________________
સ્વપ્ન શિલ્પીઓ
ચિત્ર કરે છે. મીડિયમ પરનું પ્રભુત્વ સતત ચિત્રસર્જનને કારણે સિદ્ધ તેમ જ હૃદયસ્થ થઈ ગયેલું છે.
તેમનું કોઈ પણ ચિત્ર જોઈએ–પરાંજપે શૈલી તરત જ ઓળખાઈ આવે છે-જુદી પડેલી તરી આવે છે. ચિત્રમાંથી શાંત સ્વરોની લહેરીઓ ગુંજતી રહેતી સંભળાયા કરે, ધીમા ધીમા અવાજે–લયબદ્ધ રીતે સંગીત સંભળાયા કરે. ડેકોરેટિવ તત્ત્વ ભારોભાર હોય છતાં આંખને ખૂંચે નહીં. સ્કેચ હોય કે લેન્ડસ્કેપ, એમનું અભ્યાસપૂર્ણ નિરૂપણ દેખાઈ આવે. પછી તે ગણેશજીના મંદિર બહાર બેઠેલ ફૂલ વેચનારી માલણ હોય કે મહારાષ્ટ્રિયન ટોપી પહેરી બે હાથ જોડીને ઊભેલ વૃદ્ધ હોય કે મંદિરની અર્ધ ખૂલેલી જાળી હોય, મંદિરનાં પગથીયાં હોય, મંદિરની ધજા હોય કે આકાશમાંથી ઊતરી આવેલ ચાંદનીનો પ્રકાશ હોય, દર્શકની આંખને ટાઢક આપનારું જ એમનું ચિત્ર બની રહેલું હોય છે.
ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે તેમજ ચિત્રકળામાં રસ ધરાવનાર રસિકજનો માટે વિ પરાંજપેનાં ચિત્રો અભ્યાસપૂર્ણ બની રહે તેવાં છે-માર્ગદર્શક બની રહે તેવાં છે.
વિખ્યાત મહાનુભાવોનાં આબેહૂબ શિલ્પોનું અદ્વિતીય મ્યુઝિયમ
માદામ ચૂંસાડસ
અમિતાભ બચ્ચનનું શિલ્પ લંડન તેમ જ હોંગકોંગ બંને મ્યુઝિયમમાં છે, ઐશ્વર્યા રાયનું શિલ્પ લંડન તેમ જ સલમાનખાનનું તેમ જ શાહરૂખખાનનું શિલ્પ પણ લંડનના મ્યુઝિયમમાં છે. મહાત્મા ગાંધીજીનાં શિલ્પ લંડન, ન્યૂયોર્ક, આમસ્ટરડેમ તેમજ હોંગકોંગ એમ ચાર મ્યુઝિયમમાં છે. હિટલર-લંડન, બર્લિન અને હોંગકોંગમાં છે. કપિલદેવ, સચિન
લંડનના માદામ ચૂંસાડસ મ્યુઝિયમમાં એક અનુભવ
લગભગ દરેક જોનારને થાય છે–જીવંત મનુષ્યોનાં આબેહૂબ તેંડુલકર, શેન વૉર્ન, વિવ રિચાર્ડ્સ લંડનના મ્યુઝિયમમાં છે.
પૂતળા જોતાં જોતાં અચાનક કોઈ પૂતળું જોઈને હબકી જાય! કેમ કે એ પૂતળું એની સામે જોઈ હસ્યું હોય કે હાલ્યું હોય કે આંખ પટપટાવી હોય! હકીકત એ હોય કે, જોનાર જીવંત વ્યક્તિને જ પૂતળું માનીને જોતી હોય! આખા મ્યુઝિયમમાં એટલાં બધાં શિલ્પો જીવંત' બનાવ્યાં છે–જેનાં હાવભાવ– પરિવેશ-એક્શન વગેરે તદ્દન વાસ્તવિક જ લાગે. આ પ્રકારનાં શિલ્પોની હરોળમાં કોઈ ને કોઈ જીવતી વ્યક્તિ પણ સ્થિર થઈને ઊભી રહી જાય તો એને અલગ તારવી ન શકાય–અને જોનાર થાપ ખાઈ જાય!
વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓને શિલ્પોમાં કંડારીને હંમેશ માટે તેને સ્થાન આપતા માદામ ચૂંસાડસ મ્યુઝિયમમાં જગ મશહૂર એવા ૮૮ સંગીતકારો-ગાયકો, ૬૫ એક્ટર–એક્ટ્રેસ, ૬૮ રાજકીય નેતાઓ, રાજવીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રોની જાણીતી એવી ૭૭ પ્રતિભાઓને સમાવવામાં આવ્યાં છે. ચિત્રકાર વિન્સેન્ટ વાનગોગ, સેલ્વાડૉર ડાલી, રેજબ્રાં અને પાબ્લો પિકાસો પણ શિલ્પ સ્વરૂપે અહીં છે. વિલિયમ શેક્સપીયર અને ઑસ્કાર વાઇલ્ડ પણ છે. ઇંગ્લેન્ડનાં રાણી ઇલિઝાબેથ-૧, ઇલિઝાબેથ-૨, રાણી વિક્ટોરિયા અને ડાયના પણ આ મ્યુઝિયમમાં છે. ચર્ચિલ પણ છે.
જગમશહુર આ માદામ ચૂસાડસ મ્યુઝિયમમાં વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં મીણનાં શિલ્પો જે તે વ્યક્તિના ચોક્કસ માપનાં તેમ જ તેમની જાણીતી મુદ્રાને ધ્યાનમાં રાખીને બનાવેલાં છે.
૪૭૯
ફ્રાન્સમાં ૧૭૬૧માં સ્ટ્રાસબર્ગ ગામે મેરી ચૂંસાડસનો જન્મ. તેની માતા ડૉ. ફિલિપ કર્ટિસ નામના ફિઝિશિયનને ત્યાં કામ કરતી—તેમણે એ કળા મેરી ચૂસાડસને શીખવી. ડૉ. કર્ટિસ દ્વારા ૧૭૬૫માં મેરી જેન દ બેરીનું શિલ્પ જે શિલ્પ બનાવ્યું છે તે મ્યુઝિયમનું સૌથી જૂનું શિલ્પ છે. ત્યારપછી વર્ષો વર્ષ તે મ્યુઝિયમમાં શિલ્પો ઉમેરાતાં ગયાં અને ૨૦૦૯ના વર્ષ સુધી તો લંડન ઉપરાંત આમસ્ટરડેમ, બર્લિન, લાસ વેગાસ, ન્યૂયોર્ક સીટી, હોંગકોંગ, શાંધાઈ અને વૉશિંગ્ટન જેવાં અનેક મહાનગરોમાં આ મ્યુઝિયમની શાખાઓ થઈ ગઈ. આ પ્રત્યેક
મ્યુઝિયમમાં લંડનની જેમ જ સંપૂર્ણ ઝીણવટભર્યા અભ્યાસ બાદ બનાવેલ શિલ્પો ગોઠવવામાં આવ્યાં છે. સ્યૂસાડસ મ્યુઝિયમમાં ઐતિહાસિક રાજવી પ્રતિભાઓ, ફિલ્મ સ્ટાર્સ, રમતવીરો, સંગીતકારો, કલાકારો તેમ જ ખૂબ જાણીતા તેમ જ ચર્ચાસ્પદ બન્યા હોય એવા ખૂનીઓના પણ પૂતળાં રાખવામાં આવ્યાં છે. માદામ ચૂસાડ્સની પ્રસિદ્ધિ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ મ્યુઝિયમના નામમાંથી નામ સાથે સંકળાયેલ અંગ્રેજી એપોસ્ટોપી એસ કાઢી નાખી સળંગ એક નામ ‘માદામ ચૂસાડ' રાખવામાં આવ્યું છે.
Jain Education Intemational
સુવિખ્યાત પ્રતિભાને આ મ્યુઝિયમમાં સ્થાન મળે છે ત્યારે તેનું બહુમાન થયાની લાગણી સૌ કોઈ અનુભવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org