SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ બનાવ્યા છે. છત્તીસગઢમાં યુવકયુવતીઓની સંસ્કાર શિબિર– પ્રારંભ કરનાર શ્રી મણિજી સૌના કલ્યાણમિત્ર છે. સેવાના વિશાળ વટવૃક્ષ જેવાં અનેક સત્કાર્યો કરતા તેઓ શ્રાવક ધર્મને સમર્પિત છે. અસીમ શક્તિઓથી સુસજ્જ મણિજીની સર્વત્ર પોતાની વિશિષ્ટ ઓળખ છે. એમની કર્તવ્ય-નિષ્ઠાની ઊંચાઈ અમાપ છે. શ્રી મણિજીએ મનની પવિત્રતા અને હૃદયની નિશ્છલતા આત્મસાત્ કરી લીધી છે. સિદ્ધાંતો પ્રત્યે શ્રદ્ધા રાખી એમણે હંમેશાં આત્મચિંતન અને આત્મવિકાસને મહત્ત્વ આપ્યું છે, જે પ્રશંસાપાત્ર બન્યું છે. આચરણમાં નિર્મળતાથી ઓતપ્રોત સદાય ધર્મમાર્ગમાં અભિવૃદ્ધિ કરે એ જ શુભકામના. મુંબઈના શ્રી પાનાચંદ ઝવેરી શ્રી ‘મણિ’જી વિષે નોંધે છે કે અસંખ્ય લોકો આજ ગર્વથી કહે છે કે ‘મણિ’જીએ એકલાએ પોતાની શક્તિએ નગપુરામાં તીર્થોદ્વાર, જીર્ણોદ્વાર કરી બતાવ્યો. આપણે પ્રેરણા લેવી જોઈએ કે દૃઢ ઇચ્છાશક્તિ અને માનસિક શક્તિનું સ્થાન બની ગયું છે શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ! શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના યશસ્વી અધ્યક્ષ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ આ તીર્થની યાત્રા કર્યા પછી ભાવવિભોર થઈને પોતાની તીવ્ર આંતરિક પ્રસન્નતા વ્યક્ત કરતાં કહે છે કે આજ મને એ કહેતાં આનંદ થાય છે કે શ્રી રાવલમલજી જૈન ‘મણિ’એ ઓછા સમયમાં શ્રી ઉવસગ્ગહર પાર્શ્વતીર્થનું એટલું સુંદર ભવ્યનિર્માણ કરી બતાવ્યું જે આપણે પચાસ વર્ષોમાંય પૂરું ન કરી શકીએ. દેશના સુપ્રસિદ્ધ ભવિષ્યવેત્તા સિંધવી આ તીર્થની યાત્રાને ‘માનવજીવનનું સંસાર–સૂત્ર’ કહીને ગદ્ગદ્ થતાં કહે છે કે હું ‘મણિ’ સાહેબની અપરાજેય ક્ષમતાને પ્રણામ કરું છું કે એમણે પોતાની અસાધારણ ક્ષમતાથી કલ્પનાતીત કાર્ય કરી બતાવ્યું. (નગપુરા મહોત્સવ-૧૯૯૭). અખિલ ભારતીય શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના અધ્યક્ષ દાનવીર બેરિસ્ટર શ્રી દીપચંદભાઈ ગાર્ડીએ સપરિવાર આ તીર્થની યાત્રા કરી કહ્યું કે “મને મણિ’જી વિષે આમ કહેવાની ભાવના થઈ છે કે સુખ-દુઃખાત્મક સૃષ્ટિ પ્રત્યે મણિજીનો અદમ્ય ઉત્સાહ, કર્મશક્તિ, નિષ્ઠા અને આશાવાદી દૃષ્ટિકોણ પ્રેરક બન્યો છે.'' તીર્થભક્ત સુશ્રાવિકા શ્રીમતી કંચનબહેન પ્રાણલાલ દોશી (ગોવાળિયા ટેન્ક-મુંબઈ સમાજ)એ કહ્યું કે રાવલમલભાઈ જેવા કાર્યશીલ, લગનશીલ, રચનાધગશ ધરાવતા સેવાભાવીઓની જરૂરિયાત છે. મેં જોયું છે કે મણિભાઈમાં એક શ્રાવક તરીકે, સાધક તરીકે અને પરમાત્મ Jain Education International સ્વપ્ન શિલ્પીઓ ભક્તિમાં ઊંડા ઊતરેલા માનવી તરીકે કાર્ય કરવાની ભાવન ગજબની છે! જરાય વિચલિત થયા વિના, ગભરાહટ કે આળસ વિના મન જીતીને ધારેલું કાર્ય કરવાની અદ્ભુત શક્તિ છે. એમને વંદું છું. આવા અનેક દિગ્ગજોએ વિભિન્ન પ્રસંગે પોતાન ભાવના વ્યક્ત કરી તીર્થોદ્ધારના ઇતિહાસપુરુષ શ્રી રાવલમ૯ જૈન મિણને ‘સમાજરત્ન' તરીકે સ્થાપિત કર્યા છે. પૂ. આચાર્ય ભુવનભાનુસૂરિ, પૂ. આચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા.ના સાંનિધ્યમાં ગાંધીનગરની વિશાળ સભામાં ‘સમાજરત્ન'ની બિરદાવલીથી શ્રી રાવલમલજ ‘મણિ’સાહેબને સમ્માનિત કરતાં બેંગલોર (કર્ણાટક)ન સ્વનામધન્ય શ્રાવકરત શ્રી સંઘપ્રમુખ શેઠ લક્ષ્મીચંદજ કોઠારીએ કહ્યું કે “હું ભાઈ રાવલમલજી ‘મણિ’સાહેબની લગન, ઉત્સાહ અને કર્મનિષ્ઠાનો પૂજારી છું, એમના લીધે જ પ્રભુ પાર્શ્વનાથના વિહારવિછિન્ન થયેલ સ્થળને તીર્થોદ્ધારિત કરવાના કાર્યમાં જોડાઈ સદ્ભાગી બન્યો છું. મારા નાનાભાઇ સાગરમલ કોઠારી તો મણિજી સાથે એકપ્રાણ થઈ ગયા છે. આવા પુણ્યશાળી શ્રાવક ભક્તિકારકને પામી જૈનશાસન ગૌરવશાળી છે. ભાવી પેઢી માટે મણિજીનું કાર્ય આદર્શ બન ગયું છે.' આવા કેટલાય ઉદ્ગાર સંપૂર્ણ જૈન સમાજ સહિત સમાજનાં લોકો હંમેશાં કરે છે. મન ચંગા તો કથરોટમે ગંગા'ની કહેવતને ચરિતાર્થ કરતાં મણિજીએ આધારભૂત ઉદાહરણ આપ્યું છે કે માનસિક શક્તિના સમન્વયમાં જ સફળતાનું રહસ્ય સમાયેલું છે. અદ્વિતીય તીર્થનિર્માણના કાવ્યમય શિલ્પી શ્રી રાવલમ જૈન ‘મણિ’ વિષે નોંધતાં વડોદરાના સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ્ ડૉ. નગેન્દ્રનાથ લખે છે કે ભારતીય ઇતિહાસનાં પૃષ્ઠમાં તીર્થોદ્વારતીર્થનિર્માણની સંરચનામાં કોઈ એક સામાન્ય વ્યક્તિ દ્વાર પ્રારંભ કરાવવાનો ઉલ્લેખ નથી મળતો. શિલાલેખોન પંક્તિઓમાં કે વાર્તાઓમાં પણ આવો કોઈ ઉલ્લેખ મળતો નથી. પૂજ્ય ગુરુભગવંતોની પ્રેરણાથી અનેક તીર્થોદ્વાર–જીર્ણોદ્વાર થવાનો ઉલ્લેખ મળે છે પરંતુ સ્વયંસ્ફુરણાથી એક જ વ્યક્તિ દ્વારા તીર્થોદ્ધાર, જીર્ણોદ્ધાર કે તીર્થનિર્માણ કરાયું હોય એવો ઉલ્લેખ વાંચવા-સાંભળવામાં આવ્યો નથી. આ અશક્ય જ વાત છે કે ઈ.સ. ૧૯૭૯માં પત્રકાર રાવલમલ જૈન ‘મણિ’નામની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy