________________
સ્વપ્ન શિલ્પીઓ
રાજેન્દ્રભાઈની કારકિર્દી સિકન્દ્રાબાદ પૂરતી સીમિત નથી. પૂ. વિક્રમ ગુરુનો હૃદયપૂર્વક સંકેત થાય તથા પૂજ્ય આ. દેવ રાજયશસૂરી મ.સા.ની આજ્ઞા થાય એમજ પૂ. બહેન મ.સા. (વાચંયમાશ્રીજી) રાજેન્દ્રભાઈનાં ધર્મજનેતાની પ્રેરણા મળે અને રાજેન્દ્રભાઈ એ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા ન રહે એવું બન્યું નથી. એ જ માર્ગે બનારસતીર્થના જીર્ણોદ્વારમાં પોતાનો અપૂર્વ સહયોગ આપ્યો. આ કાર્યમાં આણંદજી કલ્યાણજી પેઢીના શ્રી શ્રેણિકભાઈ તથા શંખેશ્વર પેઢીના શ્રી અરવિંદભાઈ દ્વારા લાખો-કરોડોનાં દાન સંપાદન કરીને જીર્ણોદ્ધારના કાર્યને આસાન બનાવ્યું. બનારસ તીર્થના મેનેજિંગ ટ્રસ્ટીની તેમની આ અનુમોદનીય સેવા બાદ હાલ તેઓ કુલપાક તીર્થના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. બનારસ તીર્થ સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, શ્રેયાંસનાથ અને પાર્શ્વનાથનાં ચાર ચાર મળી કુલ ૧૬ કલ્યાણકની ભૂમિ છે, જ્યારે ભેલપુર પાર્શ્વનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા બન્ને કલ્યાણકની ભૂમિ છે. આ ભૂમિ પર દિવ્ય-ભવ્ય અને રમણીય જિનપ્રસાદનું નિર્માણ કરવાનું પૂ. ગુરુદેવનું સ્વપ્ન સાકાર કરીને રાજેન્દ્રભાઈએ જીવનની ધન્યતાનો પરિચય કરાવ્યો. આ પ્રસંગે શેઠ શ્રી શ્રેણિકભાઈ તથા શેઠશ્રી અરવિંદભાઈના હસ્તે શ્રી સંઘ તરફથી વિશાળ પાયા પર બહુમાન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજેન્દ્રભાઈનાં આ શાસનપ્રભાવક કાર્યોની ઝાંખી કરાવતી ચરિત્રગાથા પણ પ્રકાશિત કરવામાં આવી.
શ્રી રાજેન્દ્રભાઈની કાર્યકુશલતાનો પરિમલ દશે દિશામાં પ્રસરેલો છે. સિકન્દ્રાબાદ, બનારસતીર્થ પછી કુલપાક તીર્થના ટ્રસ્ટી તરીકેની નામના પછી ભારતમાં કે વિદેશમાં જિનાલય નિર્માણના કાર્યોમાં એમનો તન-મન-ધનથી સહકાર મળતો રહે છે. અમદાવાદ પ્રેરણાતીર્થ, ભરૂચતીર્થ, ઉવસગ્ગહરમ તીર્થ, હસ્તગિરી તીર્થ આદિના નિર્માણકાર્યમાં રાજેન્દ્રભાઈનો હાર્દિક સહયોગ છે. વિદેશમાં ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ફિલાડેલ્ફિયા આદિ સંઘો સાથે ઘનિષ્ઠ સંબંધ છે. ન્યૂયોર્કના દહેરાસરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવવાની પ્રેરણા પ્રભુજી દ્વારા રાજેન્દ્રભાઈને થઈ. પૂ.આ.ભ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સુરતમાં અંજનશલાકા કરાવી પ્રભુજીને ન્યૂયોર્કના દહેરાસરમાં લઈ જવાની જવાબદારી સ્વીકારી. આમ, રાજેન્દ્રભાઈ એક વિધિકાર તરીકે પણ પ્રતિષ્ઠા પામ્યા છે. દેશવિદેશમાં એક
Jain Education International
૫૬૭
વિધિકાર તરીકે એમનું નામ છે. અમેરિકામાં અનેક સ્થાનોમાં તેમણે ભક્તામરપૂજન, ૨૪ તીર્થંકરપૂજન, પાર્શ્વપદ્માવતીપૂજન આદિ ભણાવેલ છે.
આમ રાજેન્દ્રભાઈએ જીવનને શાસનસમર્પિત કરીને ૧૨ સંઘયાત્રાનું સંચાલન કર્યુ અને ૩૬ દહેરાસરોના નિર્માણકાર્યમાં સહયોગ આપ્યો એ શાસનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલી હકીકત છે. આવા કુશળ વક્તા અને વિનમ્ર વિધિકાર, ઉત્સાહી સંયોજક અને સંનિષ્ઠ ગુરુભક્ત રાજેન્દ્રભાઈ દલાલને અનેક નગરોના શ્રીસંઘોએ અનેકવિધ રીતે સમ્માન્યા છે. એમને જૈન શાસનરત્ન અને તીર્થરત્ન જેવાં પદોથી શોભાવ્યા છે. રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંઘ તથા પ્રધાનમંત્રી શ્રી બાજપેઈજીએ એમના હસ્તે પૂજનવિધિ કરવાનો લહાવો લીધો છે.
માતાપિતા અને પૂ. ગુરુદેવની આશિષથી તથા પૂજ્ય આ.દેવ રાજયશસૂરી મ.સા.ની કૃપાથી તથા તેમના ધર્મજનેતા પૂ. બહેન મ.સા.ની પ્રચંડ પ્રેરણાથી, સહધર્મચારિણી સ્વ. મનોરબાબહેનના સુચારુ સહકારથી અને શ્રી સંઘના સાથથી રાજેન્દ્રભાઈએ ૭૧ વર્ષની વયે જિનશાસનનાં ૭૧ કાર્યો સુપેરે સંપન્ન કર્યાં એ એમના જીવનનો જયજયકાર મનાવવા પૂરતાં છે. આજેપણ તેઓશ્રી જિનભક્તિમાં જ જીવનવ્યાપન કરે છે. પ્રભુજી આવા ભક્તપ્રેમીને નિરામય દીર્ધાયુ બક્ષે એમ આપણી મનોકામનાઓ હો !!
આજે ૭૨ વર્ષની વયે પણ રાજેન્દ્રભાઈ U.S.A.નાં બે નૂતન જિનાલયના નિર્માણ કાર્યમાં પ્રવૃત્ત છે. ન્યૂજર્સીના દહેરાસરમાં અંજનશલાકા કરેલાં પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવવામાં તેમનો ખાસ આગ્રહ હતો, જે સંઘે માન્ય રાખ્યો છે. રાજેન્દ્રભાઈ U.S.A.માં ખાસ આગ્રહપૂર્વકની પ્રેરણા કરે છે કે અંજનશલાકા કરેલા પ્રભુજી દહેરાસરમાં બિરાજમાન કરવા તથા ૩૬૫ દિવસ દહેરાસર ખુલ્લાં રાખવાં તથા રોજ પૂજા-દર્શન આરતી કરી ધન્ય બનવું.
રાજેન્દ્રભાઈએ પોતાની શક્તિ અને ઉત્સાહ દહેરાસરોના નિર્માણ, પૌષધશાળાનિર્માણ-ભવનનિર્માણ કરાવવામાં તો વાપરેલ છે, પરંતુ તેનાથી વધુ આજના યુગમાં મહત્ત્વનું કાર્ય કહેવાય તેવા શૈક્ષણિક કાર્યના પ્રોજેક્ટમાં પોતાની જબરજસ્ત શક્તિનો ઉપયોગ કરવા માંડ્યો છે. મેડિકલ કોલેજનો પ્રોજેક્ટ હૈદરાબાદ ખાતે શરૂ થયેલો
For Private & Personal Use Only
www.jainelibrary.org