________________
૫૫૮
આમ ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ-નગપુરા પવિત્રતાનું પરબ છે, જે જૈન શ્રાવકો તેમ જ જૈનધર્મપ્રેમીઓના આત્માની તરસ છિપાવે છે અને સાથોસાથ ‘કર્મ એ જ કામધેનુ અને પ્રાર્થના એ જ પારસમણિ’ના પર્યાય એવા રાવલમલ જૈન ‘મણિ'ની પાર્શ્વતીર્થ પ્રત્યેની ભક્તિભાવની સાથે એમના યશની પતાકા લહેરાવે છે.
ધર્માનુરાગી સમાજસેવક : આત્મિકદૃષ્ટિસંપન્ન શાસનરત્ન ઃ કુશળ વહીવટકર્તા : સેવાસમર્પણની જીવંત દંતકથાના નાયક સદ્ગુણાલંકૃત શ્રી રવિલાલ લવજીભાઈ પારેખ કુળ દીપકની પધરામણી....
આજથી લગભગ ૧૦૮ વર્ષ પહેલાં શ્રી ગોરધનભાઈ પારેખ આપના દાદાજી ભારતની પશ્ચિમે અંજાર (કચ્છ)થી પ્રયાણ કરીને દક્ષિણમાં આવ્યા ત્યારે હાથમાં કાંઈ ન હતું, પણ હૈયામાં હામ અને હિંમત હતાં. આપના દાદાજીએ અનાજના વ્યવસાયથી શરૂઆત કરી ધીમે ધીમે સ્થિર થતા ગયા. સન્ ૧૯૦૦માં શ્રી લવજીભાઈનો જન્મ થયો. તેમના લગ્ન માનકૂવા (અંજાર પાસે) જડાવબહેન સાથે થયા. શ્રી લવજીભાઈએ શરૂઆતમાં સાયકલનો અને બાદમાં કપડાનો વ્યવસાય પણ કર્યો પણ ધારી સફળતા ન દેખાતાં સન્ ૧૯૨૭માં ફિલ્મ ઉદ્યોગમાં ઝંપલાવ્યું અને સ્ટાર પિક્ચર્સ કોર્પોરેશનના નામથી અને પછી જગત પિક્ચર્સના નામથી શરૂ કરેલ વ્યવસાયમાં પ્રગતિ થતી રહી-માતા જડાવબહેનની કુક્ષિએ તા. ૭-૨-૧૯૨૩ના શ્રી રવિભાઈ જન્મ લઈને આ અવનીના આંગણે આવ્યા. માતાની મમતા અને પિતાની સમતાથી જીવનનો પિંડ ઘડાયો મોસાળ માનકૂવામાં જન્મેલા રાવનાં કિરણો દક્ષિણ દેશ સુધી પહોંચ્યા અને ધીરે ધીરે ભારતવર્ષમાં ફેલાયાં....પરિવાર સાથે સિકન્દરાબાદ કાયમી વસવાટ નક્કી કરીને સ્થિર થઈ ગયેલા શ્રી રવિભાઈ માતા જડાવબહેનની આજ્ઞા અને આગ્રહને માન આપી બેંગલોર આવીને વસ્યા.....ત્યારે જ બેંગલોર-ગાંધીનગરની અનેક
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ
સંસ્થાઓનાં નિર્માણનું ભાવિ લખાયુ હશે!
શાસનદેવનો ઉપકાર કહો કે આશીર્વાદ સ્વ. શ્રી લવજીભાઈને તેમનાં જીવનમાં દસેક વર્ષમાં તો ધર્મનું એવું ઘેલું લાગ્યું કે વ્યવહાર અને વ્યવસાય પુત્રોનાં શિરે નાખી રાતદિવસ જોયા વિના મંદિર, ઉપાશ્રય અને પાઠશાળાના નિર્માણમાં લાગી ગયા અને સમાજને કંઈક અર્પણ કર્યાનો અનેરો આનંદ મેળવ્યો. સન્ ૧૯૫૫ ડિસેમ્બરમાં શ્રી લવજીભાઈના અવસાન પછી તેમના સ્થાને સૌ ટ્રસ્ટીઓએ શ્રી રવિભાઈને તમામ ક્ષેત્રના કાયમી ટ્રસ્ટી તરીકે નીમ્યા ત્યારે શ્રી રવિભાઈની ઉંમર ૩૦ વર્ષની હતી અને ત્યારથી તેમના અથાગ પ્રયત્ને નિર્માણ અને સ્થાપનાની વણઝાર ચાલી જે આજે ૮૬ વર્ષે પણ અવિરત ચાલુ છે.
શ્રી ગાંધીનગર જૈન મંદિરના શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા આ.દેવ શ્રી પૂ. લક્ષ્મણસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઐતિહાસિક સ્વરૂપે થઈ.
વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ.સા. જેવા ધુરંધર આચાર્યની નિશ્રામાં આજ પાવનસ્થળના સામેના શ્રી પાર્શ્વવલ્લભ પ્રાસાદમાં બિરાજતા મૂળનાયક અને અન્ય બિંબોનાં પાંચ કલ્યાણકો અને પ્રતિષ્ઠા મહોત્સવ તેમના પિતાજીના પ્રમુખપણા નીચે શ્રીસંઘે શાનદાર રીતે ઊજવ્યાં અને તેમના પિતાની ગેરહાજરી બાદ એ કાંટાળો તાજ સંઘે તેમના શિરે ધર્યો. ત્યારે તેઓએ વહીવટી કુનેહ અને ચાણક્યનીતિ દ્વારા બતાવી આપ્યું કે કંટક સાથે ગુલાબ પણ હોય છે. માત્ર હાઇસ્કૂલનું શિક્ષણ લઈ શાળામાંથી ઊઠી જનાર વિદ્યાર્થી હોવા છતાં તેમની જવાબદારી, કુશળતા, અમીદૃષ્ટિ, સાદાઈ, પરમાર્થભાવના, સાચા સલાહકાર વગેરે સદ્ગુણોએ સૌનાં હૈયાને નાચતાં કરી દીધેલાં.
જાણે કે તેમના લલાટે જીવનસિદ્ધિનાં સુકાર્યો લખાવીને જ આવ્યા હોય તેમ શરૂઆતથી જ સિકન્દરાબાદના મંદિર અને સમાજની કમિટીમાં ઉચ્ચસ્થાને રહી સંચાલન કરી બાદ બેંગલોર આવી આજે ૫૦ વર્ષથી શ્રી પાર્શ્વવલ્લભજૈન પ્રાસાદ, યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરીશ્વરજી જૈન દાદાવાડી, શ્રી જૈનમૂર્તિપૂજક સમાજ, ભેદા ખીઅંશી ઠાકરશી જૈન પાઠશાળાના એકધારા સંચાલન ઉપરાંત ઈતર સામાજિક અને વ્યાપારિક નાનીમોટી સંસ્થાઓ અને એસોસિએશનની કમિટીનું સભ્યપદ શોભાવા ઉપરાંત અત્રેના ગુજરાતી સમાજની ‘શ્રી વેલચંદવશરામ દેસાઈ ગુજરાતી સ્કૂલ'નું પ્રમુખપદે તેઓ ઘણા વર્ષ
For Private & Personal Use Only
www.jainelibrary.org