________________
૪૯૪
‘લક્ષ્યવેધ'; ચરિત્ર : “મહેક મહેસાણા જિલ્લાની' અને સંપાદન : ‘ગુંજન', “કવન’, ‘ઝળહળાટ’, ‘ગુલશન' અને “મૃત્યુના માંડવે મહેફિલ' છે. સરનામું છે : ૩૦, ગણેશપાર્ક બંગલોઝ, સાયોના સિટી પાસે, આર. સી. ટેક્નિકલ રોડ, ઘાટલોડિયા, અમદાવાદ-૩૮૦ ૦૬૧ અને ફોન : (ઘર) (૦૭૯) ૨૭૭૭૪૨૩૪, (મો.) ૯૪૨૭૩૦0૮૭૫ છે. એમના શે'રનો ધારદાર વ્યંગ્ય જુઓ :
નહીં તો તબીબો મને કાં બતાવે? બધી કામની છે નકામી દવાઓ. (૧૭) ચિનુ મોદી “ઇર્શાદ',
બિરેન રૉય' ઇર્શાદ' અને “બિરેન રૉય” બે ઉપનામ ધરાવતા ચિનુભાઈ ચંદુભાઈ મોદીનો જન્મ તા. ૩૦-૯-૧૯૩૯ના રોજ વિજાપુર, જિ. મહેસાણામાં થયો હતો. એમનું વતન કડી. તેઓ એમ. એ., પીએચ.ડી., એલ.એલ.બી. અને “સાહિત્ય સુધાકર'ની ડિગ્રી ધરાવે છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ, ભાષાભવનના નિવૃત્ત રીડર છે. “ક્ષણોના મહેલમાં', “દર્પણની ગલીમાં', “અફવા', “ઇનાયત' અને આઘાપાછા શ્વાસ’ ગઝલસંગ્રહો છે. આ ઉપરાંત બીજાં પણ અનેક સંપાદનો એમના નામે બોલે છે. સરનામું : ૧૬, જિતેન્દ્રપાર્ક સોસાયટી, શંકર આશ્રમ પાસે, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ છે. એમની સુંદર કલ્પના આ શે'રમાં માણીએ :
પુષ્પ પર ડાઘો પડે એ બીકથી
જીવવાની જીદ ઝાકળ ના કરે! (૧૮) જગદીશ ધનેશ્વર ભટ્ટ
(સાન્થલવાલા) : ઉદ્યોગ ખાતું, ગુજરાત રાજ્યના નિવૃત્ત ઉદ્યોગઅધિકારી જગદીશ ભટ્ટનો અભ્યાસ બી.એસસી., વિનીત સુધીનો છે. એમનો જન્મ તા. ૨-૫-૧૯૩૭ના દિવસે સાન્થલ, જિ. મહેસાણામાં થયો હતો. એમનાં અનેક પ્રકાશનો છે. કવિતાસંગ્રહ “લીલીછમ વેદના'; ગઝલસંગ્રહ : “રણમાં તરાપો'; બાળકાવ્ય : “ફૂલડાં લ્યો!', “ફોરમ લ્યો!', ‘પતંગિયાં', ફૂલવાડી’, ‘અચરજ', “ફૂલડાં વહાલાં લાગે' વગેરે છે. એમનું સરનામું : ૨, દીપકુંજ, ગણેશગલી, ગોપાલ ટાવર પાછળ, મણિનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮ અને ફોન નં. (ઘર)
સ્વપ્ન શિલ્પીઓ. (૦૭૯) ૨૫૪૯૫૯૪૬ છે. એમનો એક સરસ મલાનો શે'ર માણીએ :
રંગ-મેડીના રવેશે એક દીવો તરફડે, પાંપણોની પાર પેલે એક દીવો તરફડે.
(૧૯) જયેન્દ્ર શેખડીવાળા
જયેન્દ્ર શેખડીવાળા નામે લખતા જયેન્દ્રકુમાર મણિલાલ પટેલનો જન્મ આણંદ જિલ્લાના શેખડી ગામે તા. ૨૩-૮૧૯૫૨ના રોજ થયો હતો. તેઓ એમ.એ., એલ.એલ.બી., પીએચ.ડી.ની ડિગ્રી ધરાવે છે અને સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં રીડક તરીકે સેવા આપી રહ્યા છે. એમનાં પ્રકાશનોમાં કવિતાસંગ્રહ : ‘કિંવદંતી', “કર્દમપલ્લી’, નાટક : “નાટ્યાંજલિ'; સંપાદન : ‘નખશિખ” (ગઝલસંગ્રહ), “પ્રેરણા” અને “શ્રમિકસૂર’ છે. એમનું સરનામું : ૪, વૈજયંત બંગલોઝ, મોટા બજાર, બેંક રોડ, વલ્લભવિદ્યાનગર-૩૮૮ ૧૨૦. જિ. આણંદ છે. ફોન નં. (ઘર) (૦૨૬૯૨) ૨૩૩૬૦૬, (મો.) ૯૮૨૫૪૭૪૬૦૫ છે. એમનો એક સુંદર શે'ર :
બાળકની જેમ જોઈ શકું છું હવે તને, પયગમ્બરી મિજાજની આંખોમાં છાપ છે.
(૨૦) જયેશ ભટ્ટ જયેશ ત્રંબકલાલ ભટ્ટનો જન્મ તા. ૧૮-૪-૧૯૬૦ના રોજ મુંબઈમાં થયેલ છે. એમનું વતન ભાવનગર છે. બી.કોમ., ડિપ્લોમા ઇન લેબર લો પ્રેક્ટિસ, ડિપ્લોમા ઇન કંપની લો પ્રેક્ટિસ ક્ય બાદ તેઓ સહાયક સચિવ, પી.જી.વી.સી.એલ.માં રાજકોટ મુકામે ફરજ બજાવી રહ્યા છે. ‘તેજવલયનાં તીર્થ” કાવ્યસંગ્રહ મુદ્રિત થઈને વિમોચનના વાંકે તૈયાર પડ્યો છે, જે ટૂંકમાં વિમોચિત થશે. ‘આવો હરિવર આવો’ એમની ઑડિયો સી.ડી. છે. તેમનું સરનામું : ૩૧, સાંઈ મંદિર, બેન્ક કોલોની, બોરતળાવ પાસે, ભાવનગર પરા-૩૬૪ ૦૦૩ અને ફોન નં. (મો.) ૯૯૨૫૨૭૯૩૦પ છે. એમનો એક સુંદર શે'ર :
હોય છે વાત એવી કવિતામાંકૃષ્ણ બોલ્યા નથી જે ગીતામાં.
(૨૧) જયેશ ઠક્કર જયેશ હરિદાસ ઠક્કરનો જન્મ ખંભરા, તા. અંજાર મુકામે તા. ૮-૮-૧૯૪૨ના રોજ થયો હતો. એમનું વતન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org