SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ સ્થાપવાના ઉદ્દેશથી શુકલતીર્થમાં શ્રી ગંગાદાસભાઈની શાળાને સ્કાઉટની વિવિધ પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે પસંદ કરી. સ્કાઉટબાલવીરો તૈયાર કર્યા. ડૉ. જી. એસ. અડેલના પ્રમુખપદે શુકલતીર્થમાં એક ‘શિક્ષણ પરિષદ' પણ યોજવામાં આવેલી જેમાં શિક્ષણને નૂતનરૂપ કઈ રીતે આપી શકાય તેની ચર્ચા કરેલી. ઇ.સ. ૧૯૨૪માં ડૉ. અરુંડેલ સાથે લંડન ગયા. ત્યાં T.D. થયા પછી M.A. (Education) થયા. ત્યાંની શિક્ષણ સંસ્થાઓનો પરિચય મેળવ્યો. તદુપરાંત ‘ગિલ્વેલ’ ખાતે Wood badge કોર્સમાં જોડાઈ સ્કાઉટીંગની સર્વોચ્ચ તાલીમ પ્રાપ્ત કરી. શિક્ષણક્ષેત્રે કાર્ય ઇ.સ. ૧૯૨૭માં લંડનથી પાછા ફર્યા પછી મુંબઈની ‘ફેલોશીપ સ્કૂલ'ના આચાર્ય તરીકે જોડાયા. આચાર્ય અત્રેએ તેમના વિશે કહેલું કે શિક્ષણમાં સંસ્કૃતિ અને ધ્યેયનિષ્ઠાનો સુંદર સમન્વય થવો જોઈએ એ આચાર્ય વ્યાસનો મુદ્રામંત્ર હતો. એ જમાનામાં તેમણે જાહેર જનતાનો વિરોધ વહોરીને શાળામાં ‘સહશિક્ષણ’ની પ્રથાનો પ્રારંભ કરેલો. જીવનભાવના કેળવણીક્ષેત્રે પોતાના આદર્શો સિદ્ધ કરવા માટે ૧૯૩૦માં પોતાની સ્વતંત્ર શાળા ધી ન્યૂ ઇરા સ્કૂલ'ની સ્થાપના શ્રી મગનભાઈ વ્યાસ વિદ્યાર્થી અવસ્થામાં જ થિયોસોફી વિચારધારાથી પ્રભાવિત થયેલા, તદુપરાંત સ્કાઉટ્સ અને ગાઈડની પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા હતા. જેના કારણે જનસેવા એ જ પ્રભુસેવા' એ ભાવના સાથે કેળવણીક્ષેત્રે પોતાનું જીવન કરી. શાળામાં સ્કાઉટ અને ગાઈડ'ની પ્રવૃત્તિને પણ અગત્યનું સમર્પિત કર્યું. આમ તેમને માટે શિક્ષણકાર્ય એ જ આધ્યાત્મિક કર્મમાર્ગ હતો. સ્થાન આપેલું. તેઓએ શાળામાં નૂતન શિક્ષણ પદ્ધતિની સાથોસાથ નૃત્ય, સંગીત, નાટ્ય, ચિત્ર, ઇતર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા શિક્ષક, શિષ્ય અને મા-બાપો વચ્ચેનો કૌટુંબિક સંબંધ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેવા નૂતન અને સર્જનાત્મક પ્રયોગો પણ કર્યા હતા. એ સમયના વાઈસરોય શ્રી લૉર્ડ લિન્લિથગોએ ન્યૂ ઇરા સ્કૂલ'ની ખાસ મુલાકાત લીધેલી અને તેના સંચાલનની પ્રશંસા કરેલી. ન્યૂ ઇરા સ્કૂલ'ના શિક્ષકો અને નાનાં—મોટાં કાર્ય કરનારા સૌ સાથે તેઓ કૌટુંબિક ભાવ રાખતા હતા. નૂતન શિક્ષણ માટેની વિશિષ્ટ દ્રષ્ટિ ધરાવતા શ્રી મગનભાઈના માર્ગદર્શન નીચે ગુજરાતમાં અવિધા, અબ્રામા અને ઇટાલામાં ત્રણ હાઈસ્કૂલો શરૂ થયેલી. તેમણે ઇ.સ. ૧૯૫૨માં ભારત સરકારે નીમેલા માધ્યમિક કેળવણી પંચના સભ્ય તરીકે, મુંબઈ રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગોની અભ્યાસક્રમ સમિતિના પ્રમુખ તરીકે અને ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સ-મહારાષ્ટ્ર સ્ટેટ્સના પ્રમુખ તરીકે સ્વપ્ન શિલ્પીઓ “એજ્યુકેશનલ ફેલોશીપ ઇન્ટરનેશનલ”ના હિન્દુ વિભાગના પ્રમુખ તરીકે—આમ શિક્ષણક્ષેત્રે વિવિધ જવાબદારીઓ સુપેરે વહન કરી હતી. કેળવણીક્ષેત્રે તેમના બહુમૂલ્ય યોગદાન બદલ ભારત સરકારે એમને ‘પદ્મશ્રી'નો માનવંતો ઇલ્કાબ એનાયત કર્યો હતો. મગનભાઈએ શૈક્ષણિક કાર્ય અર્થે અમેરિકા, ઇંગ્લેંડ, રશિયા, જાપાન અને ચીન વગેરે દેશોની શિક્ષણયાત્રા કરી હતી અને એ સઘળા દેશોને ભારતની શિક્ષણ પ્રણાલીમાં રસ લેતા કર્યા હતા. ચીનમાં મોકલવામાં આવેલ સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ અને રશિયામાં મોકલાયેલ શૈક્ષણિક અભ્યાસમંડળના તેઓ નેતા હતા. ઇ.સ. ૧૯૬૪માં ન્યૂયોર્ક યુનિવર્સિટીના આમંત્રણથી ભારતીય શિક્ષણશાસ્ત્રીઓના પ્રમુખ તરીકે પણ આચાર્ય મગનભાઈ વ્યાસ જ ન્યૂયોર્ક ગયા હતા. આમ શૈક્ષણિક ક્ષેત્રે ભારતે વિશ્વ સાથે આંતરરાષ્ટ્રીય સંબંધ બાંધવાના જે પ્રયાસો કરેલા તેનું નેતૃત્વ અનેકવાર મગનભાઈ વ્યાસે લીધેલું અને એ જવાબદારી સફળતાપૂર્વક નીભાવેલી. Jain Education International શ્રી મગનભાઈ વ્યાસ નૂતન શિક્ષણ જગતના ધ્રુવતારક, આંતરરાષ્ટ્રીય કેળવણીકાર, શિક્ષક અને સંચાલક વચ્ચે કુટુંબભાવનાને વિકસાવનાર, દિલાવર દિલના, સિદ્ધાંતનિષ્ઠ વ્યક્તિ હતા. તેમનાં જીવનસાથી શ્રીમતી સરોજબહેન મગનભાઈની ધ્યેયલક્ષી, સ્વપ્નશીલ વિચારધારામાં તથા શિક્ષણક્ષેત્રે પૂરેપૂરા આદર્શ જીવનસંગિની-સહકાર્યકર્તા રહ્યાં હતાં. તેમનાં મોટાં પુત્રી ઉષાબહેન ડૉક્ટર છે તો ઇલાબહેન જાણીતાં ચિત્રકાર છે. શ્રી મગનભાઈ વ્યાસના અનુગામી-ન્યુ ઇરા શાળાના આચાર્ય, શ્રી કાંતિલાલ વ્યાસે તેમના વિશે જણાવ્યું છે કે “(તેઓ) પોતાની ન્યુ ઇરા શાળામાં અવનવી પ્રવૃત્તિઓ છેક સુધી અજમાવતા રહ્યા. એક જીવંત શિક્ષણસંસ્થાને માટે જરૂરી એવી સંચાલન પ્રણાલિકા ઉપજાવી અને સ્થિર કરી. શાળા સંચાલનના ક્ષેત્રમાં તેઓ નવીનતાના જાણે કે અગ્રદૂત બની રહ્યા.. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy