________________
સ્વપ્ન શિલ્પીઓ
એ જમાનામાં પુરુષો શિક્ષિત થવા લાગેલા અને ગાંધી વિચારધારાના પ્રભાવ નીચે આવતાં આશ્રમી જીવનપ્રણાલી અને ખાદી ધારણ કરેલી. પરંપરાગત રીતરિવાજ અને રૂઢ માન્યતાઓમાંથી બહાર આવતા જતા હતા. સ્ત્રીઓમાં શિક્ષણ ઓછું હતું. સાથોસાથ રીતિરિવાજ અને રૂઢ માન્યતાઓમાંથી હજુ મુક્ત થયેલી ન હતી. આશ્રમના અંતેવાસીઓ-રાષ્ટ્રીય
શિક્ષણ સંસ્થાઓમાં વસતાં-કામ કરતાં દંપતીઓ આ પરિસ્થિતિમાં સ્નેહ, સમજણ અને ઉદારતાથી વર્તતાં હતાં. પતિ પત્નીના વ્યક્તિત્વ સ્વાતંત્ર્યનો વિચાર કરીને તેમને પોતાની રીતે વર્તવા દેતા હતા. તો પત્ની પતિ અને કુટુંબ પ્રત્યેના સ્નેહાદરથી પતિના આદર્શોને સ્વીકારી લઈ તેને અનુસરતી હતી. તેમાં પત્નીઓની જ વિશેષ મહત્તા હતી.
પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આશ્રમમાંના અંતેવાસી દંપતીઓ નરહિરભાઈ પરીખ, મહાદેવભાઈ દેસાઈ વ.ને આશ્રમજીવનના સંદર્ભમાં એક વખત કહેલું કે “મારે મન નરહિર કરતાં મણનું અને મહાદેવ કરતાં દુર્ગાનું મૂલ્ય વિશેષ છે.''
મૂળશંકરભાઈએ ભાવનગર શહેર છોડીને આંબલા-ગામડામાં જવાનું નક્કી કર્યું ત્યારે શરૂઆતમાં તો હંસાબહેન તેનાથી નારાજ થયેલાં. મૂળશંકરભાઈ એકલા જ આંબલા ગયેલા, પણ પછી રેવાબા અને મોટો પુત્ર બકુલ ભાવનગરમાં રહ્યાં અને હંસાબહેન બન્ને પુત્રીઓ ઊર્મિલા અને મીનાને લઈને આંબલા ગયાં. ખાદી પહેરતાં થયાં. ગ્રામજીવન અને છાત્રાલયનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો સાથે ધીમે ધીમે ઓતપ્રોત થતાં ગયાં. વિદ્યાર્થીઓને અને સ્વજનોને તેમને ઘેર હંમેશા ઉમળકાભર્યો આવકાર મળતો. સાસુ રેવાબા ચુસ્ત વૈષ્ણવ. તેમણે બ્રહ્મસંબંધ લીધેલો. તેમનો આચારધર્મ સચવાય તેની કાળજી લેતાં તો પતિ મૂળશંકરભાઈએ નાતજાતના બંધનો ત્યજી દીધેલા. તેમની વિચારધારાને પણ સાસુ-વહુ બન્ને સ્વીકારીને ચાલતાં હતાં. આમ, હંસાબહેને તેમનો ગૃહસ્થાશ્રમ કોઠાસૂઝ અને સ્નેહાદરભર્યા વ્યવહારથી નિભાવેલો. શ્રી બુચભાઈએ લખ્યું છે કે ‘‘વિદ્યાર્થીઓને અપનાવવામાં અને માંદેસાજે તેમને સાચવવામાં પણ તેઓ ભાઈની પડખે સાચી રીતે રહ્યાં. આ બાબતમાં હંસાબહેનનું તાદાત્મ્ય બહુ મોટી માત્રામાં હતું, જેણે એમને ‘હંસામાડી’નું લાડકવાયું યોગ્ય બિરૂદ કોઈક સુભગ ક્ષણે છાત્રોમાંથી જ અપાવ્યું.” અને એ જ રીતે તેમનાં સંતાનો– બકુલભાઈ, ઊર્મિલાબહેન, મીનાબહેન, વિક્રમભાઈ વિદ્યાર્થી
Jain Education International
૫૨૫
સમુદાય સાથે સહોદર સ્નેહના ભાવે એકરૂપ બની શક્યા હતાં. બકુલભાઈએ વેટર્નરીમાં પી.એચ.ડી. કર્યું. થોડો વખત દેશમાં અને પછી અમેરિકા સ્થાયી થયા. ઊર્મિલાબહેન, મીનાબહેન, વિક્રમભાઈએ શિક્ષણ-અધ્યાપનને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું.
હંસામાડી માણસનું દુ:ખ તો જોઈ ન શકતાં પરંતુ
પશુઓનું દુઃખ પણ જોઈ શકતા નહીં. લોકભારતીની
ગૌશાળાની એક ગાયને તેમણે રીબાતી જોઈ, ભગવાનને પ્રાર્થના કરી કે “પાંચ અગિયારશ આપીશ'. આમ હંસામાડી કર્તવ્યપાલન અને ભાઈના આદર્શોને અનુસરવામાં દ્રઢતાપૂર્વક અડીખમ રહેનારાં પરંતુ હૃદયથી અત્યંત ઋજુ અને સંવેદનશીલ હતાં. શ્રી હીરજીભાઈ નાકરાણીએ તેમના માતૃભાવનો નિર્દેશ કરીને લખ્યું છે કે “જીવવા જેવા જીવનની એક તીર્થયાત્રાનું સુખ અહીં જ માણવા મળ્યું હતું.” વ્યક્તિત્વ અને જીવનદ્રષ્ટિ
શ્યામવર્ણ, મધ્યમ બાંધો, જાડું નાક, વિશાળ ભાલ અને પારદર્શક આંખો; ધીરગંભીર સૌમ્ય સ્નેહભીનું વ્યક્તિત્વ. પોષાક–ખાદીનું ટૂંકું ધોતિયું અને પહેરણ કે કફની. જે કોઈને મળે ત્યારે આછું સ્મિત કરીને પૂછે “કેમ છો ?” મૂળશંકરભાઈ માતુશ્રી રેવાબાના દ્રઢ, સ્વમાની, સ્વાશ્રયી વ્યક્તિત્વનો સંસ્કારવારસો પામ્યા, તો નાનાભાઈના ‘માનસપુત્ર’ તરીકે આજીવન શિક્ષણના ભેખધારી તરીકે તેમણે કામ કર્યું. ત્રીજો પ્રભાવ ઝીલ્યો પૂ. મહાત્મા ગાંધીજીનો–ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા અને રાષ્ટ્રીય કેળવણીની સંસ્થાઓમાં સમર્પિત બનીને કામ કર્યું. જૂના રીતરિવાજો, નાતજાતના ભેદભાવ છોડીને સાદું જીવન જીવ્યા.
જીવન પ્રત્યેનો તેમનો અભિગમ બૌદ્ધિક. તેઓ વૈજ્ઞાનિક અને વ્યવહારુ દ્રષ્ટિએ વિચારનારા હતા. આધ્યાત્મિક વલણના પાયામાં સદ્ગુણ અને સત્કર્મને તેઓ પ્રાધાન્ય આપનારા હતા તો પ્રેમ-ભક્તિમાં પણ રસ ધરાવતા અને નિયમિતરૂપે દૈનિક પ્રાર્થના કરતા. અંતિમ માંદગી વખતે પથારીમાં પડ્યા પડ્યા ભજનો સાંભળતા રહેતા. પ્રશ્નોરા જ્ઞાતિની એક વિશેષતા તે નર્મમર્મભરી વિનોદવૃત્તિ. ધીરગંભીર પ્રકૃતિના મૂળશંકરભાઈ પોતાની આગવી રમૂજવૃત્તિથી ભારેખમ વાતાવરણને હળવું ફૂલ બનાવી દેતા. સાહસિક અને નિર્ભીક મૂળશંકરભાઈએ પ્રવાસો ખૂબ કર્યા છે અને વિદ્યાર્થીઓને પ્રવાસો કરાવ્યા. વિદ્યાર્થીઓ પાસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજન પણ કર્યા હતા. મૂળશંકરભાઈ અત્યંત સંવેદનશીલ પરંતુ ચારિત્ર્યશુદ્ધિના
For Private & Personal Use Only
www.jainelibrary.org