________________
४८०
માદામ ચૂસાડ દ્વારા શરૂ થયેલ શિલ્પ-કલાકૃતિના સર્જનની પ્રક્રિયા આજે વૈજ્ઞાનિક ઢબે અને ખૂબ મહેનત સાથે કરવામાં આવે છે. શિલ્પકારો બદલાતા રહે છે. માપદંડ એના એ જ રહે છે.
૧૭૬૧માં જન્મેલ મેરી ચૂસાડ ૧૮૫૦માં અવસાન પામ્યાં. એમણે તૈયાર કરેલ પહેલું શિલ્પ ૧૭૭૭માં વૉલ્ટરનું હતું. મેરીના ફ્રેન્કોઝ ચૂસાડ સાથેના લગ્ન બાદ તેઓ માદામ ચૂસાડ બન્યાં. લંડનના બેકર સ્ટ્રીટ વિસ્તારમાં ૧૮૩૫માં તેઓ આવ્યાં અને પહેલા મ્યુઝિયમની સ્થાપના ત્યાં કરી. એ મ્યુઝિયમના ‘ચેમ્બર ઓફ હૉરર'ની ખ્યાતિ વધારે થઈ હતી. જેમાં અનેક જાણીતા ખૂનીઓનાં શિલ્પો જે રીતે ખૂન કરવામાં આવ્યું હોય એ જ રીતે દર્શાવવામાં આવ્યાં હતાં!
૧૭૬૫માં જેન ડ્યુ બેરીના પ્રથમ શિલ્પ સર્જનથી શરૂ થયેલ શિલ્પયાત્રા આજે ૨૦૦૯માં પણ અવિરત ચાલુ છે.
સરગમ
રાસબિહારી દેસાઈ/ વિભા દેસાઈ સૂરીલું સંગીત, મધુરું જીવનસંગીત સંત સમાન ભક્ત કવિ અબ્દુલ સતાર શાહની પંક્તિ છે : એવી પ્યાલી પીધી મેં તો, મારા સદ્ગુરુને હાથે રે, પીતાં મારે પ્રીત બંધાણી પ્રીતમજી સંગાથે રે'
સંગીતના અનેક વિદ્યાર્થીઓના મનમાં રાસભાઈ માટે ઉપર મુજબનો ભાવ હશે, તો રાસભાઈ પણ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના “સામવેદી સ્વર મિલાવીને ગઝલ આલાપિયે”ની જેમ સંગીતના સ્વરોને પૂરી શ્રદ્ધા સાથે વિદ્યાર્થીઓમાં આરોપતા રહેતા હોય છે.
સુગમ સંગીતના ક્ષેત્રે રાસભાઈનું નામ અત્યંત આદર સાથે લેવાય છે. દાયકાઓથી ગુજરાતમાં સુગમ સંગીત માટે ધૂણી ધખાવીને કામ કરે છે. રાસભાઈનું વતન વિસનગર અને જન્મ ૨૩ જૂન ૧૯૩૫ની નિર્જળા એકાદશીએ પાટણમાં. પિતા રમણલાલ અને માતા દુર્ગાબા. ૨ાસભાઈની ચાર સાડા વર્ષની ઉંમરે દુર્ગાબાનું અવસાન થયેલ. ત્યારથી તેમનાં ફોઈમા નિર્મળાબહેને માતા સમાન પ્રેમ આપ્યો, લાગણી આપી, વાત્સલ્ય આપ્યું.
Jain Education International
સ્વપ્ન શિલ્પા
વર્ષો સુધી રાસભાઈએ અમદાવાદની ભવન્સ કૉલેજમાં ફિઝિક્સના પ્રાધ્યાપક તરીકે અને વિભાગીય વડા તરીકે કાર્ય કર્યું, સાથે સાથે સંગીત સાધના દ્વારા ઉચ્ચતમ શિખરો પણ સર કર્યા. ઈશ્વરે બક્ષેલ ખરજદાર જીવારી સાથેનો અવાજ અને એમાં ભળ્યો અભ્યાસપૂર્ણ રિયાઝ—પરિણામે સમકાલીન અન્ય ગાયકોથી નોખા તરી આવ્યા, અનોખા બન્યા અને પ્રભાવપૂર્ણ પણ થયા. ગાયકના કંઠનું માધુર્ય દીપી ઊઠે છે, જ્યારે તેને સમજપૂર્વકનો સ્વર અભ્યાસ મળે છે. માત્ર ફિઝિક્સના જ નહીં, સંગીતના પણ પ્રાધ્યાપક અને સુગમસંગીતના વિભાગીય વડા તરીકેની તેમની પ્રતિભા રહી છે. સહુએ આનંદસહ એમને સ્વીકાર્યા છે, તૃપ્ત પણ થયા છે.
સંગીત રાસભાઈના જીવન સાથે એ રીતે વણાઈ ગયેલ છે કે, રાસભાઈને સંગીત વિના ન ચાલે અને સંગીતને ય રાસભાઈ વિના ન ચાલે-સુગમ સંગીતમાં જરૂરી છે એ સમજદારી પૂર્વકનો રિયાઝ, કાવ્ય કે ગીતના શબ્દોનો ઊંડો અભ્યાસ-શબ્દરચનાના ભાવને આત્મસાત્ કરીને ભાવપૂર્ણ રજૂઆત—આ સર્વે બાબતો રાસભાઈ માટે સહજ બની રહી છે. ક્યાંય પદ્ધતિસરનું સંગીતશિક્ષણ લીધા વિના, માત્ર પોતાની આત્મસૂઝ અને સંગીત પ્રત્યેની લગનને કારણે તેઓ આ સિદ્ધિ પામ્યા છે. ખૂબ શરૂઆતમાં શ્રી સૂર્યકાન્ત દવે, શ્રી સુરેશ જાની તથા શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય પાસેથી માર્ગદર્શન અને પ્રેરણા એમને મળેલ અને ત્યારબાદ પોતાનો અવિરત સંગીતયજ્ઞ.
રાસબિહારી દેસાઈ આજે તો ગુજરાતી સુગમ સંગીતના પ્રતિષ્ઠિત અને આદરણીય કલાકાર છે. રેડિયો અને દૂરદર્શનના ટૉપ ગ્રેડના ગાયક અને સ્વરકાર છે. નવોદિત પ્રતિભાશાળી કલાકારોને સંગીતની યોગ્ય તાલીમ આપવામાં સદાય પ્રવૃત્ત રહે છે. ભારતીય વિદ્યાભવન-અમદાવાદ કેન્દ્રના સુગમ સંગીત વિભાગના માનદ્ સંચાલક તરીકે ૧૯૬૭થી સાતત્યપૂર્ણ સેવા આપી રહ્યા છે અને ભવન્સ ગાયકવૃંદ દ્વારા એ વખત પ્રથમ પારિતોષિક મેળવવાનું સદ્ભાગ્ય પણ પ્રાપ્ત કરેલ છે–(એક વખત લોકગીત પ્રસ્તુતિ અને બીજી વખત ક્લાસિકલ આધારિત ગીત પ્રસ્તુતિ). ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના ત્રણ વખત માન્ય સભ્ય તરીકે કાર્યરત ઉપરાંત વેસ્ટ ઝૉન સેન્ટર (ઉદેપુર) તથા યુવક કલ્યાણ બોર્ડ, ગુજરાત યુનિવર્સિટીના સભ્ય તરીકે પણ પ્રવૃત્ત રહી ચૂક્યા છે.
ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર'/આકાશવાણી અમદાવાદ તરફથી “સુદીર્ધ પ્રસારણ સેવા એવોર્ડ/સંગીતમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org