________________
સ્વપ્ન શિલ્પીઓ
૧૯૯૦-૯૧માં “શાસનપ્રભાવક શ્રમણ ભગવંતો' ગ્રંથના વિમોચન પ્રસંગે ભાવનગર મ્યુ. ટાઉનહોલમાં નેમિસૂરિ સમુદાયના પ્રભાવક આચાર્યો
આ. શ્રી દેવસૂરિજી, આ.શ્રી હેમચંદ્રસૂરિજી, પં.શ્રી | પ્રધુમ્નસૂરિજી (હાલ આચાર્ય અને પૂ.પં. રત્નસુંદરવિજયજી (હાલ આચાર્યની પ્રેરક નિશ્રામાં ભાવનગર જૈન સંઘના પ્રમુખ શ્રી મનમોહનભાઈ તંબોળીના વરદ્ હસ્તે કલાત્મક શિલ્પઓપતી પંચધાતુની પદ્માવતી દેવીની એક ભવ્ય પ્રતિમા હજારોની માનવમેદની વચ્ચે સંપાદક
શ્રી નંદલાલભાઈને અર્પણ કરી તે વખતે કેન્દ્રના રાજ્યપ્રધાન જયંતીભાઈ શાહ, ગુજરાત રાજ્યના માજી નાણામંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ અને જેન | અગ્રેસરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.
ઔપચારિક શિક્ષણ’ ટાળી ૧૮ વર્ષની ઉંમરે રૂ. ૫૦ના પગારથી ગ્રંથપાલ તરીકે નોકરી શરૂ કરી. ગ્રંથો સાથે રહેવાના આ યોગાનુયોગે ડિગ્રી-સર્ટિફિકેટથી પર એવા સાચા અભ્યાસની દિશાઓ ખોલી નાખી. શ્રી ગુણવંતરાય આચાર્ય, શ્રી ર.વ.દેસાઈ અને શ્રી સોપાનનાં પુસ્તકો તેઓ ત્યારે ખૂબ વાંચતાં. સાથેસાથે ૧૯૫૪ બાદ તેઓ કોંગ્રેસ સેવાદળની યુવકપ્રવૃત્તિના ગોહિલવાડ-જિલ્લા સંગઠક થતાં જ ગ્રંથપાલ તરીકેની નોકરી લોકસેવાર્થે જતી કરી. ૧૯૫૬માં કોંગ્રેસના તળાજાના તાલુકામંત્રી અને ૧૯૬૨માં ભારત સેવક-સમાજના ‘કન્વીનર' તરીકેની કામગીરી સંભાળેલી, જેથી ગુજરાત-દિલ્હીના નાનામોટા નેતાઓનો નજીકથી પરિચય થયો. સાથોસાથ, લાઇબ્રેરીના સાહિત્યવાચન સાથે તમામ અખબારોના તંત્રીલેખ વાંચવાનો રસ પણ કેળવાયો, એથી પત્રકારત્વનો રસ જાગતાં ૧૯૫૫થી ૧૯૬૪ સુધી માનદ્ પત્રકાર તરીકે પણ કામ કર્યું. આમ, લોકસંપર્ક અને સમાજના પ્રશ્નોને સમજવા-વાચા આપવાની તક મળતાં જાહેર જીવનનો સારો-નરસો વિશાળ અનુભવ મેળવ્યો પણ જાહેરજીવનમાં તેમને જે અણગમતું હતું તે પણ કરવું પડે તેમ લાગતાં છેવટે તેમણે માર્ચ૧૯૬૪માં જ પત્રકારત્વ અને રાજકારણ એ બંનેનો ત્યાગ કરી ગ્રંથ-સંપાદનને જ પોતાનું જીવનકાર્ય બનાવ્યું.
ઓગસ્ટ ૧૯૯૦માં. ભાવનગર શ્વે.મૂ. જેના તપા. સંઘના ઉપક્રમે જૈનસંદર્ભ સાહિત્યની અનુમોદનાર્થે ભાવનગર ટાઉનહોલમાં યોજાયેલા એક શાનદાર સમારંભમાં પોતાને મળેલા સન્માનનો પ્રત્યુત્તર વાળતા સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુક.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org