવર્ગીય બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં જન્મેલા નીરુભાઈ દેસાઈ વિદ્યાર્થીકાળથી નેતા તરીકે સક્રિય હતા. શરૂઆતના વર્ષોમાં સામ્યવાદથી અંજાયેલા હતા પણ પછીના વર્ષોમાં ગાંધી વિચારસરણીથી અભિભૂત થયા હતા.
આઝાદી આંદોલનની તમામ ચળવળોમાં અગ્રણી તરીકે જોડાયા અને યુવાનો માટેની વિવિધ તાલીમ શિબિરોનું આયોજન સંચાલન કર્યું હતું.
અમદાવાદમાં ‘રંગમંડળ’ની સ્થાપના કરીને નાટ્યપ્રવૃતિનો વિકાસ કર્યો હતો. ‘હિંદ છોડો' આંદોલનમાં જોડાયા અને દોઢ વર્ષ કારાવાસ ભોગવ્યો હતો. આ ઘટનાને કેન્દ્રમાં રાખીને તેમણે ‘ઘુવડ બોલ્યું’ નવલકથા લખી.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ તેઓ વ્યવસાયે પ્રયોગશીલ અને દૃષ્ટિવંત પત્રકાર હતા. ૧૯૩૯માં રેખા' સામયિકમાં જોડાયા અને ૧૯૪૫થી લોકપ્રકાશન લિમીટેડના ગુજરાત સમાચાર’માં જોડાયા. ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં ‘સોદાગર' ઉપનામથી તેઓ આર્થિક સમીક્ષા લખતા. ગુજરાતી પત્રકારત્વમાં તેમને આર્થિક પત્રકારત્વના પ્રણેતા કહેવામાં આવે છે.
‘વ્યાપાર’સાપ્તાહિકમાં અનેક વર્ષો સુધી તેમણે અર્થતંત્રને લગતા લેખો લખ્યા. ‘ગુજરાત સમાચાર'ના સાંધ્ય દૈનિક ‘લોકનાદ’ના ગુજરાતી ડાયજેસ્ટ ‘શ્રીરંગ' માસિકના તથા ફિલ્મસાપ્તાહિક ‘ચિત્રલોક’ના તંત્રી તરીકે કામગીરી બજાવી તે તમામ સામયિકને આગવો ઓપ આપ્યો. ગુજરાતી પત્રકારત્વમાં તેમણે રાજકારણ ઉપરાંત કલા, સાહિત્ય, સંસ્કૃતિ, રમતગમત, પર્વતારોહણ વગેરે વિષયોને સ્થાન આપવા સહિત અનેક નવા કટારલેખકોની પેઢીને તૈયાર કરી હતી. ‘ગુજરાત સમાચાર'ની ‘વાસરિકા' કૉલમ મારફતે તેમણે ગુજરાતની ઓછી જાણીતી ઘટનાઓ અને ઓછી જાણીતી વ્યક્તિઓ અંગે લખાણો લખીને લોકોને માહિતગાર કર્યા હતા. ગુજરાતી પત્રકારત્વના નિર્ભીક પત્રકારોની પેઢીમાં તેઓ અગ્રેસર પત્રકાર ગણાય છે.
બચુભાઈ રાવત ‘કુમાર'
ગુજરાતી પત્રકારત્વમાં જેમ હાજી મહંમદને યાદ કરીએ તેમ હાજી પાસે કેળવાયેલાં લોકો અને હાજીના રસ્તે ગુજરાતી પ્રજાને સંસ્કારી અને સુંદર સામયિકો, લખાણો, તસવીરો આપવાની નેમ ધરાવતા પત્રકારોમાં ‘કુમાર’ના તંત્રી બચુભાઈ રાવતને અવશ્ય યાદ કરવા પડે. સતત સક્રિય, સાહિત્યિક શૈલીમાં લેખોનું સંપાદન, લેખનની ફાળવણી, વાચકો સાથેનો ગાઢ નાતો અને શ્રેષ્ઠ પત્રકારત્વનો દાખલો બેસાડવા માટેનો પુરુષાર્થ એટલે ‘કુમાર’ના બચુભાઈ રાવત. ગાંધીયુગના આ પત્રકાર તેમના સમયથી ઘણું આગળ જોઈ શકતા. ‘કુમાર’ સામયિક અંગે તેમના મનમાં એક ચોક્કસ નકશો તૈયાર રહેતો. એ દિવસોમાં એવું કહેવાતું કે, “કુમાર’માં છપાય એ કોઈ ચંદ્રક મળ્યા બરાબર કહેવાય.” બચુભાઈ રાવતે ગુજરાતની પ્રજાને સાહિત્ય મારફતે સંસ્કારસૂચિ આપવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ૧૯૨૪થી ૧૯૪૨ દરમ્યાન રવિશંકર રાવળ સાથે સહતંત્રી તરીકે અને ૧૯૪૩થી ૮૦ દરમ્યાન તંત્રી તરીકે કુશળ કામગીરી બજાવી હતી. ૧૯૩૦માં તેમણે ‘બુધસભા’ની સ્થાપના કરી હતી, જેણે અનેક નવોદિત
For Private & Personal Use Only
www.jainelibrary.org