SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ નાનાભાઈએ તેમનાં રસરુચિ પારખીને ૧૯૨૫માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ભણવા મોકલ્યા. તેમનો અભ્યાસનો મુખ્ય વિષય સંગીત હતો. તેમના ગુરુ હતા શંકરરાવ પાઠક. મૂળશંકરભાઈએ એમના પ્રિય વાઘ સિતારવાદનમાં ઉત્તમ કોટીની સાધના કરી હતી. સંગીતની પરીક્ષામાં તેમના પરીક્ષક હતા પંડિત નારાયણ મોરેશ્વરજી ખરેજી. સંગીતની પરીક્ષા પૂરી થયા પછી પંડિતજીએ પોતે આપેલ ગુણનો સરવાળો કર્યો ત્યારે ખબર પડી કે તેમણે સો ગુણમાંથી મૂળશંકરભાઈને ૧૧૦ ગુણ આપી દીધેલા પછી ગુણ કાપતાં ૯૫ ગુણ પાસે અટકી ગયા ! આ હતી એમની સંગીત– સાધનાની જ્વલંત સિદ્ધિ. ૧૯૨૭માં ગુજરાત વિદ્યાપીઠમાંથી સંગીત મુખ્ય વિષય સાથે તેમણે ‘લલિત કલા વિશ્વરદ'ની ઉપાધિ પ્રાપ્ત કરી, પછી ભાવનગર પાછા આવ્યા. ગૃહપતિ અને શિક્ષક તરીકેની કારકિર્દીનો આરંભ ૧૯૨૮માં ગોકળીબાઈ હાઈસ્કૂલ (અંધેરી), મુંબઈમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાં છ મહિના કામ કર્યું. પૂ. રેવાબાના આગ્રહથી નાનાભાઈએ તેમને ભાવનગર પાછા બોલાવી લીધા. અહીં નાનાભાઈની સ્નેહભરી દોરવણી નીચે ગૃહપતિની તાલીમ મળી અને દક્ષિણામૂર્તિ ભવનમાં ૧૯૩૦થી ૧૯૩૯ સુધી ગૃહપતિ અને શિક્ષક તરીકે કામ કર્યું. દક્ષિણામૂર્તિ સંસ્થા બંધ થતાં હરભાઈ ત્રિવેદીએ સ્થાપેલ ઘરશાળામાં ગૃહપતિ અને શિક્ષક તરીકે જોડાયા. ત્યાં ૧૯૪૫ સુધી નિષ્ઠાપૂર્વક કામ કર્યું. ગાંધીજીની પ્રેરણાથી નાનાભાઈએ આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા શરૂ કરેલી તેમાં ૧૯૪૫થી શરૂઆતમાં ત્રણ વર્ષ શિક્ષક તરીકે અને પછી બુનિયાદી અધ્યાપન મંદિરના આચાર્ય તરીકેની જવાબદારી ૧૯૫૩ સુધી નિભાવી. સંસ્થાના આદર્શ અનુસાર આચાર્ય તરીકે મૂળશંકરભાઈ મળ્યા પછી જ અધ્યાપન મંદિર શરૂ કરવામાં આવેલું. ૧૯૫૩માં ગ્રામ વિદ્યાપીઠ, લોકભારતી, સણોસરાની સંસ્થા શરૂ થતાં લોકસેવા મહાવિદ્યાલયના મુખ્ય ગૃહપતિ, અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપી. ૧૯૬૫માં સંસ્થામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ભાવનગર આવી સ્થાયી થયા. ભાવનગરમાં સ્થાયી થયા પછી પણ તેઓ નિષ્ક્રિય રહ્યા ન હતા. મૂલ્યનિષ્ઠ અને જાગ્રત નાગરિક; આચાર્ય અને મૌલિક વિચારક મૂળશંકરભાઈ ભાવનગરમાં શૈક્ષણિક અને Jain Education International ૫૨૩ લોકજાગૃતિની પ્રવૃત્તિઓમાં માર્ગદર્શક રહ્યા હતા. * શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંચાલિત ‘લોક-મિલાપ ટ્રસ્ટ'ના તેઓ પ્રમુખ ટ્રસ્ટી હતા. * દક્ષિણામૂર્તિ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવાઓ આપી. * વિનોબાજીના વિચારોને અનુસરીને ગુજરાતમાં ‘આચાર્યકુલ’ની સ્થાપના થઈ તેના પ્રથમ પ્રમુખ મૂળશંકરભાઈ હતા. સર્વોદય પરિવારના મિત્ર તરીકે અને પછી ભાવનગરમાં ‘લોકશક્તિ સંગઠન’ સ્થપાયું તેના પ્રમુખ તરીકે તેઓ જાહેરજીવનની પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા. ‘સંગઠન’ના ઉપક્રમે કટોકટી કાળમાં યોજાયેલી વ્યાખ્યાનમાળાઓ, સભાઓ, મીટીંગોમાં તેઓ નિર્ભીકપણે પ્રમુખ તરીકે અગ્રેસર રહ્યા હતા. ગૃહપતિ અને શિક્ષક મૂળશંકરભાઈને છાત્રાલયના ગૃહપતિ તરીકે પલોટ્યા નાનભાઈ ભટ્ટે. સમભાવશીલ ૠજુ પ્રકૃતિના મૂળશંકરભાઈએ વિદ્યાર્થી ભાઈ–બહેનોને નિર્વ્યાજ પ્રેમ આપ્યો અને તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા. શ્રી નટવરલાલ પ્ર. બુચે તેમને ‘મધર મૂળશંકર' કહ્યા છે તેમાં તેમના જન્મજાત સહજ વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વનો પરિચય મળી રહે છે, તો મનુભાઈ પંચોળી ‘દર્શકે' મૂળશંકરભાઈના મૌલિક વિચારણાના ગ્રંથ ‘શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ'નો પરિચય કરાવતાં લખ્યું છે કે ‘શિક્ષણને પોતાનો પરમ ધર્મ માનનારા તેમના (શ્રી નાનાભાઈ ભટ્ટના) સાથીદારોમાં મૂળશંકરભાઈ સૌના અગ્રણી છે. અર્જુનને જેમ શરસંધાન વખતે પોપટની આંખ સિવાય બીજું કશું દેખાતું ન હતું તેમ મૂળશંકરભાઈને પોતાની આજુબાજુની સૃષ્ટિમાંથી શૈક્ષણિક મૂલ્યો સિવાય બીજાં મૂલ્યો આકર્ષી શક્યાં નથી.'' મૂળશંકરભાઈની શિક્ષક અને સર્જક તરીકેની અસાધારણ સફળતા તેમની બહુશ્રુતતાને આભારી છે. તેમના અધ્યાપનના મુખ્ય વિષયો હતા સંગીત, ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્ય; મનોવિજ્ઞાન, ચિકિત્સાશાસ્ત્ર તદુપરાંત તત્ત્વજ્ઞાનના પણ અભ્યાસી હતા. મૂળશંકરભાઈ “સૌહાર્દના સાધક’’ વિદ્યાર્થીપ્રિય અધ્યાપક હતા. તેમનું વ્યક્તિત્વ ઘડાયું સંગીત અને સાહિત્યથી. ગૃહપતિ તરીકે વિદ્યાર્થીઓના—યુવાનોના માનસ સમજવા માટે માનસશાસ્ત્ર અને તેમના સ્વાસ્થ્યની રક્ષા માટે ચિકિત્સાશાસ્ત્રનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy