SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ સ્વપ્ન શિલ્પીઓ પિતાશ્રી)ના સાત પુસ્તકો (૧) ભાગવત કથામૃત, (૨) ગાંધીકથા, (૩) ક્રાંતિકારી શહીદો, (૪) જીવનની ઉપાસના, (૫) બહુજન હિતાય, બહુજન સુખાય, (૬) જગતના ક્રાંતિકારી જ્યોતિર્ધરો, (૭) જગતની પ્રતિભાસંપન્ન મહિલાઓ–નું તેમણે સંપાદન કર્યું છે. પૂ. મુક્તાનંદબાપુ ‘જ્ઞાનતુલા અભિયાન’ નિમિત્તે ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા ૨૦૦૯માં તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. ઉષાબહેનનાં મૌલિક સર્જનોમાં ટૂંકી વાર્તાઓ, ચરિત્રાત્મક લેખો અને પ્રવાસ વર્ણનો મુખ્ય છે. ગમી ગયેલી કૃતિઓનો અનુવાદ તેમની પ્રિય પ્રવૃત્તિ રહી છે. અંગ્રેજી અને હિન્દીમાંથી વાર્તાઓ અને શિક્ષણ વિષયક લેખોના તેમણે અનુવાદો કર્યા છે. આકાશવાણી રાજકોટ પરથી તેમનાં પુસ્તક પરિચય, સમીક્ષાઓ, પ્રસંગકથાઓ, હળવી શૈલીના વાર્તાલાપો, સાહિત્ય અને કલાવિષયક વાર્તાલાપો પ્રસારિત થતાં રહ્યાં છે. ૧૯૫૫માં હેલસિન્કી (ફિલેડ)માં યોજાયેલ શાંતિ પરિષદમાં વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધેલો ત્યારે રશિયા અને ઝેકોસ્લોવેકિયાનો પ્રવાસ કર્યો હતો. ‘રશિયાનું આછેરું દર્શન' એ શીર્ષક નીચે ‘જનસત્તા’ દૈનિકના મેગેઝીન વિભાગમાં પ્રવાસ સંસ્મરણોની તેમની લેખમાળા પ્રસિદ્ધ થયેલી. ૧૯૬૦-૬૧ બે વર્ષ ‘ગુજરાત બાલવિકાસ સમિતિ’ રાજકોટના મુખપત્ર ‘દેવનાં દીધેલાં'ના તંત્રી તરીકે તેમણે કામ કરેલું. ૧૯૯૯-૨૦૦૦માં કેલિફોર્નિયા (યુ.એસ.એ.)ની મુલાકાત લીધી ત્યારે ત્યાંની સ્થાનિક સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકસાહિત્ય અને લોકવાર્તાઓ, હિન્દુ ધર્મ, સાહિત્યમાં ભક્તિતત્ત્વ ઇત્યાદિ વિષયો પર વ્યાખ્યાનો આપેલાં. સાન્તા ક્લારા અને સાનહોઝે (કેલિફોર્નિયા)માં તેમનાં ત્રણ ચિત્ર પ્રદર્શનો ગોઠવાયાં હતાં. કૉલેજમાં વિદ્યાર્થિનીઓની કલારુચિને પ્રેરક અને માર્ગદર્શક હોબી સેન્ટર તેઓ ચલાવતાં હતાં. કૉલેજમાંથી નિવૃત્ત થયાં પછી લેખન અને ચિત્રકામ તેમની મુખ્ય પ્રવૃત્તિ રહ્યાં છે. ઉષાબહેન દ્વારા સંપાદિત રામનારાયણ ના. પાઠક કૃત દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ (બોધકથાઓ) અને ધર્મ ત્યાં જય' (ધર્મકથાઓ) તદુપરાંત તેમનાં પોતાનાં પુસ્તકો : ‘ક્યાં સાદ પાડું?' (નવલિકાસંગ્રહ), ‘સ્મૃતિના સથવારે' (સંસ્મરણાત્મક લેખો) તથા પંચામૃત’ (લઘુકથાઓ અને પ્રસંગકથાઓ) હવે પછી પ્રગટ થવાનાં છે. હાલમાં રામનારાયણ ના. પાઠક (તેમના પિતાશ્રી)ના અગ્રંથસ્થ સાહિત્યનું તેઓ સંપાદન કરી રહ્યાં છે. તો નિર્બન્ધ રીતે ચિત્રો કરે છે. નિજાનંદ અર્થે કરેલાં ચિત્રોમાં દૃશ્યચિત્રો, પ્રકૃતિનાં વિવિધરૂપો, સ્ટીલલાઈફ, માનવપાત્રો, પરંપરાગત શૈલીનાં ચિત્રો અને અમૂર્ત શૈલીનાં ચિત્રો મુખ્ય છે. સુશોભન કલા પ્રત્યે પણ તેઓ રુચિ ધરાવે છે. તેમાં બાટિક અને ફેબ્રીક પેઈન્ટીંગ તેમના શોખના વિષયો છે. ૨૦૦૪માં સરદાર સ્મૃતિ ભાવનગરમાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. જેનું ઉદ્ઘાટન સુપ્રસિદ્ધ કલાકાર સ્વ. ખોડીદાસભાઈ પરમારના હસ્તે થયું હતું. ખોડીદાસભાઈએ તેમને ‘નિસર્ગના ચિત્રકાર' તરીકે ઓળખાવ્યાં છે. ભાવનગર અને મુંબઈ મુકામે યોજાયેલાં સમૂહ ચિત્રપ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો હતો. સાહિત્ય, ચિત્રકલા, સંગીત, કૃષિ વગેરે અનેક ક્ષેત્રે સતત કાર્યરત ઉષાબહેન મિત્રપરિવાર અને અન્ય સામાજિક સંબંધોમાં પણ પ્રવૃત્ત રહીને બધાની ચાહના મેળવી શક્યાં છે. વિદ્યા વિનયથી શોભે છે' એ પ્રચલિત ઉક્તિનું સાર્થક્ય ઉષાબહેનના વ્યક્તિત્વમાં દીપે છે. ‘આંબો ફળે ત્યારે નમે’ ઉષાબહેનની અનેક ઉપલબ્ધિઓ છતાં તેમની નમ્રતા, ૠજુતા અને લાગણીસભર વ્યવહાર સૌને પ્રભાવિત કરે છે. ધન્યવાદ. Jain Education International For Private & Personal Use Only —સંપાદક www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy