________________
૪૬૬
જવાબ : “સાંઈઠ વર્ષ પહેલાં બેલગામમાં બ્રિટિશ આર્મી મહારાષ્ટ્રિયન અને કન્નડ, ગોવા અને પોર્ટુગીઝ સંસ્કૃતિનું મહત્ત્વનું સ્થળ ગણાતું ત્યારે સ્ટુડિયો-કમ-આર્ટ ક્લાસના સ્વરૂપે ‘ચિત્રમંદિર’ શરૂ થયેલ. જ્યાં કલાની પ્રવૃત્તિ થયા કરતી–આવનાર વ્યક્તિ અહીં માત્ર પેઇન્ટિંગ જ નહોતી શીખતી. અહીં સંગીત, ફિલ્મી સાહિત્ય, અધ્યાત્મ વગેરે સાથે ચર્ચા, વાર્તાલાપ દ્વારા પ્રરિચયમાં આવતો. કુદરતી આકર્ષણથી આકર્ષાઈને આવનાર પોતાની સાથે આત્મસંતોષની લાગણી અનુભવતો. જેમને ચિત્રકળા શીખ્યા બાબતનું સર્ટિ. જોઈતું હોય–તે સરકારી ચિત્રકળાની પરીક્ષાઓ આપી મેળવી લેતા. આજે પણ પહેલાંની જેમ જ ચિત્રમંદિર'માં મારા માટે ચિત્રકળા એ આદર્શ છે. આનંદની અનુભૂતિનો વિષય છે. આંખ સામેના દૃશ્યમાંથી કેટલું ચિત્ર માટે લેવું, ક્યાંથી શરૂ કરવું? ક્યાં અટકવું વગેરેની સમજ કલાકૃતિ સર્જતી હોય છે. રિધમ, કોન્ટ્રાસ્ટ, સ્પેસ ડિસ્ટ્રિબ્યુશન વગેરેનું નિરૂપણ સુંદર કૃતિ
સર્જે છે.”
પ્રતિભાવંત આચાર્ય અને કલાકાર એવા અજિત પટેલ
કલાકાર હોવું અને કલાના અધ્યાપક પણ હોવું એ સામાન્ય ઘટના નથી. આ બંનેનો અજિત પટેલમાં સુંદર સુમેળ રહ્યો છે.
ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા સ્થપાયેલ વલ્લભ વિદ્યાનગરની ફાઇન આર્ટ્સ કોલેજમાં પ્રથમ વિદ્યાર્થી તરીકે, પછી અધ્યાપક તરીકે અને કારકિર્દીનાં છેલ્લા સોળ વર્ષ એ કોલેજના આચાર્ય તરીકે કાર્યરત રહીને ગુજરાતને પોતાની પ્રતિભાનો પરિચય એમણે કરાવ્યો. ત્યારે એમનો કલાઅભ્યાસ ચાલતો હતો ત્યારે પેઇન્ટિંગના છેલ્લા વર્ષની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવેલ. ત્યારબાદ વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ-એમ.એસ. યુનિવર્સિટીમાં એમ.એ. ડિપાર્ટમેન્ટમાં બ્લોક મેકિંગ પ્રોસેસ અને મુંબઈ જઈ એડવાન્સ પ્રિન્ટિંગ ઇન સિલ્ક સ્ક્રીનનો અભ્યાસ કરી પાછા વલ્લભ વિદ્યાનગર આવી એ.એમ. (આર્ટ માસ્ટર)ની પરીક્ષામાં ડિસ્ટ્રિકશન સાથે ઉત્તીર્ણ થયા. આમ કલાના ક્ષેત્રની દરેક દિશામાં પારંગત થયા. ગુજરાતના (−અને એમના પોતાના પણ) સુંદર પ્રારબ્ધ સાથે એમને પોતાની માતૃસંસ્થામાં અધ્યાપક તરીકે જોડાવાની તક મળી અને ત્યાર પછીના જીવનને એમણે
Jain Education Intemational
સ્વપ્ન શિલ્પીઓ
એટલી સુંદર રીતે ઘડ્યું—જેના પરિણામ સ્વરૂપે ગુજરાતપ્રતિભાવંત કલા અધ્યાપક સાથે કલાકાર પણ મળ્યો. પોતાન પેઇન્ટીંગ્સના અગિયાર વન મેન શૉ કર્યા. બત્રીસ ગ્રુપ શૉ કર્યા દેશની પ્રતિષ્ઠિત લલિતકલા અકાદમીઓ સહિત દસ એવોર્ડ્સ મેળવ્યા. દેશ-વિદેશનું ભ્રમણ કરી ત્યાંની કલાસંસ્થાઓ, આર્ટ ગેલેરીઝ-કલાપ્રવાહોનો પરિચય મેળવ્યો અને તેનો લાભ કલાના વિદ્યાર્થીઓને આપતા રહ્યા.
જે વર્ષે તેઓ માતૃસંસ્થામાં આચાર્ય તરીકે નિમણૂ પામ્યા તે કલાગુરુ રવિશંકર રાવળનું જન્મશતાબ્દીનું વર્ષ હતું એટલે ગુરુ પ્રત્યેના ભક્તિભાવ સાથે સંસ્થામાં એમનું બસ્ટપોર્ટ્રેઇટ (શિલ્પ) મુકાવ્યું. આ કાર્યની શુભ અસર ગુજરાતર્ન કલાસંસ્થાઓમાં તેમ જ ગુજરાતના કલા ક્ષેત્રે થઈ હતી. સરકારે પણ આ ઘટનાની નોંધ લીધી હતી.
ઓઇલ કલર્સ દ્વારા પેઇન્ટિંગ્સ, સ્ક્રીન પ્રિન્ટિંગ દ્વારા સેટિગ્રાફિ અજિત પટેલે કલાના વિવિધ ક્ષેત્રે સર્જનો કર્યા છે. પેઇન્ટિંગ્સ, લિથો, લીનો ગ્રાફિક્સ, બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રોઇન્સ્પ તેમ એપ્લાઇડ આર્ટ સાથે સંકળાયેલ એડવર્ટાઇઝીંગ, પ્રિન્ટિંગ એન્ડ માર્કેટિંગના ક્ષેત્રે પણ તેઓ સફળતાપૂર્વક કાર્યરત રહ્યા છે. તેઓ સફળ એપ્લાઇડ આર્ટિસ્ટ પણ છે. એમનાં કેનવાસ તેમ જ પેપર પર કરેલ ચિત્રોમાં રસ્તો, વૃક્ષ, ડાળી, ફૂલ, સૂર્ય આકાશ, પર્વત વગેરે પ્રતીકાત્મક રીતે આવતાં રહ્યાં છે. રિયાલિસ્ટિક અને એબસ્ટ્રેક્ટ બંને શૈલીમાં એમનું પ્રભુત્વ રહ્યું છે. એમના સેરીગ્રાફિક પેઇન્ટીંગ્સમાં રેખાઓ અને ટેક્ષ્ચર દ્વારા સુંદર પરિણામ આવેલ જોવા મળેલ છે. જરૂર જણાય ત્યાં લાઇટ શેડ પણ કરતા રહ્યા છે-બાકી વધારે સિમ્પલીફાઇડ પેન્ટિંગ્સ વધારે છે. જ્યારે જ્યારે વન મેન શૉ કરે ત્યારે ત્યારે નવા અભિગમ સાથે પ્રગટ થતા રહ્યા છે. અલગ અલગ વિચાર સાથે પ્રદર્શિત થતા રહ્યા છે. સમકાલીન કલાપ્રવાહને ધ્યાનમાં રાખી પરંપરાગતતાને પણ જાળવતા રહ્યા છે. તેમના કોઈ પણ સર્જનમાં કલાનો ગહન અભ્યાસ પ્રતિબિંબિત થયા વિના રહેતો નથી.
દેશ તેમ જ પરદેશથી પ્રકાશિત થતાં કુલ આઠ પ્રતિષ્ઠિત પ્રકાશનોમાં એમની બાયોગ્રાફીની નોંધ લેવાઈ છે.
વર્ષ ૨૦૦૭માં આચાર્યપદેથી નિવૃત્ત થતાં હાલ વિદ્યાનગરની ડી.સી. પટેલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. આ સંસ્થામાં રહીને પણ કળા
For Private & Personal Use Only
www.jainelibrary.org