________________
સ્વપ્ન શિલ્પીઓ
ભાવનગર અક્ષરવાડીના વિશાળ પટાંગણમાં એક જાહેર સમારોહમાં પૂ. પ્રમુખસ્વામી મહારાજશ્રીને
નંદલાલજી ભાવનગર સ્થાયી થતાં જ શ્રી રામનારાયણજીને ત્યાં માર્ગદર્શન અર્થે જતાં-આવતાં થયાં. એમના પુત્રી સુશ્રી ડો. ઉષા રામનારાયણ પાઠકના શબ્દોમાં “મારા પિતાશ્રી તેમના પ્રત્યે સદ્ભાવ સાથે નિષ્ઠાપૂર્વક કામ કરવાની ધગશ, ચોક્સાઈ અને પરિશ્રમની હંમેશ પ્રશંસા કરતા, સાલસ-ભાવનાશીલ લેખક તરીકે તેમની ઓળખાણ આપતાં.” ડો. ઉષાજી આગળ જણાવે છે તેમ “ગ્રંથ-સંપાદનનું કામ બહુ પરિશ્રમ માંગી લેતું કામ છે.” તેમાં નંદલાલજીએ ટેબલવર્ક અને ફિલ્ડવર્ક બંને સંભાળ્યાં, કેમ કે તેમને લાગ્યું કે તેમના પોતાના જેવું સંતોષકારક કામ કોઈ આપી શકશે નહીં. ખભે થેલો લઈ ઉતાવળી ચાલે ચાલતા જાય, નિર્ધારિત કામ પાર પાડવાની તત્પરતા અને બને ત્યાં સુધી બધુજ જાતે કરવાનો સ્વભાવ; લેખોની સ્વચ્છ નકલો તૈયાર કરવી, પ્રૂફ જોવાં, ટપાલ લખવી–પોસ્ટ પણ જાતે જ કરવી, હાથમાં થેલી અને લખાણો સાથે પ્રેસમાં જવાનો તેમનો ક્રમ આજે પણ તેમણે જાળવી રાખ્યો છે. કાર્લાઇલના વાક્ય : “બ્લેસ્ડ ઇઝ હી હુ હેઝ ફાઉન્ડ હીઝ વર્ક’ના ન્યાયે નંદલાલજીને પોતાનું કામ આજે પણ એટલું જ ગમે છે, એટલે એ માતા સરસ્વતીજીના આશિષ પામેલાં તો ચોક્કસ કહેવાય.
Jain Education International
‘પથપ્રદર્શક પ્રતિભાઓ' ગ્રંથ અર્પણ કરી
આશીર્વાદ મેળવતા
સંપાદક શ્રી નંદલાલ દેવલુક.
પ્રખ્યાત સાહિત્યકાર–જૈન ધર્મચિંતક પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ કહે છે : “શ્રી નંદલાલ દેવલુક એક ભેખધારી વ્યક્તિ છે, જેમણે સમાજને રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિના વિરાટ ગ્રંથો આપવાનો સદૈવ પ્રયત્ન કર્યો છે. આમાં વિશ્વથી માંડી એશિયા, ભારત, ગુજરાત, સૌરાષ્ટ્ર ને છેક ગોહિલવાડ વિશેની વિસ્તૃત માહિતીનું ચીવટભેર સંકલન કર્યું છે.”
For Private & Personal Use Only
૪૩
જ્યારે શ્રી નંદલાલજીએ ૧૯૬૪માં ગ્રંથનિર્માણ શરૂ કર્યું ત્યારે સમય જુદો હતો.સ્વતંત્રતાને હજી સત્તરેક વર્ષ થયેલાં. એથી લોકોમાં સેવાનો અને અભ્યાસનો પણ જુસ્સો હતો. ટી.વી.-મોબાઇલ તો ઠીક, પણ ટેલિફોન–લાઇટનીય સગવડો વિકસી નહોતી એટલે લોકોના મનમાં આજના જેવી અશાંતિ-ઉત્પાત નહોતો. જ્યારે માણસ મુસાફરી ઓછી કરે, અપ-ડાઉનના કે ઝડપી મુસાફરીનાં સાધનો-રસ્તા-સગવડો ન હોવાને કારણે એક જગ્યાએ સ્થિર થઈને રહે, ત્યારે તેને મળતી મનની શાંતિને કારણે અભ્યાસ-વાચન-મનન ગમે
www.jainelibrary.org