SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ સાંભળનારને શબ્દ તુરત જ સમજાઈ જવો જોઈએ–અર્થ તરત જ પ્રગટ થઈ જવો જોઈએ અને એટલે પોતાની ગઝલની સ્વરરચના કરતા પહેલાં—કઈ ગઝલ ગાવી તે નક્કી કરતા પહેલાં ખૂબ અધ્યયન કરે છે ત્યારબાદ ગઝલ પસંદ કરે છે—સુધી ધૂન બનાવે છે, સંગીત તૈયાર કરે છે અને રેકોર્ડિંગની પણ સંપૂર્ણ જવાબદારી જાતે જ સંભાળે છે. સંગીતમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થી માટે તેઓ કહે છે કે શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ અનિવાર્ય છે. સખત રિયાઝ અને પોતાની ક્ષમતા સંગીતના કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે તે સમજી લઈને તે દિશામાં કામ કરવું જોઈએ.” જેમ ડૉક્ટર બનવા માટે એમ.બી.બી.એસ. કરવું જરૂરી છે અને ત્યારબાદ વિશેષ યોગ્યતા માટે હાર્ટ સ્પેશ્યાલિસ્ટ બનવું છે કે કિડની સ્પેશ્યાલિસ્ટ વગેરે નક્કી કરાય છે તેમ વિશેષ અભ્યાસ કરીને ગાયક બનવું છે કે વાઘકાર બનવું છે–સિતારીસ્ટ બનવું છે કે તબલાંપ્લેયર તે નક્કી કરવું જોઈએ અને તેમાં પારંગત થવા મહેનત કરવી જોઈએ— ૧૯૯૮માં મધ્યપ્રદેશની સરકાર દ્વારા ‘લતા મંગેશકર’ એવોર્ડ જગજિતસિંહને મળ્યો છે. પુત્ર વિવેકના અવસાન બાદ ચિત્રાસિંહે ગાવાનું બંધ કર્યું છે–માત્ર સમ વન સમ વ્હેર’માં પુત્રની યાદમાં ગાયું છે. દેશના અનેક સંગીતપ્રેમીઓની ઇચ્છા છે કે તેઓ પણ હવે જગજિતસિંહ સાથે સાંભળવા મળે. આપણે પણ ઇચ્છીએ. ફિલ્મ ‘પ્રેમગીત’ / ‘અર્થ’ / ‘સાથ સાથ’ / ‘આશિયાના’ માં જગજિતસિંહના સ્વરમાં ગીતો છે. એ ઉપરાંત ટી.વી. સિરીયલ્સ–‘દરાર’, ‘સૈલાબ’, ‘મિટ્ટી કે રંગ’, ‘કહકશાં’ તથા ‘મિરઝા ગાલિબ’માં પણ એમણે ગાયું છે. શ્રીમતી પિયુ સરખેલ ઇન્દોર ઘરાનાના સુપ્રસિદ્ધ સંગીતકાર ઉસ્તાદ અમીર ખાં સાહેબથી સંગીતજગતનાં સહુ કોઈ પરિચિત છે. તેમના સમયના તેઓ શ્રેષ્ઠ ખયાલ ગાયકો પૈકી એક હતા. તેમના શિષ્ય શ્રી કમલ બંદોપાધ્યાય કે જેઓ કલકત્તાના છે અને કલકત્તામાં જ રહે છે. અમીરખાં સાહેબ સાથે લગભગ એકવીસ વર્ષ સુધી શિષ્યભાવે રહીને ઘણું બધું પ્રાપ્ત કર્યું એમણે સંગીતના ક્ષેત્રમાં, એમનાં દીકરી પિયુબહેન બંદોપાધ્યાય કે જેઓ લગ્ન બાદ પિયુ સરખેલ તરીકે જાણીતાં થયાં છે-એક સિદ્ધ કલાકારની પ્રતિષ્ઠા પામ્યાં છે, પોતાના પિતા કમલ બંદોપાધ્યાય પાસેથી શિષ્યભાવે Jain Education International ૪૮૭ સંગીત સાધના કરતાં કરતાં અમીરખાન સાહેબની ગાયન શૈલી સાંગોપાંગ એમણે પ્રાપ્ત કરી છે. આમ ગુરુ-શિષ્ય પરંપરામાં ઉ. અમીરખાં સાહેબ આજે પિયુબહેન સરખેલ દ્વારા ત્રીજી પેઢી વિસ્તરિત થયા છે. શ્રીમતી પિયુ સરખેલની ગાયન શૈલી સંપૂર્ણ રીતે ઉસ્તાદ અમીરખાં સાહેબની રહી છે—ખયાલ અને તરાનાની રજૂઆત એમની પોતાની રીતે રાખીને અસાધારણ કૌશલ્યપૂર્ણ રીતે વિકસાવી છે. ૧૯૬૫ કલકત્તામાં એમનો જન્મ. પિતા કમલ બંદોપાધ્યાય દ્વારા અમીરખાં સાહેબની સંગીત શૈલી એમનામાં ઊતરી આવી. સખત રિયાઝ અને ચિંતનથી સંગીતકળામાં નિત્ય નવીન કાંઈક મેળવતાં ગયાં–ઉમેરતાં ગયાં. ધીમે ધીમે જાહેર કાર્યક્રમો દ્વારા પ્રસિદ્ધિ પામતાં ગયાં. કલકત્તા, મુંબઈ, દિલ્હી, અમદાવાદ એમ અનેક શહેરોમાં એમને સાંભળીને શ્રોતાગણ રસતરબોળ થતો રહે છે. શ્રીમતી પિયુ સરખેલ અતિ વિલંબિત લયમાં બડા ખયાલ, ક્રમશઃ રાગની માંડણી–સ્વરોની માવજત–ઝીણી ઝીણી બારિકીઓ દ્વારા વાતાવરણમાં સ્વરોનું સામ્રાજ્ય રચતા જાય છે. મુશ્કેલ અને તીવ્ર સ્વરોની તાનો સરળતાથી લઈ આશ્ચર્યચકિત કરી દે છે એમના પ્રિય રાગોમાં શુદ્ધ કલ્યાણ, પૂરિયા કલ્યાણ, મધુવંતી, બાગેશ્રી છે. ગાયનને નિરંતર સૂરીલું રાખીને રસ નિષ્પન્ન કરવામાં તેઓ સફળ રહેતાં હોય છે. બંદોપાધ્યાયમાંથી લગ્નબાદ સરખેલ બનેલાં શ્રીમતી પિયુબહેન હાલમાં રાજકોટની સંસ્થા સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલયમાં આચાર્યા તરીકે સેવાઓ આપી રહ્યાં છે. બંગાળની સંસ્કૃતિ–ગુજરાતમાં સુવાસ ફેલાવી રહી છે. ગુજરાત સંગીત નાટ્ય અકાદમી-ગાંધીનગર દ્વારા આયોજિત તાનારીરી સંગીત સમારોહમાં પોતાની કલા દ્વારા પ્રસિદ્ધિ પામેલ શ્રીમતી પિયુ સરખેલને મુંબઈની સંસ્થા સૂરસિંગાર તરફથી ‘સૂરમણિ'નો એવોર્ડ મળેલ છે. એમની ઑડિયો કેસેટ્સ ટાઇમ્સ મ્યુઝિક કંપની દ્વારા ધરોહર' અને ટી. સીરીઝ દ્વારા ‘ટ્રિબ્યુટ' પ્રસિદ્ધ થઈ છે. રાજકોટ સાથે અંતરના તાર સાથે જોડાયેલ બંગાળના શ્રીમતી પિયુ સરખેલ હવે પોતાને ગુજરાતનાં ગણાવીને ગૌરવ પ્રાપ્ત કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy