________________
સ્વપ્ન શિલ્પીઓ
ગણનાપાત્ર પ્રદાન માટે ‘ત્રિવેણી' એવોર્ડ (વડોદરા) તથા ‘આનર્ત’એવોર્ડ (મહેસાણા) આમ અનેક પારિતોષિકોથી રાસભાઈ સમ્માનિત છે–ગુજરાતી ફિલ્મ “કાશીનો દીકરો'માં સ્વ. રાવજી પટેલની રચના “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા” માટે શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકે પણ એવોર્ડ મળેલ છે.
રાસભાઈ સાથેનાં લગ્ન બાદ વિભાબહેન વિભા દેસાઈ બન્યાં—મૂળ વિભાબહેન વૈષ્ણવ. જન્મસ્થળ પોરબંદર. માતા કનકતારાબહેન અને પિતા જયેન્દ્રભાઈ વૈષ્ણવ.
જયેન્દ્રભાઈ તો આગ્રા ઘરાણાના માન્ય શાસ્ત્રીય ગાયક, કનકતારાબહેન પણ સંગીત સાથે સંકળાયેલ અને મધુરકંઠનાં ગાયિકા. વિભાબહેને સંગીતની પ્રારંભિક તાલીમ ઉસ્તાદ ગુલામ અહેમદખાન પાસેથી મેળવી હતી. ત્યારબાદ રાસભાઈની જેમ જ પોતાની વૈયક્તિક સંગીતસાધનાથી આપમેળે પ્રતિષ્ઠિત ગાયિકા તરીકે પ્રસિદ્ધિ પામ્યા
વિભાબહેનની પ્રોફેશનલ કેરિયર ખૂબ રસપ્રદ છે. તેઓએ ઇકોનોમિક્સ-સ્ટેટિસ્ટિક્સ સાથે બી.એ. થયા બાદ ૧૯૬૩થી સેલ્સ ટેક્સ ઓફિસરથી કારકિર્દી શરૂ કરી, ત્યારબાદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જોડાયાં. ડાયરેક્ટ રીક્રુટમેન્ટ એક્ઝામ આપીને ૧૯૬૫માં ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે નિમાયા. ૧૯૭૩માં ઇન્કમટેક્સ ઑફિસર બન્યાં. ૧૯૮૭માં ઇન્કમટેક્સ આસિ. કમિશ્નર/૧૯૯૧માં ડેપ્યુટી કમિશ્નર/૨૦૦૦ના વર્ષમાં જોઇન્ટ કમિશ્નર થયા ૨૦૦૧થી ફેબ્રુ ૨૦૦૪ સુધી એડીશનલ કમિશ્નર તરીકે ઇન્કમટેક્સ વિભાગમાં એક નિષ્ઠાવાન ઑફિસર તરીકે જવાબદારી સંભાળી–પ્રતિષ્ઠા પામ્યા. હાલ નિવૃત્ત છે—ગુજરાત એમને સુગમ સંગીતનાં પ્રતિષ્ઠિત ગાયિકા તરીકે ઓળખે છે— એ એમની સંગીતસાધનાના ફળ સ્વરૂપે છે. એચ.એમ.વી. એવોર્ડ કંપનીએ ૧૯૬૩માં એમનાં ગીતોની રેકર્ડ ‘નજર્યુંના કાંટાની ભૂલ' રીલિઝ કરી હતી. આકાશવાણી અને દૂરદર્શનનાં
બાદ
માન્ય કલાકાર બની રહીને અનેક કાર્યક્રમો એમના પ્રસારિત થતા રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ ફિમેલ સિંગર'નો એવોર્ડ ૧૯૭૯માં પ્રાપ્ત થયો છે. ફિલ્મ હતી 'કાશીનો દીકરો'.
રાસભાઈ અને વિભાબહેનની અનેક કેસેટ્સ, રેકર્ડ્સ વગેરે તૈયાર થઈ છે, જેમાં ગુજરાતી સુગમ સંગીત સુપેરે સચવાયું છે–ઉત્કૃષ્ટ સ્વર–રચનાઓ, કાવ્યરચનાઓ,-સુંદર રીતે સચવાઈ છે, જેમાં ‘શ્રૃતિ’ગ્રુપ દ્વારા ગવાયેલ અને એચ.એમ.વી. કંપની દ્વારા રિલીઝ થયેલ ‘સાગરનું સંગીત’
Jain Education International
૪૮૧
તેમજ ‘શ્રવણ માધુરી’ ખૂબ વખણાઈ છે. ઉપરાંત ‘ને તમે યાદ આવ્યાં/બિલીપત્ર–ત્રિનેત્રા/રાધા માધવ લીલાગાન/આત્મનિવેદન/ સાયુજ્ય/દાંડી પડે ને ઢોલ વાગે સે—આમ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત રચનાઓ ગાઈને સુગમ સંગીતના ક્ષેત્રમાં પ્રાણવાન યોગદાન આપેલ છે.
રાસભાઈ અને વિભાબહેનનું સંગીતજીવન સૂરીલું છે. એ જ રીતે જીવનસંગીત પણ સૂરીલું છે. જીવનસંગીતમાં બેસૂરા ન થવાય-કદાચ ગાવામાં એમ બની જાય તો ક્ષમ્ય છે, પણ જીવન તો સર્વાંગ સૂરીલું હોવું જોઈએ એમ એમનું માનવું છે અને એમાં તેઓ સફળ પણ થયાં છે. પ્રેરણાદાયી પણ બન્યાં
છે.
નાદબ્રહ્મના ઉપાસક રામભક્ત-દક્ષિણ ભારતના
ત્યાગરાજ
જેમ આપણા ગુજરાતના આદ્યકવિ નરસિંહ મહેતા, ઉત્તર ભારતના સૂરદાસ અને તુલસીદાસ તથા બંગાળના ચૈતન્ય મહાપ્રભુજી એમ–દક્ષિણ ભારતના સંતકવિ ત્યાગરાજનું નામ કવિતા ઉપરાંત સંગીતના ક્ષેત્રે પણ પ્રથમ પંક્તિમાં મૂકી શકાય એવું છે. આંધ્રમાં ઈ.સ. ૧૭૬૭માં એમનો જન્મ. પરિવાર બ્રાહ્મણ, માતા શાંતિદેવી અને પિતા રામબ્રહ્મ. સંપૂર્ણ રીતે રામભક્તિમાં લીન રહેનાર માતા પિતા-પરિવારમાં સંસ્કારિતાનું વાતાવરણ સદૈવ રહેતું. પિતા રામબ્રહ્મ સંસ્કૃતના પ્રખર વિદ્વાન એટલે પુત્ર ત્યાગરાજ પણ સંસ્કૃતના પંડિત બને એવી ઇચ્છા ધરાવતા. સંજોગો અને પરિસ્થિતિને કારણે આંધ્ર છોડીને તામિલનાડુ જઈ વસવાટ કરવાનું બન્યું અને ત્યાં પિતા રામબ્રહ્મએ પુત્ર ત્યાગરાજના ઉપનયન સંસ્કાર બાદ ગુરુ રામકૃષ્ણાનંદ દ્વારા ‘રામધરાક્ષરી’મંત્રનો ઉપદેશ અપાવ્યો. પિતા દ્વારા આ વારસાગત સંસ્કારને પરિણામે હોય કે પૂર્વ જન્મના ઈશ્વરદત્ત સંસ્કારને કારણે હોય પરંતુ ત્યારબાદ
યાગરાજમાં ભગવાન શ્રીરામ પ્રત્યેની શ્રદ્ધા અતૂટ બની.
વાલ્મીકિ રામાયણના અધ્યયનથી પણ એ શ્રદ્ધા ગહન બની. ભગવાન શ્રીરામના મંત્ર દ્વારા તેમનું અંતર સંપૂર્ણ રીતે રામમય બની ગયું–જેમ નરસિંહ મહેતા કૃષ્ણમય હતા એમ.
જીવનયાત્રા જ્યાંથી પૂરી થઈ હોય તે, બીજા જન્મમાં ત્યાંથી આગળ ચાલે એ આપણી હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે હોય કે ગમે તે કારણ પણ ત્યાગરાજને સંસ્કૃત પાઠશાળામાં જઈ અભ્યાસ કરવાથી વિશેષ સંગીત તરફનું આકર્ષણ વધારે રહેતું,
For Private & Personal Use Only
www.jainelibrary.org