________________
સ્વપ્ન શિલ્પીઓ
તેમણે પોતાના જીવન દ્વારા પ્રતીતિ કરાવી. જ્યાં સભ્યતાનું નામ નિશાન ન હતું ત્યાં શ્રી આપાસાહેબ પંત કહે છે તેમ ‘એક નૂતન પ્રઔદ્યોગિક સભ્યતાનો યુગ પ્રગટાવ્યો.’
શ્રી નાનજીભાઈએ પૂર્વ આફ્રિકાની ધરતીને અનન્યભાવથી આરાધી અને એ જ ધરતીએ એમને એટલાજ અનન્યભાવથી અનંત હાથોએ આપ્યું. મળ્યું તેનો સંગ્રહ ન કર્યો પણ માતૃભૂમિ અને કર્મદાત્રીભૂમિના વિકાસ અર્થે મેળવ્યું તે વાપર્યું. યજ્ઞભાવનાનો આવો આરાધ ભાગ્યેજ અન્યત્ર પ્રગટ થયેલો હશે. પૂર્વ આફ્રિકામાં, નર્સરી સ્કૂલ, આર્યકન્યા ગર્લ્સ હાઇસ્કૂલ, લાઇબ્રેરી, ટાઉનહોલ, નગર– ઉદ્યાનો, આર્યસમાજ મંદિરો, મહિલામંડળ ભવનોની સ્થાપના સાથે ત્યાંની નાગરિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓને એમણે હ્રદયપૂર્વક આપ્યું અને સતત ઉપાર્જનશીલ છતાં અખંડ અર્પણશીલ જીવન કેવું હોઈ શકે તેનો મૂક પણ પ્રત્યક્ષ સંદેશ આજે પણ સૌના હૃદયમાં અંક્તિ છે.
નૈરોબીમાં, કેન્યાની ભૂમિ ઉપર, જ્યાં રાગદ્વેષનો દાવાનલ પ્રજ્જવલતો હતો, ત્યાં જ નૈરોબીમાં સર્વજાતિઓની એક્તાના પ્રતીક રૂપ નૂતન આફ્રિકાના ઘડવૈયા તૈયાર કરવા મહાત્માગાંધી મેમોરિયલ એકેડમી રચવાનો શ્રી નાનજીભાઈએ સંકલ્પ કર્યો. તે માટેની સમિતિ નીમી. ભારતિયોને ઢંઢોળ્યા. ભારત સરકારનો સંપર્ક સાધ્યો. કેન્યા કોલોનિઅલ ઓફિસે પણ આમાં સક્રીય પાઠ ભજવ્યો. એક વિશાળ ટેક્નિકલ કોલેજમાં મહાત્મા ગાંધી મેમોરિયલ એકેડેમીની વીંગ રચાઈ. તેમાં અહિંસા અને સત્યના પયગંબર મહાત્મા ગાંધીજીની સંપૂર્ણ માનવકદની કાંસ્ય પ્રતિમા મૂકાઈ અને આ એકેડમી તથા પ્રતિમાનું ઉદ્ઘાટન અને અનાવરણ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા જગવિખ્યાત ફિલસૂફ અને રાજપુરુષને હસ્તે થયું. આ પ્રસંગ ઊજવાયા પછી થોડાક જ વર્ષો બાદ, એશિયાના દેશોની માફક પૂર્વ આફ્રિકાના પ્રદેશો પણ એક પછી એક સ્વાધીન થયા અને એશિયા અને આફ્રિકાએ મુક્તિનો પ્રથમ શ્વાસ લીધો. શ્રી નાનજીભાઈ પોતાની જન્મભૂમિ માટે પણ સમર્પિત હતા.
યુરોપની મુસાફરી, ભારતની સ્વાતંત્ર્યસંગ્રામની ચળવળ, સ્વામી દયાનંદજીની વિચારધારા તથા મહાત્મા ગાંધીજીના સંપર્કે નાનજી શેઠના માત્ર ચાર ચોપડીના ભણતરને જીવનના પૂર્ણ ઘડતર તરફ વાળવા માંડ્યું. પરિણામે તેમનામાં એક સંસ્કૃતિ પ્રેમી કેળવણીકાર સાકાર થયો. પુત્ર-પુત્રીના સમાન સંસ્કાર, સ્ત્રીને પણ વેદ ભણવાનો અધિકાર, જાતિ-પાંતિના ભેદભાવ વિનાનો સમાજ, છૂતાછૂત અને ધર્મના આડંબરોથી મુક્ત એવી ઋષિ પ્રણાલીના સાક્ષાત્કાર સમી સ્વામી દયાનંદ પ્રેરિત માનવતાના સનાતન મૂલ્યોને સાચવતી ગુરુકુલીય શિક્ષા પદ્ધતિ તરફ શ્રી નાનજીભાઈ તેમજ તેમના સાચાં સંગાથિની સંસ્કારમૂર્તિ શ્રીમતી સંતોકબાને આકર્ષણ જાગ્યું અને પુત્રી સવિતાને પોતાના જ કુટુંબની બીજી ચાર કન્યાઓ સાથે વડોદરાના
Jain Education Intemational
૫૪૩
આર્ય કન્યા મહાવિદ્યાલયમાં ભણવા મોકલાવી આપી.
અડધી સદી પહેલાં આભડછેટનું ભૂત માનવીના લોહીમાં હતું ત્યારે શ્રી નાનજીભાઈએ ૧૯૩૬માં પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુલનો પાયો એક રિજન બાળાના હસ્તે નખાવી અસ્પૃશ્યતાનિવારણની દિશામાં સાહસિક પગલું ભરીને એક સમાજસુધારક તરીકેના તેમના જીવનનું અનોખું દર્શન કરાવ્યું. આર્ય પ્રણાલીના જ્ઞાન વિજ્ઞાનનો વર્તમાન શિક્ષા પદ્ધતિ સાથેનો સમન્વય એ આ ગુરુકુલની વિશેષતા છે. છેલ્લાં ૬૫ વર્ષોમાં પચ્ચીસેક હજાર કન્યાઓ આ ગુરુકુલમાંથી ધર્મમય શિક્ષણ અને વિશુદ્ધ ભારતીય સંસ્કૃતિનાં પાન કરીને દેશ વિદેશમાં સંસ્કાર દીવડીઓ થઈને વસે છે.
શ્રી નાનજીભાઈનો રાષ્ટ્રપ્રેમ પણ અનન્ય હતો. ૧૯૨૭માં ગાંધીજી છેલ્લી વખત પોરબંદર, કાઠિયાવાડ રાજકીય પરિષદની બેઠકમાં આવ્યા ત્યારે બ્રિટિશ સરકારના રોષની પરવા કર્યા વિના મહારાણા મિલના મકાનમાં જ આ પરિષદ ભરાઈ હતી. તે વાત નાનજીભાઈની રાષ્ટ્રીય ભાવનાના રંગની ઝલક દર્શાવે છે. ભારતને સ્વતંત્રતા મળી. સૌરાષ્ટ્રનું એકમ થયું. આ નવા જ રાજ્યના મંત્રીમંડળ સમક્ષ એક સમસ્યા ખડી થઈ! સૌરાષ્ટ્રમાં પૂરતું અનાજ તો પાકતું ન હતું. પરપ્રાંતમાંથી મંગાવવું પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ! રાજ્યની તિજોરી સાવ ખાલી ! આવા ઊગતા રાજ્યને પૈસા ધીરી કોણ અનાજ આપે ? અને આપે તોય એમાં સૌરાષ્ટ્રવાસીઓ અને સૌરાષ્ટ્ર રાજ્યની પ્રતિષ્ઠા શી? સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરની વિનંતીથી પળવારમાં જ શ્રી નાનજીભાઈએ સૌરાષ્ટ્ર રાજ્યની પ્રતિષ્ઠા સાચવવા રૂપિયા ત્રીસ લાખ ગણી આપ્યા. સૌરાષ્ટ્રમાં ધાન્ય ભેગું થયું અને સૌરાષ્ટ્રવાસીઓએ નિરાંતનો શ્વાસ લીધો. આવી હતી શ્રી નાનજીભાઈની કર્તવ્યનિષ્ઠા.
શ્રી નાનજીભાઈ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના સંરક્ષક અને સુધારક હતા. મહર્ષિ દયાનંદ અને પૂજ્ય ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મનો ઉદ્ધાર કરવામાં એમણે હૃદયપૂર્વક ભાગ ભજવ્યો હતો. આપણી સાદી, અબૂધ પણ પવિત્ર જીવન ગાળતી નારીઓના ઉત્થાન અર્થે પોતાની શક્તિનો ઉત્તમાંશ અર્ધો અને માતૃશક્તિનાં શિક્ષણ, ઉત્થાન અને સંરક્ષણના કાર્યમાં અનન્ય ભાવે તેઓ લાગી ગયા હતા. ઉદ્યોગો વધતા ગયા, અર્થની છોળો ઊછળવા લાગી, પરંતુ તેમણે સ્વીકારેલાં જીવનમૂલ્યો કે સેવાકાર્યોમાંથી ક્યારેય ન વિચલિત થયા. ઊલટી એમની કર્મવૃત્તિ અને દાનશીલતા ઉત્તરોત્તર પ્રબળ થતાં ગયાં. એમણે આર્યકન્યા ગુરુકુલને મહિલા કોલેજ જેવી સંસ્થા આપીને આત્માના અમૃતથી ઊછેરી. ‘ભારતમંદિર’ની સ્થાપના દ્વારા ભારતમાતા અને તેનાં વરેણ્ય સંતાનોએ - ઋષિકલ્પ પુરુષોએ અને સન્નારીઓએ જે સંસ્કૃતિનું સર્જન કર્યું તેને વિનમ્રપણે પ્રેરક અર્થ આપ્યો. ‘તારામંદિર’ની રચના કરી
For Private & Personal Use Only
www.jainelibrarv.org