________________
૬૦૧
સ્વપ્ન શિલ્પીઓ વિશાળ ફલક પર પ્રદાન કર્યું છે. અને તેથી જ તેઓ યુગપ્રવર્તક કહેવાયા છે. ગુજરાતી પદ્યને અનેક કાવ્યો, અનેક મહાકાવ્યો અને સદાબહાર ગીત “જયજય ગરવી ગુજરાત' આપનાર નર્મદની ગદ્યક્ષેત્રે પણ એટલી જ મોટી સિદ્ધિ છે. નર્મદનું નિબંધકાર, તત્ત્વચિંતક, વિવેચક, ચરિત્રલેખક, ઇતિહાસકાર તરીકેનું બહુમૂલ્ય પ્રદાન છે. ૧૮૬૬માં લખેલી પણ ૧૯૩૪માં શતાબ્દી પ્રસંગે પ્રગટ થયેલી આત્મકથા “મારી હકીકત' ગુજરાતી ભાષાની પ્રથમ અધિકૃત અને શાસ્ત્રીય આત્મકથા ગણાય છે. નર્મદની રચનાઓએ અને અભ્યાસી લખાણોએ તેમને શાસ્ત્રકાર તરીકે સ્થાપિત કર્યા છે.
નર્મદે મુંબઈથી સુરત આવીને ૧૫૧–પરમાં એટલે કે તેમની ૧૯ વર્ષની વયે “સ્વદેશ હિતેચ્છુ' નામની સંસ્થાના ઉપક્રમે “જ્ઞાનસાગર' નામનું સાપ્તાહિક શરૂ કરેલું. પણ એ ઝાઝું ન ચાલતાં ૧૮૬૪માં ૩૧ વર્ષની વયે 'ડાંડિયો' નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. ‘ગાંઠનો ખરચ કહાડવો પડશે તેમ છતાં સ્પેક્ટટર જેવું લખાણ કહાડવું તો ખરું” એ નર્મદની પ્રતિજ્ઞા હતી. નુકશાન વેઠીને પણ તેમણે પાંચ વર્ષ 'ડાંડિયો’ ચલાવ્યું. પોતાના લખાણો મારફતે જોશ અને પ્રાણ પ્રગટાવનાર નર્મદ નિખાલસતા, સચ્ચાઈ, નિર્ભયતા અને પૂર્ણ ગંભીરતાથી પત્રકારત્વની પ્રવૃત્તિ જીવનના થોડા કાળમાં કરી.
દેસાઈ નારાયણ મહાદેવ પત્રકાર, સ્વાતંત્ર્યસેનાની મહાદેવ દેસાઈના પુત્ર અને ગાંધીજીના ખોળામાં રમવાનું જેમને સદ્ભાગ્ય સાંપડ્યું હતું તેવા શ્રી નારાયણભાઈ દેસાઈને હાલમાં જ સાહિત્યના ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન મૂર્તિદેવી એવોર્ડ ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવ્યો છે.
તેમણે ભૂદાન આંદોલનમાં ભાગ લીધો હતો અને જમીનવિહોણા લોકો માટે ઘણી જમીન સંપાદિત કરી હતી.
અહિંસા, યુવાનેતાગીરી, ભૂખમરો અને શાંતિ જેવા મુદ્દે તેમણે વિશ્વની અનેક જાણીતી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનું કર્મક્ષેત્ર શરૂઆતના વર્ષોમાં ઉત્તરભારત અને તેમાંય ખાસ કરીને યુ.પી., બિહાર રહ્યું. ૧૯૭૫માં કટોકટી લદાઈ તે દરમ્યાન તેમણે અનેક લેખો લખ્યા અને જનમત ઊભો કર્યો. તેમણે ચાર મહત્વની પુસ્તિકાઓ ‘સરમુખત્યારશાહીને સમજીએ', “કોંગ્રેસજનોં કો ખુલ્લાપત્ર', “અહિંસક પ્રતિકાર, - “અહિંસક પ્રતિકારની
પદ્ધતિઓ' પ્રગટ કરી હતી. તેમના જાણીતા પુસ્તકો સંત સેવતા સુકત વાધે’ને ગુજરાત સરકારે તથા “મારું જીવન એજ મારી વાણી' ભાગ ૧ થી ૪ને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કૃત કર્યા છે. હાલમાં તેઓ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ છે. છગન ખેરાજ વમનિ (ગદર) અને
વિદેશી ગુજરાતી પત્રકારો.
ગાંધીજીના જન્મના ચાર વર્ષ પહેલાં પોરબંદરમાં જ ૧૮૬૫માં છગન ખેરાજ વર્માનો જન્મ થયો હતો. અમેરિકામાં તેમણે ‘ગદ્દર' બહાર પાડ્યું તે દરમ્યાનની કથા એટલે વિદેશમાં થયેલા ગુજરાતી પત્રકારત્વની ગાથા. ભારતમાં આઝાદી આંદોલનની કથા જેટલી રસપ્રદ છે એટલી જ વિદેશમાં વસેલા ભારતીયો દ્વારા ભારતના આઝાદી આંદોલનની કથા રસપ્રદ છે. લંડન અને પેરિસમાં જેમ શ્યામજી કૃષ્ણ વર્માની પ્રવૃત્તિઓ અને પત્રકારત્વએ આઝાદી આંદોલનને બળ પૂરું પાડ્યું તેમ અમેરિકામાં ‘ગદ્દ” ચળવળના પ્રણેતા હુસેન રહીમ ઉર્ફે છગન ખેરાજ વર્માએ આઝાદી આંદોલનની વાતને પ્રસરાવી હતી.
૧૯૧૪ના મે મહિનામાં સાનફ્રાન્સીસકોમાંથી ગુજરાતી ભાષામાં પત્ર નીકળ્યું ‘ગદ્'. તેના તંત્રી છગન ખેરાજ વર્મા ઉર્ફે હુસેન રહીમ. ૧૪ જાન્યુ, ૧૯૧૦ના રોજ તેઓ અમેરિકાના વાનકુંવર પહોંચ્યા અને અસ્તિત્વ સંઘર્ષ શરૂ થયો. ૧૮૫૦ પછીના વર્ષોમાં ચીન, સિંગાપુર, મલાયા, હોંગકોંગ, બ્રહ્મદેશના લોકો ચીની લોકોની સલાહથી વધુ કમાણી માટે કેનેડા ગયા. જેમાં પંજાબીઓ બહુ મોટી સંખ્યામાં હતા. ત્યાંની પ્રજા ‘કાળા ભારતીયો’ને સાંખી શકે તેમ જ નહોતી તેથી ૧૯૧૧માં ભારતીયોનું આગમન પ્રતિબંધિત કરાયું. કેટલાંક લોકો ફિલિપાઈન્સ થઈને અમેરિકા પહોંચ્યા અને પોતાનું સ્થાયીત્વ અને તે અંગેના અધિકારો મેળવ્યા. હુસેન રહીમ ઉર્ફે છગન ખેરાજ વર્મા આ બધી પ્રવૃત્તિમાં જોડાતા ગયા. તેમના પૂર્વસૂરિઓએ “ફ્રિ હિન્દુસ્તાન', “સ્વદેશી સેવક’, ‘ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ’, ‘વંદે માતરમ્’ જેવાં અખબારો શરૂ કર્યા હતાં. લાલા હરદયાલ સાથે જોડાઈને ઔદ્યોગિક મજૂરો માટે કામ કરવાનું નક્કી થયું. ખૂબ મોટા પાયે વિતરણ કરી શકાય તેવી પ્રકાશન યોજના બનાવાઈ અને “
ગપત્રો’ના નિર્માણની યોજના અમલમાં મુકાઈ. પેશાવરી ઉર્દૂ, ગુરુમુખી હિન્દી અને ગુજરાતીમાં “ગધ્રપત્રો' બહાર પડવા લાગ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org