________________
૪૭૪
ત્યાં જ તેઓ ચિત્રકાર અકબર પદમશીના પરિચયમાં આવ્યા અને પ્રોગ્રેસીવ આર્ટિસ્ટ ગ્રુપમાં જોડાઈ ગયા. ૧૯૫૪માં તેઓ ચિત્રપ્રદર્શન માટે લંડન અને પેરિસ ગયા હતા—ચાર મહિનાના પ્રવાસ બાદ ભારત પાછા ફર્યા હતા.
પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપના વખતોવખત થતા રહેતા ગ્રુપ શૉમાં નિયમિત રીતે તેમનાં ચિત્રો પ્રદર્શિત થતાં અને કલારિસકો-કલાસમીક્ષકો અને કલાકારોના મન પર એક ચોક્કસ છાપ પાડતા રહેતાં. તેમનો પ્રથમ વન મેન શો ૧૯૫૯માં જહાંગીર આર્ટ ગેલેરી–મુંબઈમાં યોજાયો હતો જેમાં પેઇન્ટિંગ ઉપરાંત એમનાં ડ્રોઇંગ્સ તેમજ શિલ્પ પણ પ્રદર્શિત થયેલ. તે જ વર્ષે તેઓ ફરીથી લંડન ગયા હતા અને પછી ૧૯૬૫ સુધી ત્યાં રહીને ચિત્રકળાના ક્ષેત્રમાં કામ કર્યું હતું.
૧૯૬૫માં ભારત પાછા ફર્યા બાદ તેઓ દિલ્હીમાં સ્થાયી થયા. તેમને રૉકફિલર સ્કોલરશિપ ૧૯૬૮માં મળવાથી થોડો સમય પાછા અમેરિકા ગયા. ત્યાંથી પરત થયા બાદ ૧૯૮૦માં શાંતિનિકેતનમાં રહ્યા. આમ તેમનું કાર્યક્ષેત્ર બદલાતું રહ્યું.
તેમનાં અનેક ચિત્રો પ્રસિદ્ધ છે, જેમાં મહિસાસૂરમર્દિની જાણીતું છે. તેમના ચિત્રોમાં રેખાઓ નથી દેખાતી–માસ– આકાર-સૉલિડ ટૉન દ્વારા તૈયાર થયેલ ચિત્રમાં રંગો અને વિષય બંને નોંધપાત્ર રીતે આકર્ષક રહેલ હોય છે. ‘ગેચર' ટાઇટલવાળું એક પેઇન્ટિંગ એમનું વર્ષ ૨૦૦૫-ડિસેમ્બરમાં ૩૧ લાખ રૂપિયામાં વેચાયું હતું.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક પ્રદર્શનોમાં એમનાં ચિત્રો પ્રદર્શિત થતાં રહેતાં, જેમાં ‘ભારતના દસ સમકાલીન ચિત્રકારો' ટ્રેન્ટોન અમેરિકા/ફેસ્ટિવલ ઓફ ઇન્ટરનેશનલ પેઇન્ટર–ઇન ટ્રાન્સ/ મોડર્ન ઇન્ડિયન પેઇન્ટિંગ્સ એટ હિરકૉમ મ્યુઝિયમ ઓફ વોશિંગ્ટન અને સેવન ઇન્ડિયન પેઇન્ટર્સ પેરિસ ઉલ્લેખનીય છે.
તૈયબ મહેતાએ તૈયાર કરેલ ‘કુંડલ’ ફિલ્મને ૧૯૭૦માં ફિલ્મફેરનો ક્રિટીક એવોર્ડ મળેલ. મધ્યપ્રદેશ સરકાર દ્વારા ‘કાલિદાસ સમ્માનપત્ર' ૧૯૮૮માં મળેલ.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતના ચિત્રકારો એસ. એચ. રાજા, એફ. એન. સુઝા સતીષ ગુજરાલ, જતીનદાસ, અમૃતા શેરગીલ વગેરેના સમકાલીન તૈયબ મહેતા માટે ગુજરાત સદાય ગૌરવ લઈ શકશે.
Jain Education International.
સ્વપ્ન શિલ્પીઓ સમયપ્રવાહમાં પોતાને ઓગાળતા કાન્તિભાઈ પંચાલ ક્લેન્દ્ર'
ચિત્રકાર તરીકેના જીવનની સંતોષકારક કહી શકાય એવી પરમ મંઝિલ સુધીની સફરમાં અનેક ચઢાવ-ઉતાર એણે અનુભવ્યા, પરંતુ નિયતી એટલી આશીર્વાદરૂપ રહી એની કે ઉતાર કરતાં ચઢાવ વધારે મળ્યા જીવનમાં.
પોતાને મળેલ શિક્ષકોના સદ્ભાવ-સંસ્કારને ૠણ સહિત યાદ કરતાં કાન્તિભાઈ પંચાલ-કે. એસ. પંચાલ તથા ‘કલેન્દ્ર’ના નામે ઓળખાય છે. નવસારીના શાળાજીવન બાદ મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સમાંથી એપ્લાઇડ આર્ટનો અભ્યાસ કર્યા બાદ ૧૯૬૫માં અમદાવાદની શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં અધ્યાપક તરીકે જોડાયા. કલાનો અભ્યાસ કરનાર અનેક વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન આપ્યું. કલાકારમાં હોવી જોઈતી શિસ્ત અને નિષ્ઠાના પા શીખવ્યા અને ૧૯૯૪ થી ૧૯૯૯ દરમિયાન સંસ્થાના આચાર્ય તરીકે જવાબદારી પણ સંભાળી.
૧૯૬૬માં જ્યારે કાન્તિભાઈ એપ્લાઇડ આર્ટ પ્રથમ વર્ષના વર્ગમાં વિદ્યાર્થીઓને એડવર્ટાઇઝિંગ આર્ટન એ.બી.સી.ડી. શીખવતા હતા ત્યારે વર્ગની પ્રથમ હરોળમ બેઠેલ ત્રણ વિદ્યાર્થીઓ સંપૂર્ણ શ્રદ્ધા સાથે એકત્ર થઈને એમને સાંભળ્યા કરતા. એમાં એક સાઠ વર્ષની ઉંમરે અમદાવાદ દૂરદર્શનમાં ગ્રાફિક વિભાગના સીનિયર આર્ટિસ્ટ તરીકે બે વર્ષ પહેલાં, બીજો ગ્રાફિક ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે આ વર્ષે નિવૃત્ત થયા અને ત્રીજો સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના આચાર્ય તરીકે ૧૯૦૮માં નિવૃત્ત થયો. નામ એમના ક્રમશઃ બિમલ પટેલ, ગુણવંત પરમાર અને ચન્દ્રકાન્ત કંસારા.
ઉપરોક્ત ત્રણેય વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક એવા વિદ્યાર્થીઓ છે જેઓ એડવર્ટાઇઝિંગ દુનિયામાં કામ કરતાં કરતાં માનસહિત એમને યાદ કરે છે. ગુજરાત, ગુજરાત બહાર અને પરદેશમાં ય તે સૌએ પોતાની કારકિર્દી સફળ બનાવી કાન્તિભાઈનું સ્મરણ હૃદયમાં રાખ્યું છે.
કલામહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે સેવા આપત આપતાં કાન્તિભાઈએ ગુજરાત રાજ્યનો પેઇન્ટિંગનો તથા શિલ્પના ડિપ્લોમાનો અભ્યાસ પણ કર્યો. ગુજરાત રાજ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org