________________
४०
વિ.સં.૨૦૫૦માં મહારાષ્ટ્રના નાગપુર મુકામે ચાતુર્માસ દરમ્યાન લબ્ધિવિક્રમકૃપાપાત્ર પ.પૂ.આ.શ્રી રાજયશસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં બે મહાકાય ગ્રંથનાં વિમોચન ગુજરાતરાજ્યના મુખ્યમંત્રી શ્રી છબીલભાઈ મહેતાના હસ્તે અને ‘શ્રમણીરત્નો' ગ્રંથનું વિમોચન મંત્રીશ્રી ચંદ્રિકાબહેન ચુડાસમાના વરહસ્તે થયું હતું. તે પ્રસંગે સંપાદકનું જાહેર સન્માન થયું
હતું.
૨૫ વર્ષ પહેલાં ભાવનગર જૈન શ્રેયસ મંડળના એક શૈક્ષણિક સમારોહમાં પ્રાસંગિક પ્રવચન કરતાં સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુક નજરે પડે છે.
Jain Education International
(બ્રહ્મભટ્ટ)નો જન્મ થયો તા. ૧૫મી ઓક્ટોબર, ૧૯૩૫ના રોજ પાલિતાણામાં; પિતાશ્રીને રામાયણ કંઠસ્થ હતી નિત્ય જૈન દેરાસર જવાની ટેવ, તેનો પ્રભાવ બાળક ઉપર પડે જ! માતા સંતોકબહેન પણ ધાર્મિક, એથી ઘર આંગણે સાધુસંતોની સેવા પણ થતી. પાલિતાણાના સ્વાતંત્ર્યસેનાની અગ્રણી નેતાશ્રી જોરસિંહભાઈ કવિ અને માતા સંતોકબહેન માસિયાઈ ભાઈ–બહેન, એટલે નંદલાલજી નાનપણથી જ સેવાદળ-રાષ્ટ્રીય ચળવળોમાં સક્રિય રહ્યા. ૧૯૪૨ની સ્વાતંત્ર્ય-ચળવળમાં વિદ્યાર્થી સ્વયંસેવક તરીકે ભાગ લીધો, તો ૧૯૫૪માં સેવાદળના સાંસ્કૃતિક આયોજનોમાં નંદલાલજીએ તેમના મિત્રો સાથે નાટક ભજવેલું, જેમાં તે વેળા મદ્રાસના
સ્વપ્ન શિલ્પીઓ
[[[ vrhf
ગવર્નર અને ભાવનગરના મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી ખાસ નિમંત્રણથી પધારેલા,. પણ આ ‘નાટક' એટલું તો મોંઘું પડ્યું કે ખર્ચ કાઢવા શ્રી નંદલાલજીને પોતાનાં ભાભીનાં ઘરેણાં વેચવા પડેલાં!
For Private & Personal Use Only
જૈન તીર્થ પાલિતાણાના બ્રહ્મભટ્ટ-બારોટ સમાજને જૈન સમાજ સાથે પેઢીઓથી એવી પરંપરા રહી છે કે જૈન અગ્રણીઓ પધારે ત્યાં બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનો તેમને ફૂલહાર કરતાં, જેના કારણે નંદલાલજીનો જૈનાચાર્યો સાથે બાળપણથી જ સતત સંપર્ક રહ્યો અને એમનાં ઘડતર-ભણતરમાં પણ એ જ પ્રભાવ રહ્યો. તેઓ પાલિતાણા–જૈન ગુરુકુળમાં મેટ્રિક થયા, અને કૌટુંબિક જરૂરિયાતોને લીધે ૧૯૫૩માં આગળનું
www.jainelibrary.org