________________
સ્વપ્ન શિલ્પીઓ
નોંધ : આ લેખ પૂરો કર્યા પછી ચોથા દિવસે ૪૬ વર્ષથી મારા અંગત કવિ મિત્ર શ્રી દિલેરબાબૂનું દુઃખદ અવસાન થયું, પરંતુ દિલી મિત્રતા ધરાવતા એ મિત્રનો પરિચય આ વિદ્યમાન ગઝલકારો વિષેના લેખમાંથી કમી કરી શકતો નથી, એ લાગણીવશતાનું મને ગૌરવ છે
(૧) અગમ પાલનપુરી
અગમ પાલનપુરીના નામે લખતા પઠાણ હુસેનખાન ઉંમરખાનનો જન્મ તા. ૧૦-૧૨-૧૯૪૩ના રોજ પાલનપુરમાં થયો હતો. એસ.એસ.સી. સુધી અભ્યાસ કરી એમણે મિકેનિકલ ડિપ્લોમા મેળવ્યો. તેઓ ઘડિયાળ–રિપેરિંગનું કામ કરે છે. એમનાં પ્રકાશનોમાં ‘અચરજ’ અને ‘અઢળક’ નામે બે ગઝલસંગ્રહો છે. ‘ઝળહળાટ' નામના પ્રતિનિધિ ગઝલસંગ્રહનું એમણે સંપાદન કર્યું છે. એમનું સરનામું છે : પરકોટા, દિલખુશાલ બાગ માર્ગ, પાલનપુર-૩૮૫૦૦૧. એમનો એક શે'ર માણીએ :
બે ઘડી તો બે ઘડી પાછાં ફરો,
બે ઘડી પાછી ફરે છે જિંદગી.
(૨) અઝીઝ ટંકારવી
અઝીઝ ટંકારવીનું મૂળ નામ ઉધરાતદાર ઉંમર અહમદ છે. ટંકારીઆ, જિ. ભરૂચમાં એમનો જન્મ તા. ૧-૬-૧૯૪૪ના રોજ થયો હતો. બી.એ., બી.એડ. સુધી અભ્યાસ કરી તેઓ ‘ગુજરાત ટુડે', અમદાવાદમાં પત્રકાર તરીકે કાર્યરત છે. ‘ગઝલના દરવાજે’, ગઝલના ગુલમહોર’, ‘ગઝલના મેઘધનુષ્ય', ‘મારા પ્રિય શેર', ‘એકસો આઠ ગઝલો' વગેરે એમનાં પ્રકાશનો છે. એમનું સરનામું છે : ‘ગુજરાત ટુડે' (દૈનિક) એ-૨૦, બાગેનવાબ ફ્લેટ્સ, શાહઆલમ, અમદાવાદ, ૩૮૦ ૦૨૮, ફોન : (મો.) ૯૮૨૫૩ ૨૫૬૧૭. એમનો એક શે'ર જોઈએ :
અમે હાર માણી વિજયની છટાથી, પછી મેળવી છે વિજયની દિશાઓ.
(૩) અરુણ દેશાણી
પૂરું નામ છે દેશાણી અરુણકુમાર મોજીરામ. એમનો જન્મ તા. ૧-૮-૧૯૫૦ના રોજ અમદાવાદ જિલ્લાના રંગપુર ગામે થયો હતો. એમનું વતન ભાવનગર જિલ્લાનું ઢીંકવાળી ગામ. અભ્યાસ એસ.વાય. બી.એ. સુધીનો. તેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ
Jain Education International
૪૯૧
ભાવનગરના નિવૃત્ત ડેપ્યુટી રજિસ્ટ્રાર છે, એમનાં પ્રકાશનોમાં ગઝલસંગ્રહ ‘ઓછપ’, ‘કાવ્ય ગુર્જરી’, સંયુક્ત સંગ્રહ ‘લહર’ અને ગીત-ગઝલસંગ્રહ ‘જરા તમારું નામ લખી દો!' છે. એમનું સરનામું : સાધના બંગલોઝ, વી.પી. સોસાયટી સામે, ન્યૂ એરપોર્ટ રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ છે. એમનો એક સુંદર શે'ર જુઓ :
પાંખ ઉછીની મળે છે ક્યાં અહીં? ઊડવાના લાખ અવસર હોય છે.
(૪) અશોકપુરી ગોસ્વામી
ગોસ્વામી અશોકપુરી હીરાપુરી એમનું નામ છે. આણંદ જિલ્લાના બોરસદ ગામે તા. ૧૭-૮-૧૯૪૭ના રોજ એમનો જન્મ થયો હતો. આશી એમનું વતન. ઇન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ. તેઓ લેખન તેમ જ ખેતીવાડીનું કામ કરે છે. ‘અર્થાત્ ' નામે કવિતાસંગ્રહ પ્રકાશિત થયેલ છે. સરનામું : મુ.પો. આશી-૩૮૮ ૧૩૦ તા. પેટલાદ, જિ. આણંદ, ફોન : (ઘર) (૦૨૬૯૭) ૨૮૭૬૧૨. જુઓ એમનો કેવો મજાનો શે'ર છે ઃ
કોઈ ખોલે કે ન ખોલે તું ટકોરા મારજે, માનવી મૂંગા હશે તો બંધ ઘર પણ બોલશે. (૫) અશોક ચાવડા ‘બેદિલ'
‘બેદિલ’ તખલ્લુસ ધારણ કરનાર ચાવડા અશોક પીતાંબરદાસનો જન્મ ભાવનગરમાં તા. ૨૩-૮-૧૯૭૮ના રોજ થયો હતો. તેઓ જાનડાસરના વતની છે. એમનો અભ્યાસ બી. કોમ., બી.એ., એમ.ડી.સી. છે. તેઓ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરમાં માહિતી અને જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવે છે. એટલું જ નહીં, તેઓ પત્રકાર અને પૂર્વ સંપાદક ‘કુમાર’માસિક છે. પગલાં તળાવમાં' એમનો ગઝલસંગ્રહ છે. તેઓ ૩, મધુવન એપાર્ટમેન્ટ, ગાયત્રી જ્ઞાનપીઠ પાસે, જૂના વાડજ, અમદાવાદ-૩૮૦ ૦૧૩માં રહે છે તેમનો ફોન નં છે : (મો.) ૯૪૨૬૬ ૮૦૬૩૩. એમનો શે'ર : તમારું રાહમાં મળવું અને થંભી જવું મારું, ચરણને પણ, જુઓ, કેવો સમયસર થાક લાગે છે! (૬) અંકિત ત્રિવેદી
અંકિતકુમાર અમરીષકુમારનો જન્મ તા. ૯-૩૧૯૮૧ના રોજ અમદાવાદમાં થયેલો. બી.કોમ. સુધી અભ્યાસ
For Private & Personal Use Only
www.jainelibrary.org