SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ હોમસાયન્સ, અંગ્રેજી, કેમેસ્ટ્રી, એમ.બી.એ., એમ.સી.એ., એકેડેમિક સ્ટાફ કોલેજ, માનવઅધિકાર ભવન આદિ વિદ્યાભવનો તેમની ઉદાર સખાવતથી બંધાયાં છે. આ બધાંનું ઉત્કૃષ્ટ સ્થાપત્ય સુવિધાપૂર્ણ અને આધુનિક ઉપકરણોથી સભર છે. સંપત્તિનો સૂઝપૂર્વક વિદ્યાક્ષેત્રે વિનિયોગ કરવાની તેમની આવી દાનવીર અને સૂઝપૂર્ણ વૃત્તિ દીપચંદભાઈને અનોખા દાનવીર તરીકેની મુદ્દા અર્પે છે. કરકસર, પણ ઉત્કૃષ્ટ ગુણવત્તા જાળવીને દ્રવ્યનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એવી ખેવના રાખવી એ તેમની આગવી ઓળખ છે. ઉત્તમ વિદ્યાભવનોના નિર્માણ ઉપરાંત વિદ્યાર્થીઓના નિવાસ માટે છાત્રાલય-હોસ્ટેલ નિર્માણ માટે પણ તેઓ પૂરા પ્રોત્સાહક રહ્યા છે. કડીનું કન્યા છાત્રાલય, બક્ષીપંચનાં છાત્રાલયો, વનવાસી વિદ્યાર્થી માટેનાં એમના વિસ્તારમાંનાં છાત્રાલયો, યશોવિજયજી ગુરુકુળ-પાલિતાણા, બોયઝ હોસ્ટેલ–સોનગઢ જેવાં અનેક સુવિધાપૂર્ણ છાત્રાલયોનાં નિર્માણ માટે પણ પૂરા પ્રોત્સાહક રહ્યા. પોતે વેઠેલી પીડા અને અસુવિધાઓથી સાંપ્રત યુવાનોને છુટકારો મળે એ માટેની એમની આ સેવાકીય–વિદ્યાકીય પ્રવૃત્તિ એમની માનવતાવાદી અને વિદ્યાપ્રેમી પ્રકૃતિની ઘોતક છે. અનેક યુવાનોની કારકિર્દીના ઘડવૈયા બનીને, ભારતના તેજસ્વી વિદ્યાર્થીને વિકાસની તક પૂરી પાડીને તેમણે મોટી રાષ્ટ્રસેવા કરી છે. વિદ્યાભવનનિર્માણ, છાત્રાલયનિર્માણ ઉપરાંત વિદ્યાકીય ઉપકરણોની સહાય પણ તેઓ કરતા રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર, સેમિનાર હોલ, પીએચ.ડી. લેબોરેટરી, રીડિંગ રૂમ અને ગ્રંથાલય કે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અંગે પણ અનુદાન ફાળવતા, જરૂરિયાતમંદને જરૂરી વિદ્યાકીય સાધનસામગ્રી પૂરી પાડનારા દાતા તરીકે તેઓ હંમેશાં યાદ રહેશે. ઉપરાંત વિકલાંગ કે શારીરિક ખોડખાંપણવાળા વિદ્યાર્થીઓ માટે પણ વિદ્યાકેન્દ્રોના તેઓ જનક રહ્યા છે. આ ઉપરાંત તેઓ વિદ્યાર્થીઓને આર્થિક સહાય, વિદેશના ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવા માટેની તેમની તત્પરતા તેમની નરી વિદ્યાકીય પ્રવૃત્તિની પરિચાયક છે. સંશોધન માટે અનુદાન એ પણ તેમનો દાતા તરીકેનો એક અભિનવ અભિગમ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીભવનનું જૈન એકેડેમી રિસર્ચ સેન્ટર, ચેન્નાઈની અહિંસા રિસર્ચ ફાઉન્ડેશન, અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી જેવી સંશોધનસંસ્થાઓ દ્વારા ઉચ્ચ પ્રકારનું સંશોધન થાય એ માટે તેઓ મદદરૂપ થતા રહ્યા છે. ઉપરાંત વિદેશમાં પરિસંવાદમાં પેપરવાચન માટે પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. પરિસંવાદોના Jain Education International સ્વપ્ન શિલ્પીઓ આયોજનમાં પણ સહયોગ આપે છે. વિદ્યાર્થીઓને–વિદ્વાનોને સમ્માન-પારિતોષિક માટે પણ ઉદાર દિલે સખાવત કરે છે. તેમની આવી વ્યાપક રૂપની વિદ્યાકીય શિક્ષણક્ષેત્રની સૂઝપૂર્વકની અને વૈવિધ્યપૂર્ણ દાન ભાવનાથી તેઓ લક્ષ્મીના કૃપાપાત્ર અને સરસ્વતી દેવીના પૂજારી તરીકે સમાજમાં ચિરસ્મરણીય રહેશે. આરોગ્યક્ષેત્રે આયોજનપૂર્ણ અને ઉમદા અનુદાન : ભારતની મોટી સમસ્યા આરોગ્ય વિષયક સુવિધા પ્રાપ્ત કરવી તે છે. સરકારી સહાય કેટકેટલે સ્થાને પહોંચી શકે. સમાજનો કેટલો બધો ભાગ સુવિધાથી વંચિત રહેતો હોય છે. સમાજ નીરોગી હોય, સશક્ત હોય, માનસિક રીતે સ્વસ્થ હોય તો એ સમાજ દ્વારા જ રાષ્ટ્ર ખરા અર્થમાં વિકાસ-વિસ્તાર સાધીને રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે પહોંચાડી શકે. આવા ઉમદા વિચારથી તેમણે આરોગ્ય ક્ષેત્રે અનુદાન માટે જે આયોજન કર્યું તેમાંથી માનવમાત્ર માટેની તેમની ખેવના પ્રગટ થાય છે. તેઓ નાત–જાતના ભેદ રાખ્યા વગર આરોગ્યધામના, હોસ્પિટલના નિર્માણ માટે જે રીતે મદદરૂપ થયા તે તેમના માનવતાવાદી વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. મહારાષ્ટ્રના યૂસુફ મહેરઅલી સેન્ટ૨, ગુજરાતના આદિવાસી વિસ્તારની મુક્તિરંજન હોસ્પિટલ, બિહારની પેહરબરની આંખની હોસ્પિટલ, મુંબઈની હરિકશનદાસ હોસ્પિટલ, નડિયાદની કિડની હોસ્પિટલ, રાજકોટની કેન્સર હોસ્પિટલ, અમરગઢની ટી.બી. હોસ્પિટલ, પાટણની જનતા હોસ્પિટલ જેવી પચાસ જેટલી હોસ્પિટલોના નિર્માણમાં પૂરી નિષ્ઠાથી અનુસહાય કે અનુદાન આપતા રહીને સમાજને નીરોગી બનાવવાનું બહુ મોટું સેવાકાર્ય પણ દીપચંદભાઈ બજાવે છે. મધ્યપ્રદેશના ઇન્દોર-ઉજ્જૈન જેવાં મહાનગરોમાં આરોગ્યધામો અને આરોગ્ય વિદ્યાલયો ઊભાં કરીને પોતે એકલા હાથે કરોડો રૂપિયાનું દાન આપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જૂનાગઢમાં પણ આ પ્રકારનું આરોગ્યધામ એ આરોગ્ય વિદ્યાલય મેડિકલ કોલેજરૂપે ક્રિયાશીલ બને એ માટે તેઓ પ્રયત્નશીલ છે. આવી આદર્શ અને ઉમદા સેવાભાવના તેમને આરોગ્યક્ષેત્રના અનોખા દાતા તરીકે સ્થાપે છે. કોમ્યુનિટી હેલ્થસેન્ટરો, સરકારના આરોગ્યકેન્દ્રનું સંચાલન કરવું, સરકારને આરોગ્યકેન્દ્રો સ્થાપી આપવાં જેવી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy