________________
૪૯૬
(૨૭) દિલેરબાબૂ
દિલેરબાબૂ તખલ્લુસધારી દેવેન્દ્રપ્રસાદ વિષ્ણુપ્રસાદ નિમ્બાર્કનો જન્મ તા. ૧૪-૬-૧૯૪૪ના રોજ ભાદ્રોડ, તા. મહુવામાં થયો હતો. એમનું વતન ભાવનગર. એસ.એસ.સી. સુધી અભ્યાસ કર્યા બાદ પોસ્ટઓફિસ ભાવનગરમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી નિવૃત્તિ ભોગવી રહ્યા છે. ભાવનગરની સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ (ગુજરાતી ગઝલ વિદ્યાપીઠ)ના સ્થાપકોમાંના એક અને ટ્રસ્ટી છે. જુદા જુદા પ્રતિષ્ઠિત સામયિકોમાં તથા પ્રતિનિધિ ગઝલસંગ્રહોમાં એમની ગઝલો સ્થાન પામતી રહી છે. એમનાં પ્રકાશનોમાં ગઝલસંગ્રહ ‘કાવ્યગુર્જરી’ અને ‘સરદાર વંદના’ વગેરે સંપાદનો છે. ટૂંક સમયમાં એમનો ગઝલસંગ્રહ પ્રકાશિત થવા જઈ રહ્યો છે. મનહર ઉધાસ અને અન્ય ગઝલગાયકોએ એમની ગઝલોને સ્વર આપેલો છે. તેઓ ખરા દિલથી ગઝલને વરેલા છે. એમના માર્ગદર્શનમાં તૈયાર થયેલ અનેક ગઝલકારો સફળ ગઝલકાર તરીકે નામના મેળવી ચૂક્યા છે. એમનું સરનામું ટી-૧૪, નિરનાદ એપાર્ટમેન્ટ, માલદાર વિલા સામે, રૂપાણી દીવડી પાસે, ભાવનગર-૩૬૪૦૦૧ છે. અને તેમનો ફોન નં. છે (ઘર) (૦૨૭૮) ૨૫૬૧૫૯૫ અને (મો.) ૯૮૨૫૪૩૯૨૪૧ છે. એમનો શે'ર :
લોકો વળાંક જોઈ વળી જાય છે તરત, કોણે કર્યો વિચાર અહીં લાગણી વિશે!
(૨૮) ધૂની માંડલિયા
ધૂની માંડલિયા નામે લખતા અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ સુરેન્દ્રનગર જિલ્લાના માંડલ ગામના વતની હોવાથી પોતાના ઉપનામ પાછળ તેઓ ‘માંડલિયા' લગાડે છે. બી.એ.
સુધી અભ્યાસ ધરાવતા આ પત્રકારનો જન્મ તા. ૧૨-૧૧૧૯૪૫ના રોજ ઝીંઝુવાડા મુકામે થયો હતો. એમનો કવિતાસંગ્રહ છે ‘વૃક્ષોપનિષદ’; ગઝલસંગ્રહો માછલી સાથે દરિયો નીકળ્યો’ તથા ‘તારા અભાવમાં' છે; નિબંધ : જીવન ઉપવન તથા ‘અસ્તિત્વનો આયનો' છે. એમનું સરનામું : ૧૭, દેવભૂમિ બંગલોઝ, બસ-સ્ટેન્ડ સામે, સાબરમતી-કલોલ હાઇવે, મુ.પો. ઝુંડાલ-૩૮૨ ૪૨૧ તા. જિ. ગાંધીનગર તથા ફોન નં. (ઘર) (૦૭૯) ૨૩૯૭૦૦૩૭ છે. એમનો એક શે'ર માણીએ :
રોજ નમણું રૂપ સામે જોઈને જો, અરીસો પણ આ નમણો થાય છે.
Jain Education Intemational
સ્વપ્ન શિલ્પીઓ (૨૯) નટુભાઈ પંડ્યા
પંડ્યા નટવરલાલ પ્રભાશંકર એટલે કે ડૉ. નટુભાઈ પંડ્યાનો જન્મ તા. ૧૧-૮-૧૯૪૦ના રોજ મોજીદડ ગામે થયો હતો. એમનું વતન રોયલ, તા. તળાજા. આયુર્વેદ વિશારદના અભ્યાસ પછી સરકારી કર્મચારી તરીકે નિવૃત્ત થઈ હાલ વૈદ્યકીય અને લેખનપ્રવૃત્તિ કરે છે. તેમના ગઝલસંગ્રહો ‘ત્રિવેણી’ અને ‘ક્યા સુધી હવે?' અને ગીતસંગ્રહ ‘લખલૂટ લીલાશ' છે. એમનું સરનામું : ‘જીવનસંગીત' સી-૧૬૨૭, આનંદ હોલ સામે, શ્રીરામનગર, કાળિયાબીડ, ભાવનગર૩૬૪ ૦૦૨ છે. તેમનો ફોન નં. (મો.) ૯૪૨૭૫૫૮૦૫૩ છે. એમનો એક શે'ર :
ઊતારું કેમ અલ્પ એનાથી? ઈશની ભારોભાર થાવું છે! (૩૦) પથિક પરમાર
પથિક પરમારના નામે લખતા પરમાર જીવરાજભાઈ ગીગાભાઈનો જન્મ તા. ૧૫-૬-૧૯૫૬ના રોજ ભાવનગરમાં થયો હતો. એમ.એ., પીએચ.ડી. થયા બાદ તેઓ ભાવનગરની કાપડિયા મહિલા આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક છે. તેમ જ સ્કૂલ ઑફ ગઝલના ટ્રસ્ટી પણ છે. ઝંખના પથિકની’, ‘દ્વિદલ', ‘વત્તા’ એમના ગઝલસંગ્રહો છે. કવિતાસંગ્રહ ‘પ્રત્યન્ત' તથા
વિવેચન ‘પ્રતીત’, ‘હરીશ મંગલમ્', ‘ગંતવ્ય’ છે. આ ઉપરાંત પણ એમનાં અનેક પ્રકાશનો છે. એમનું સરનામું : ૩૮૯૩/ ૧૬૦, અર્બન, તળાજા રોડ, કાચના મંદિર પાસે, ભરતનગર, ભાવનગર-૩૬૪ ૦૦૨ અને ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૫૬૬૨૫૦ છે. એમના શે'રની આ ઉદારતા જુઓ : ઝીલી શકો તો ઝીલો ઝવેરાત શબ્દનાં, અર્થોના રાજપાટ લૂંટાવીને ચાલીએ!
(૩૧) પ્રદીપ રાવલ ‘સુમિરન’
પ્રદીપ રાવલ ‘સુમિરન' નામે લખતા પ્રદીપકુમાર જયશંકર રાવલનો જન્મ રાજકોટ જિલ્લાના ખાખરા ગામે તા. ૨૭-૪-૧૯૫૩ના રોજ થયો હતો. એમનું વતન સરપદડ, જિ. રાજકોટ છે. એમ.એ., પીએચ.ડી. કર્યા પછી બેન્ક ઑફિસર તરીકે કાર્યરત છે. રાજકોટની ‘પરિઘ’ સંસ્થાના તેઓ પ્રમુખ છે. ‘નયન’ અને ‘શિલાલેખ' એમના ગઝલસંગ્રહો છે. એમનું સરનામું : માઁ, ૫, મંગલમૂર્તિ ટેનામેન્ટ્સ, સેન્ટ મેરીઝ સ્કૂલ
For Private & Personal Use Only
www.jainelibrary.org