________________
સ્વપ્ન શિલ્પીઓ
આ પ્રકાશનમાં જાણે-અજાણે પણ કોઈ ધર્મ, સંપ્રદાય કે પરંપરા વિરુદ્ધ કોઈ પણ જાતનો ઉલ્લેખ થયો હોય કે કોઈ પણ વિગતમાં જરા સરખો પણ અનાદર કે અવિવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તો અંત:કરણપૂર્વક ક્ષમા માંગીએ છીએ. મારી લાંબા સમયની અસ્વસ્થ તબિયત વચ્ચે પણ ગ્રંથના છાપકામમાં અને બાઇન્ડિગમાં અનુભવસમૃદ્ધ જ્ઞાનચંદજી જૈન અને તેમના પ્રેમાળ પુત્રો નિલયભાઈ અને નિજેશભાઈએ ખૂબ જ કાળજી લઈને સંતોષકારક કાર્ય પૂરું કર્યું છે. બધો જ યશ આ બંને યુવાનોને ફાળે જાય છે. તેમની સક્રિયતા વગર આ કામ આટલું ઝડપી પૂરું ન થાત. સિદ્ધગિરિ-પાલિતાણામાં પણ મારા નાનાભાઈના પુત્ર ચેતનભાઈ દેવલુક અને પાલિતાણાના મહિલા આગેવાન ડોલરબેન કપાસી પણ અમારા હરકોઈ કામમાં સતત જાગૃત રહ્યાં છે. મિત્રો અને મુરબ્બીઓએ અમને પ્રેરણા અને માર્ગદર્શન આપી વારંવાર અમારો વાંસો થાબડ્યો છે, એ સૌના આભારના આસોપાલવે શોભાવીએ છીએ.
અમેરી સાહિત્યયાત્રાના પાયામાં શરૂથી જ પથદર્શક બની રહેલા ગાંધીવાદી અગ્રેસર મુ. શ્રી રામનારાયાણભાઈ પાઠક કદી પણ ભૂલી શકાય તેમ નથી, જેઓ એક સમાજસેવક તરીકે, સ્વાતંત્ર્યવીર તરીકે, બાળકોના મિત્ર અને શિક્ષક તરીકે, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમને સંકેત બનાવનાર ઋષિ તરીકે, રચનાત્મક પ્રવૃત્તિના સ્તંભ તરીકે, એમ બધી રીતે બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. અદ્ભુત વાર્તાકથક હતા. સન્નિષ્ઠ સાહિત્યસર્જક હતા. તેમનું સઘળું લેખનકાર્ય ધ્યેયલક્ષી હતું. એશી જેટલાં પુસ્તકો તેમના શુભ હાથે લખાયાં છે. કોઈ અલૌકિક શક્તિની શ્રી રામભાઈને કુદરતી દેણ હતી. આ શક્તિએ જ એમને ઘણી બધી સિદ્ધિઓ ઉપલબ્ધ કરાવી. શ્રી રામભાઈ વાત્સલ્ય, કર્તવ્યનિષ્ઠા, હૃદયની કોમળતા આદિ ગુણસંપત્તિના સ્વામી હતા. આ ચુસ્ત ગાંધીજન એવું સમૃદ્ધ જીવન જીવી ગયા કે તેમનો એક એક શબ્દ વાચકોને પેઢીઓ સુધી સ્પશર્તી રહ્યો છે. ખરેખર તો જીવનની છેલ્લી ઘડી સુધી કાર્યરત રહેનાર શ્રી રામભાઈ બૃહદ્ ગુજરાતના સાંસ્કૃતિક નવઘડતરના વંદનીય પુરોહિત હતા. એમનો એ સુંદર વારસો તેમનાં સુપુત્રી ડૉ. ઉષાબહેન પાઠકે આબાદ રીતે જાળવી રાખ્યો છે.
અમારા સાંસારિક પરિવારમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ–જે સૌ આ પ્રકાશનપ્રવૃત્તિમાં ખૂબ જ સહાયભૂત બન્યાં છે. સૌથી મોટા પુત્ર હિતેશભાઈ સ્થાનિક મહિલા કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે સેવા આપે છે. બીજા નંબરના પુત્ર યોગેશભાઈ ગણિત-વિજ્ઞાનના વિષયમાં ખૂબ જ રસ ધરાવે છે. જેઓએ ભાગવત્ ગીતા ઉપર એક મહાનિબંધ દ્વારા અત્રેની સાયન્સ કોલેજને શિલ્ડ અપાવ્યો. ૨૦૦૮માં લખનૌ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં વિવિધ સ્પર્ધાઓમાં સારો દેખાવ કર્યો અને રાજ્ય લેવલે ગણિત વિષયના કે.આર.પી. તરીકે ફરજ બજાવેલી. ટી.વી.ના શો પ્રસારણમાં ત્રણ વર્ષ તજ્જ્ઞ તરીકે સેવા આપી. સં. ૨૦૦૮-૦૯માં ભાવનગર શહેર આચાર્ય સંઘ દ્વારા તેમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો. તાજેતરમાં જ ઓગણજ (અમદાવાદ) ખાતે યોજાઈ ગયેલ રાજ્ય ગણિત મહોત્સવમાં ઓલ ઇન્ડિયા રામાનુજન મેગ્સ ક્લબે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપી યોગેશભાઈને સન્માનિત કરેલ. સૌથી નાના પુત્ર નિકુંજભાઈ આયુર્વેદિક દવાઓ બનાવરાવી ધ્યેય ફાર્માસ્યુટિકલ નામનું સ્વતંત્ર એકમ ચલાવે છે.
આમ પરિવારનાં સભ્યો અને અનેક સ્નેહી મિત્રોએ અમારી ગ્રંથ પ્રકાશન શ્રેણીને ખૂબ જ સહકાર આપ્યો છે. જે લેખકો અને સાક્ષરો, દાનવીરો અને હિતચિંતકોએ સતત બળ આપ્યું છે, તે સૌના ખૂબ જ આભારી છીએ. અંતમાં આપણી વિકાસકૂચ અવિરતપણે ઉન્નત અને ઉત્કર્ષ બની રહે, ગુજરાતની અસ્મિતાનો દીપક અખંડ રહો તેવી હાર્દિક શુભેચ્છાઓ.....
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org