________________
૫૨૨
કસ્તૂરબહેન કવિ, શારદાબહેન શાહ વગેરે . બાર બહેનોને યરવડા જેલમાં લઈ ગયેલાં. નમક સત્યાગ્રહ દરમ્યાન સત્યાગ્રહ કરતાં જુદા જુદા વખતે ત્રણ વાર જેલમાં ગયેલાં. સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું સન્માન
૧૯૭૨માં ભારત સરકાર તરફથી સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન બદલ તામ્રપત્ર અને પેન્શન તેમને એનાયત થયેલું. શિક્ષણકાર્ય
હેમુભાઈ અને શારદાબહેન ગાંધી આશ્રમ, પોરબંદરમાં હિરજન બાળકોને ભણાવતાં હતાં. નમક સત્યાગ્રહ પૂરો થયા પછી બન્ને પાછા ગાંધી આશ્રમમાં પહોંચી ગયેલાં.
૧૯૩૩-'૩૪માં બાલ અધ્યાપન મંદિરની તાલીમ લઈ આવ્યાં, પછી શારદાબહેને હિરજન બાળકો માટેનું બાલમંદિર શરૂ કર્યું. શ્રી ગિજુભાઈએ બાલમંદિર માટેનાં સાધનો મોકલેલા. એક વખત ગિજુભાઈ દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિરના વિદ્યાર્થી ભાઈ-બહેનોને લઈને ગાંધી આશ્રમના બાલમંદિરની મુલાકાતે આવેલા. ૧૯૩૯થી ૧૯૪૬ હેમુભાઈએ દક્ષિણામૂર્તિ સંસ્થાના સંચાલનની જવાબદારી સંભાળી ત્યારે શારદાબહેને ત્યાંના બાલમંદિરમાં સેવાઓ આપેલી.
૧૯૪૭માં તેઓ મોમ્બાસા ગયાં ત્યાં તેમને સ્વતંત્ર રીતે કામ કરવાની વિશેષ તક મળી. હેમુભાઈ—શારદાબહેને સ્વતંત્ર રીતે સ્થાપેલી દેવબાઈ નર્સરી સ્કૂલ'ના બાલમંદિરનાં મુખ્ય કર્તાહર્તા શારદાબહેન હતાં.
‘નૂતન બાલશિક્ષણ સંઘ'ના કેન્યાનાં મંત્રી તરીકે અને બ્રહ્મસમાજની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય ભાગ લેતાં હતાં. શારદાબહેને પોપટભાઈ પંડ્યા પાસે સંગીતનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો અને હાર્મોનિયમ શીખ્યાં હતાં. હાર્મોનિયમ સાથે રાષ્ટ્રગીતો, બાલગીતો ભજનો અને લોકગીતો–લગ્નગીતો તેઓ મધુર કંઠે ગાતાં હતાં. શ્રી ગીતા વ્યાસ વિદ્યાનંદજી મહારાજ પાસે ભગવદ્ગીતાનો અભ્યાસ કર્યો એ પછી તેઓ પોતે ગીતાજી ઉપર મહિલા મંડળમાં વ્યાખ્યાનો આપતાં. મોમ્બાસામાં “મહિલા મંડળ””માં તેઓ બહુવિધ કાર્યક્રમોનું આયોજન કરતાં હતાં. શિવણવર્ગ ચલાવતાં, ધાર્મિક વ્યાખ્યાનો યોજતાં, કથાવાર્તાઓ કરતાં, પ્રવાસો પણ ગોઠવતાં. “મહિલા જગત” નામના સામયિકનું તેઓ સંપાદન પણ કરતાં હતાં. મોમ્બાસામાં બાળકો અને બહેનો માટેના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં હેમુભાઈ અને શારદાબહેન હંમેશા અગ્રેસર રહેતાં હતાં.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ ૧૯૬૪માં તેઓ સ્વદેશ પાછા ફર્યા પછી ભાવનગરમ સ્થાયી થયા. પછી શારદાબહેને નિવૃત્ત ધર્મમય જીવન પસા કર્યું. ૨૯-૧૨-૨૦૦૩ના રોજ તેમનો દેહવિલય થયો. પ્રેમાળ ગૃહપતિ, વિરલ શિક્ષક, ઉત્તમ અનુવાદક અને વિચારક મૂળશંકર મો. ભટ્ટ
“દરેક શિક્ષકને પોતાનો ધર્મ બજાવવા માટે પૂરતું ક્ષે> છે. જ્યાં બાળક છે, જ્યાં નવી પેઢી છે ત્યાં ત્યાં શિક્ષકની જરૂર જ છે. ક્યાં વધારે એ તે દરેકે પોતે નક્કી કરવાનું છે. પ ક્યાંય એની જરૂર નથી એવું નથી. આપણે સૌએ દીવામાંર્થ દીવો પ્રગટાવ્યા કરવાનો છે, પ્રગટાવ્યા જ કરવાનો છે.” —મૂળશંકર મો. ભટ્ટ
‘ગુરુત્વના યાત્રી’ મૂળશંકરભાઈએ શિક્ષણને જ પોતાનો સ્વધર્મ માન્યો હતો.
જન્મ : પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં રોજકા (તા. ધંધુકા) મુકામે ૨૬ જૂન ૧૯૦૭ના રોજ મૂળશંકરનો જન્મ. અવસાન : ૩૧મી ઓક્ટોબર, ૧૯૮૪. વિશેષતા : પ્રશ્નોરા જ્ઞાતિના મુખ્ય વ્યવસાયો. વિદ્યાવ્યાસંગ, કથાવાર્તા [કથન] અને વૈદું. આ ત્રણેયશક્તિ સમન્વિતરૂપે મૂળશંકરભાઈને પ્રાપ્ત થયેલી.
પિતા મોહનલાલ ભટ્ટની છત્રછાયા પાંચ વર્ષની ઉંમરે ગુમાવી. માતા રેવાબાએ સંતાનોને અથાગ પરિશ્રમથી સ્વમાનભેર ઉછેર્યાં. મૂળ નક્ષત્રમાં જન્મ્યા માટે મૂળશંકર નામઘરમાં ટૂંકું નામ મૂળુ ભટ્ટ, પછી મૂળશંકર ભટ્ટ. લેખક, અનુવાદક તરીકે મૂ. મો. ભટ્ટ અને છેલ્લે સ્વજનો-વિદ્યાર્થીઓ પાસેથી સ્નેહાદર ભર્યું “ભાઈ”નું સંબોધન પામ્યા.
અભ્યાસ
પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ થયો રાજકોટની ગુજરાતી શાળામાંથી. પણ ખરેખરું શિક્ષણ તો શરૂ થયું રેવાબા ભાવનગર આવીને રહ્યાં અને મૂળશંકરને નાનાભાઈ ભટ્ટના હાથમાં સોંપ્યો. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં દાખલ થયા ત્યારથી. નાનાભાઈ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના મુખ્ય ગૃહપતિ હતા. મૂળશંકરભાઈએ દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાંથી વિનીત (મેટ્રિક) સુધી અભ્યાસ કર્યો. નાનપણથી જ ગાયન-વાદનનો શોખ.
For Private & Personal Use Only
www.jainelibrary.org