________________
૫૧૦
સમર્પિત રાષ્ટ્રસેવક, કર્મયોગી અને આદર્શ સત્સંગી શ્રી મનુભાઈ બક્ષી
“આમેય પહેલેથી જ ગાંધીચીંધ્યા માર્ગના પથિક તો હતા જ એટલે જીવનમાં સાદાઈ, સ્વાશ્રિયતા અને સંયમ તો હતાં જ. એમાં શ્રીજી ચીંધ્યા માર્ગનો રંગ ભળતાં સોનામાં જાણે સુગંધ ભળી. તેઓ આજીવન ખાદી અને સંત સમાગમના ઉપાસક રહ્યા.' —પ્રમુખસ્વામી મહારાજ. પરહિત સરિસ ધરમ નહીં ભાઈ !''
સૌરાષ્ટ્રના પ્રથમ કક્ષાના સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીચીંધ્યા માર્ગે રચનાત્મક પ્રવૃત્તિ કરનારા, આદર્શ સત્સંગી અને સ્નેહાળ મનુભાઈ બક્ષી જીવનભર તન-મન-ધનથી વ્યક્તિઓને અને સંસ્થાઓને સહાયરૂપ બનતા રહ્યા હતા. પૂર્વજો
મનુભાઈના પિતા મણિલાલ છ. બક્ષી ઝારોળા વિણક જ્ઞાતિના ધાર્મિક વૃત્તિના વૈષ્ણવ. માતા શ્રીમતી મુક્તાલક્ષ્મીબહેન. મણિભાઈ મૂળ ભાવનગરના વતની. વ્યવસાય અર્થે મુંબઈ જઈને વસેલા. ખંત, પુરુષાર્થ અને સતત પરિશ્રમથી શેરદલાલ તરીકે પ્રતિષ્ઠિત અને આર્થિક રીતે પણ ખૂબ સમૃદ્ધ થયા. ધર્મનિષ્ઠ અને ઉદાર રાષ્ટ્રપ્રેમી વિચારસરણી ધરાવતા મણિભાઈ જીવનમાં નીતિ, પ્રમાણિકતા અને સદાચારના આગ્રહી હતા. મનુભાઈ આઠ વર્ષના થયા ત્યારે ત્રણેય ભાઈઓએ માતા મુક્તાલક્ષ્મીની હૂંફ ગુમાવી પરંતુ મણિભાઈએ માતૃવાત્સલ્યથી, ઉમદા શિક્ષકભાવે પુત્રોને ઉછેર્યા. તેઓ તંદુરસ્ત શરીર, સાદું અને ધર્મયુક્ત જીવન, સ્વાવલંબન, સેવાભાવના તથા અપરિગ્રહી વૃત્તિ ઉપર હંમેશા ભાર મૂકતા. મણિભાઈ “હવે વધારે કમાવું નથી, ભેગું કરવું નથી.” એવા નિર્મોહી ભાવે, વ્યવસાયમાંથી નિવૃત્ત થયા ત્યારે તેમણે પોતાની કમાણીમાંથી પુત્રો અને પરિવારજનોને જે રકમ આપી તેનાથી વિશેષ રકમ લોકહિતાર્થે દાનમાં આપી. ધર્મપત્નીની સ્મૃતિમાં ભાવનગરમાં મુક્તાલક્ષ્મી કન્યા વિદ્યાલય શરૂ કર્યું. શિશુવિહાર સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે તેઓ સહાયરૂપ
થતા હતા.
જન્મ, અભ્યાસ અને લગ્ન :
મનુભાઈનો જન્મ ૨૮-૫-૧૯૦૮ના રોજ ભાવનગરમાં થયો હતો. અવસાન : ૧૯૯૨.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ તેમના પિતાશ્રી ત્યારે મુંબઈમાં રહેતા હતા. મનુભાઈએ પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. એ અરસામાં સરદાર પૃથ્વીસિંહ છુપા વેશે ‘સ્વામીરાવ’ના નામે ભાવનગરમાં રહેતા હતા અને મોતીબાગ અખાડામાં, ગણેશસ્ક્રીડા મંડળમાં વ્યાયામની તાલીમ આપી યુવાનોને તૈયાર કરતા હતા. તેમાં શ્રી મનુભાઈ, બાઉદ્દીનભાઈ વ. મિત્રો મુખ્ય હતા. મનુભાઈ અને તેમના મિત્રો દેવશંકરભાઈ બધેકા, ભાઈચંદભાઈ શાહ, વકીલ પ્રેમચન્દ્રભાઈ શાહ દેશભક્તિના રંગે રંગાયેલા હતા. સૌ મિત્રો સાથે મળીને જીવનના આદર્શોની ચર્ચા-વિચારણા કરતા રહેતા.
કોલેજના અભ્યાસ માટે મનુભાઈ મુંબઈ ગયા. બી.કોમ.નો અભ્યાસ કરતા હતા તે દરમ્યાન ૧૯૩૦ની નમક સત્યાગ્રહની લડતમાં ભાગ લેવા અભ્યાસ છોડીને ધોલેરા પહોંચી ગયા. ૧૯૩૪માં લડત પૂરી થયા પછી પુનઃ અભ્યાસમાં લાગી ગયા અને બી.કોમ. થયા.
૧૯૩૪માં વડોદરાના સંસ્કારી શ્રોફ કુટુંબના પુત્રી રમાબહેન સાથે મનુભાઈના લગ્ન થયાં. પિતાજી અને શ્વસુરપક્ષે આગ્રહ કરીને બન્નેને વધુ અભ્યાસઅર્થે ઇંગ્લેન્ડ મોકલ્યા. મનુભાઈએ ત્યાં ‘અર્થશાસ્ત્ર' વિષયમાં અભ્યાસ કર્યો. બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં તેઓ ભારત પાછા ફર્યા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં
મનુભાઈને સાદાઈ, શ્રમ, અપરિગ્રહના સંસ્કાર પિતાશ્રી મણિભાઈ તરફથી પ્રાપ્ત થયા હતા. રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા મણિભાઈની અંતરની એવી ભાવના હતી કે “તેમના ત્રણ પુત્રોમાંથી એક પુત્ર દેશસેવામાં રંગાય તો ખોટું નહીં”. ગાંધી વિચારધારાથી રંગાયેલા મોટા પુત્ર મનુભાઈએ રાષ્ટ્રસેવાને પોતાનું જીવનધ્યેય બનાવ્યું. ૧૯૩૦માં ગાંધીજીએ નમક સત્યાગ્રહ શરૂ કર્યો. મનુભાઈ મુંબઈથી કોલેજનો અભ્યાસ છોડીને ધોલેરા (સૌરાષ્ટ્ર) મુકામે નમક સત્યાગ્રહમાં ભાગ લેવા પહોંચી ગયા. પીંગલપુર ગામની છાવણીના તેઓ નાયક હતા. રતુભાઈ અદાણીએ તેમનો પરિચય આપતાં લખ્યું છે કે : બેઠી દડીનો ઠીંગણો દેહ, વ્યાયામથી કસાયેલી કાયા, ગુલાબી છાંટ સાથેનો ઊજળો વાન, મોં પર સદાય ફરકતું મંદ મંદ હાસ્ય, બહુ જ ચોક્સાઈથી ઓળેલા માથાના વાળ, ખાખી રંગની ચડ્ડી અને બાંડિયું, એવા મનુભાઈએ થોડા જ સમયમાં અમારી છાવણીની જે વ્યવસ્થા ગોઠવી કાઢી એના ઉપરથી એમની આયોજન અને વ્યવસ્થા શક્તિ, તેમ જ એમના સ્વચ્છતા અને શિસ્તના આગ્રહનો ખ્યાલ આવી ગયો."
For Private & Personal Use Only
www.jainelibrary.org