________________
સ્વપ્ન શિલ્પીઓ
સૂર્ય' ગઝલસંગ્રહ છે. એમનું સરનામું : પ્રણામી મંદિર સામે, સૈયદપરા, સુરત-૩૯૫ ૦૦૩. એમનો એક અદ્ભુત શે'ર :
રોજ રસ્તામાં મળી, વાતો કરી, છૂટી પડી, જિંદગી ક્યારેય મારા ઘર સુધી આવી નહીં!
(૧૨) ખલીલ ધનતેજવી
ખલીલ ધનતેજવી નામે લખતા મકરાણી ખલીલ ઇસ્માઇલનો જન્મ તા. ૧૨-૧૨-૧૯૩૮ના રોજ વડોદરા જિલ્લાના ધનતેજ ગામે થયો હતો. નોનમેટ્રિક કરી તેઓ લેખન, પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ, ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા છે. એમનાં પ્રકાશનોમાં ગઝલસંગ્રહ ‘સાદગી' અને ‘સારાંશ'; નવલકથા : ‘ડૉ. રેખા’, ‘તરસ્યાં એકાંત’, ‘મીણની આંગળીએ સૂરજ ઊગ્યો', ‘લીલા પાંદડે પાનખર’, ‘સાવ અધૂરાં લોક’, ‘સન્નારીની ચીસ’ અને ‘લીલોછમ તડકો’ છે. એમનું સરનામું : પટેલ ફળિયા, યાકુતપુરા, વડોદરા-૩૯૦ ૦૦૬ તથા ફોન નં. (ઘર) (૦૨૬૫) ૨૫૧૦૬૦૦ અને (મો.) ૯૮૯૮૨૧૫૭૬૭ છે. એમના શે'રમાંની ખુમારી જુઓ :
કહે તો મારું આ માથું મૂકી લાવું હથેળી પર, પરંતુ હાથ જોડીને તને મળવા નહીં આવું.
(૧૩) ગુણવંત ઉપાધ્યાય
ગુણવંતરાય રામશંકર ઉપાધ્યાયનો જન્મ તા. ૯-૫૧૯૪૯ના રોજ ખાંભા, જિ. અમરેલીમાં થયો હતો. એમનો અભ્યાસ એસ.એસ.સી. સુધીનો છે. તેઓ નિવૃત્ત સીનિયર સેક્શન સુપરવાઇઝર, ટેલિકોમ, ભાવનગર છે. ‘સિસ્મોગ્રાફ', ‘ઉત્ખનન’, ‘ફૂલની શાહી સવારી', ‘પાને પાને ફૂલ’, ‘તત્પરા’ અને ‘યથાવત' એમના ગઝલસંગ્રહો છે. ‘ગઝલગ્રાફ’ નામે વિવેચન છે. ‘સરદારવંદના' એમના દ્વારા સંપાદિત કાવ્યસંગ્રહ છે. ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગઝલ'ના તેઓ સ્થાપક, ટ્રસ્ટી અને અધ્યક્ષ છે. એમનું સરનામું : બી-૫-૬, ઋષભ એપાર્ટમેન્ટ્સ, ન્યૂ એરપોર્ટ રોડ, મુનિ ડેરી, ભાવનગર૩૬૪ ૦૦૧ છે. ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૨૦૦૧૧૧ અને ૨૨૦૦૫૫૫ છે. એમનો એક સુંદર શે'ર માણીએ :
ક્યાં ભરાયે છે હવે એવાય મેળાજ્યાં સ્વયં ખોવાઓ ને ઊકલે ઉખાણું! (૧૪) ગુલામ અબ્બાસ 'નાશાદ' ‘નાશાદ’ તખલ્લુસ ધરાવતા ગુલામ અબ્બાસ શમસુદ્દીન
Jain Education International
૪૯૩
એડનવાલાનો જન્મ વડોદરામાં તા. ૧૫-૫-૧૯૪૯ના રોજ થયો હતો. બી.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યા બાદ તેઓ રેડિમેડ ગારમેન્ટ્સનો વેપાર કરે છે. ‘સાદ આપે છે તમારું વતન’ અને ‘પહેલાં હું આવો હતો' એમના કાવ્યસંગ્રહો છે તો ‘ગુંજારવ’, ‘અણસાર’, ‘ઉચાટ', ‘ખંડિત અસ્મિતા' એમના ગઝલસંગ્રહો છે. ‘સાહિબે ઝૂલ્ફીકાર’ અને ‘ગઝલ-શિરોમણિ મરીઝ' એ બે ચરિત્રો પણ એમણે લખ્યાં છે. ‘અધિક્રમણ’ અને ‘કંઈ કહેવાય નહીં' નવલકથાઓ છે. ‘આચમન' અને ‘અનરાધાર’ નામના બે વિવેચન–પુસ્તકો છે અને બાળગીતસંગ્રહો ‘ચાંદામામા કંઈ વાત કરોને’, ‘હાહા કરતાં, ના ના કરતાં’, ‘આંખ મીંચું ને ઊંઘ જો આવે’, ‘જાગ્યો છે મનમાં ઉમંગ’ નામે પ્રકાશિત થયા છે. એમનું સરનામું છે : શ્રી ૬૦૪, ફતેહસાગર કૉમ્પ્લેક્સ, કૉન્વેટ સ્કૂલ સામે, ફતેહગંજ–વડોદરા૩૯૦ ૦૦૨ છે. ફોન : (ઘર) (૦૨૬૫) ૨૭૮૪૧૦૪, (મો.) ૯૮૨૪૦૭૪૨૪૯ છે. એમનો એક ધારદાર શેર :
કેવા અજાણ થઈને નિહાળે છે લોક સૌકોઈના દુઃખને જ્યારે સમજવાનું હોય છે! (૧૫) ગોવિંદ ગઢવી 'સ્મિત'
‘સ્મિત’ ઉપનામધારી ગોવિંદભાઈ નાગભાઈ ગઢવીનો જન્મ છત્રાલા જિ. જૂનાગઢમાં તા. ૫-૪-૧૯૪૫ના રોજ થયો હતો. બી.એ. (ઓનર્સ) છે તેઓ. બેન્ક ઑફ ઇન્ડિયા, જૂનાગઢમાં સેવા બજાવી નિવૃત્ત થયેલા છે. એમનાં પ્રકાશનોમાં ગઝલસંગ્રહ ‘વિકલ્પ’ છે. ‘અમરેલ્લીલ્લીલ્લી’નું એમણે સંપાદન કરેલું છે. એમનું સરનામું : ‘આરાધ’, એ-૧૪, બેન્કર્સ કોલોની, એગ્રિકલ્ચર કેમ્પસ સામે, જૂનાગઢ છે. ફોન નં. (ઘર) (૦૨૮૫) ૨૬૭૩૧૫૬ અને (મો.) ૯૪૨૮૧૮૯૦૧૫ છે. એમના શે'રમાં વ્યક્ત થયેલું સત્ય જુઓ :
કેટલી કરવી પડે છે બાંધછોડ? જીવવાનો એ જ ઢાંચો હોય છે.
(૧૬) ચંદુ મહેસાનવી
ચંદુલાલ શંકરલાલ ઓઝાનું વતન મહેસાણા હોવાથી તેઓ પોતાના નામ પાછળ ‘મહેસાનવી’ લખે છે. એમનો જન્મ ચાણસ્મા ગામે તા. ૫-૯-૧૯૪૪ના દિવસે થયો હતો. તેઓ બી.એ., એલ.એલ.બી. છે. સિટી સેશન્સ જજના હોદ્દા પરથી ભદ્ર અમદાવાદમાંથી સેવાનિવૃત્ત થયા છે. તેમનાં પ્રકાશનોમાં કવિતાસંગ્રહ : ‘તારી ગલીમાં’, ‘હઝલ કભી કભી’, ‘પડછાયા’,
For Private & Personal Use Only
www.jainelibrary.org