________________
чсо
ગામડે અને પ્રત્યેક સ્વાધ્યાયીના ઘેર-ઘેર અને ખાસ તો હૃદયમાં પહોંચી ગયા! ગુજરાતની સોરઠધરાએ પૂ. દાદાને સાચા અર્થમાં ઓળખ્યા અને કામ કરી, પોતીકા કર્યા. આથી દાદા અમારા એવો સૌરાષ્ટ્રમાં વસનાર પ્રત્યેક સ્વાધ્યાયીનો ભાવ આજે પણ દૃષ્ટિગોચર થાય છે. સૌરાષ્ટ્રમાં આજે પણ વિશેષપણે સ્વાધ્યાયપ્રવૃત્તિ ધમધમે છે!
‘તત્ત્વજ્ઞાન’ માસિક દ્વારા પૂ. દાદાનાં પ્રવચનોનો આજે પણ સ્વાધ્યાયીઓ આનંદ માણે છે. અનેક એવોર્ડોથી વિભૂષિત પાંડુરંગ વૈજનાથ આઠવલેનાં પાંડુરંગ શાસ્ત્રી કે પૂ. દાદાના પ્રવચનો ઉપરથી ‘ભાવગીતો' સર્જાયાં. આ ભાવગીતોમાં એવો ભાવ ભરેલો છે કે, સૂતાને બેઠો કરી દે, બેઠેલાને ચાલતો કરી દે અને ચાલનારને દોડતા કરી દે! વિશ્વના કેટલાય દેશોમાં પણ સ્વાધ્યાય પ્રવૃત્તિ વિકસી છે, પણ આ બધા પાછળ તો છે પૂ. દાદાનો પ્રભુ ઉપરનો અનન્ય પ્રેમ, અવિશ્રાંત તપશ્ચર્યા અને માનવમાત્ર ઉપરનો પ્રેમ! આ ત્રણ પ્રમાણોને આધારે આજે પણ સ્વાધ્યાય પ્રવૃત્તિ યથાવત ચાલે છે. સ્વાધ્યાય પરિવારે દાદાએ સમજાવેલી કૃતજ્ઞતાને આગળ કરી, દાદાના વ્યક્તિત્વને ‘અશ્વિનમ્ મધુરમ્' કહી પોતાની ભાવાંજલિ આપી છે, મૂક અર્ધ્ય આપ્યો છે.
આમ, ભારતીય બ્રાહ્મણની સાચી ઓળખ કરાવનાર, સર્વભૂતહિતે રતાઃ'નો પ્રચાર-પ્રસાર કરનાર અને જાણે કે ગીતાના જીવંત ભાષ્ય જેવા પૂ. દાદા ૨૫-૧૦-૨૦૦૩ના રોજ વૈકુંઠવાસી થયા, પણ સાચા અર્થમાં તો જન-જનના હૃદયમાં પહોંચેલા દાદા હવે ખરેખર હૃદયસ્થ' થયા.
આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં અયોધ્યાના છપૈયામાં જન્મેલા પરંતુ ગુજરાતને કર્મભૂમિ બનાવી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી, ધર્મોપદેશ સાથે સાથે સમાજસુધારણાનું સૌરાષ્ટ્રપ્રદેશમાં અમૂલું કામ કરી, અનેકોને સન્માર્ગે દોરનાર સ્વામી સહજાનંદને કેમ ભૂલાય?..!! તો હૈદ્રાબાદમાં જન્મેલ, મહર્ષિ ગોખલે દ્વારા પ્રેરણા પામી, સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની ત્રિવેણીમાં ગળાડૂબ રહેનાર, ગાંધીજીનાં અદનાં સેવિકા અને ‘હિંદનું બુલબુલ' એવાં સરોજિની નાયડુને શું આપણે વિસરી શકશું..!! અરે રાજસ્થાનના માંડલી ગામમાં જન્મેલ એક ખેડૂતપુત્ર, બાળપણના ગોઠિયા ઉમાશંકર જોશીની હુંફ અને પ્રેરણા પામી ‘માનવીની ભવાઈ”, ‘મળેલા જીવ' અને ‘વેળામણાં' જેવી પ્રતિષ્ઠિત ચાલીસેક જેટલી નવલકથાઓ અને બધી મળી
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ ૧૮૫ જેટલી સાહિત્યકૃતિઓ ગુર્જરચરણે ધરનાર, રણજિતરામ સુવર્ણચંદ્રકધા૨ક અને ગૌરવવંતા એવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતના સમર્થ અને વિચક્ષણ સાહિત્યકાર પન્નાલાલ પટેલને કેવી રીતે વિસરી જવાય?...!! તદુપરાંત મહારાષ્ટ્રમાં જન્મેલા, ગાંધીજીની ચળવળોમાં જોડાઈ પાંચેક વખત જેલવાસ ભોગવી ચૂકેલા, હિરજનોદ્વારક પ્રવૃત્તિઓના અગ્રણી, રાષ્ટ્રીય સેવાદળની પ્રવૃત્તિઓમાં હરખભેર જોડાનાર અને લોકહિતાર્થે સમાજસેવા કરનાર શ્યામાચી આઈ' (શ્યામની મા)ના લેખક સંતપુરુષ સાને ગુરુજીનું શું આપણે ભૂલી જઈશું?....સાથે સાથે કરાંચીમાં જન્મેલા પરંતુ ગુજરાતને કર્મભૂમિ બનાવનાર કવિ, વાર્તાકાર, નિબંધકાર અને અનુવાદક કરસનદાસ માણેકને કેવી રીતે ભૂલાશે?..,મહારાષ્ટ્રના રત્નાગિરિના દેવળગામમાં જન્મેલા અને ભરૂચના નર્મદા કાંઠે નારેશ્વરમાં આશ્રમ સ્થાપી જીવનભર આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરનાર ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક, પત્રકાર, આર્ય સંસ્કૃતિના પુરસ્કર્તા અને અઠંગ દત્તોપાસક પૂજ્ય રંગ અવધૂતજીને ભૂલી શું આપણે ગુજરાતી કહેવાઈ શકીશું ? આ મહાપુરુષોએ ગુજરાતની અસ્મિતા સમગ્ર વિશ્વમાં ઘોતિત કરી છે. આપણે તેમને શબ્દાંજલિ અર્પવા સિવાય બીજું કંઈ અર્પવા લાયક ખરા?..!!
ઉપસંહાર : આમ, ફાર્બસ સાહેબથી પ્રારંભી સવાઈ ગુજરાતી એવા શ્રી પાંડુરંગ દાદા સુધી આપણે ગુજરાતના વિસરાતા જતા સ્વપ્નશિલ્પીઓની સ્મરણયાત્રા કરી. આ ઉપરાંત ભૂદાનયજ્ઞના નિર્માતા સંત વિનોબા ભાવેને આપણે કેવી રીતે ભૂલી શકવાના? તન વિદેશી પણ ગુજરાતમાં જ એક અદના ગુજરાતી બત્તી જ જીવતા આદરણીય ફાધર વાલેસ જેવા મહાનુભાવોને યાદ કર્યા સિવાય આ સ્મરણયાત્રા અધૂરી જ ગણાય. આ ઉપરાંત પણ અગુજરતી છતાંય સવાઈ ગુજરાતી રૂપે જીવી જનાર શેષ નામી-અનામી મહાનુભાવોની પરિચયયાત્રા સ્થળસંકોચના કારણે ટૂંકાવવી જ રહી. આ સ્વર્ણિમ ગુજરાતના માહોલમાં આવો આ મહાનુભાવોને હૃદયથી સ્મરી, સાચા અર્થમાં હૃદયાંજલી અર્પી, કૃતકૃત્ય થઈ કૃતજ્ઞી બનીએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org