________________
૪૬૦
આપ્યું તો જૈન મંદિરોમાં પણ ભોજક ભાઈઓ દ્વારા ભારે મોટું પ્રોત્સાહન મળ્યું. સંગીતની દિવ્યજ્યોતિ પ્રગટાવનારા બૈજુ, આદિત્યરામ, ઓમકારનાથજી જેવા મહાન સંગીત જ્યોતિર્ધરો તો જરૂર જોવામાં આવે છે. જેમની કલાનાં તેજસ્વી કિરણો સદીઓનાં અંધારાં વચ્ચે આજ સુધી ગુજરાતની ધરતીને પ્રકાશમાન અને દેદીપ્યમાન બનાવે છે. સંગીતશાસ્ત્રમાં સૌ કોઈ રસ લેતા થાય તે આશયથી ગુજરાતમાં અનેક મનનીય ગ્રંથો રચાયા છે. ‘રસકૌમુદી’, ‘સંગીતાદિત્ય’, ‘સંગીતકલાધર', આ ગ્રંથો ધ્યાન ખેંચે તેવા છે.
ચિત્રકલા અને સંગીતકલાના કલાવિદોનો પરિચય કરાવે છે કલાસાધક શ્રી ચંદ્રકાન્ત કંસારા
કંસારા સાહેબ વિષે શ્રી અશોકભાઈ ખાંટ લખે છે તે મુજબ નિડયાદના વતની અને હાલ અમદાવાદની કલા સંસ્થા સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટના આચાર્ય ચંદ્રકાન્ત કંસારાને નાનપણથી ચિત્રો તરફ લગાવ! હાઇસ્કૂલનાં ચિત્રશિક્ષક શ્રી કાંતિભાઈ ત્રિવેદીએ તેમની કલાશક્તિની નોંધ લીધી તેમ જ પિતાની હૂંફભરી સંમતિથી અમદાવાદમાં આ સંસ્થામાં જ તેમણે અભ્યાસની શરૂઆત કરી. શ્રી રસિકલાલ પરીખ, કનુભાઈ શાહ જેવા પ્રખર અને સિદ્ધહસ્ત ચિત્રકારોનું અમૂલ્ય સાંનિધ્ય તેમને સાંપડ્યું છે. ચિત્ર તરફનો પ્રેમ વધુ ઉત્કંઠા સાથે બહાર આવ્યો.
સ્વપ્ન શિલ્પીઓ
કોઈ પણ ક્ષેત્રનો કલાકાર સતત સાતત્ય સાથે કામ કર્યા કરે એટલે એક અનોખી શૈલી આપોઆપ ઊપસતી જાય. ચિત્રના આકારો-રંગો એકબીજા સાથે સંવાદિતા જાળવતા રહે અને વિષયનારૂપ ચિત્રના અવયવો ગોઠવાતા જાય ત્યારે એક ઉત્તમ કૃતિનું નિર્માણ થાય છે તેની સાથે ચિત્રકારનો અહમ્ શૂન્ય ભાવ ભળે એટલે આપોઆપ એક અનોખી ઓળખ ઊભી થાય ઇલેસ્ટ્રેશન, પોટ્રેઇટ, કંપોઝિશન, પોસ્ટર, પ્રેસલે આઉટના અભ્યાસ કરાવતાં તેની સાથેનું અદમ્ય જોડાણ પણ શ્રી કંસારા સાહેબે અનુભવ્યું છે.
આજે કલા ક્ષેત્રે ધીરેધીરે પરિસ્થિતિ બદલાતી જાય છે. ચિત્રકાર ગુજરાતમાં પોતાનું સ્થાન પામતો જાય છે તેની સાથે આંતર રાષ્ટ્રીય પ્રવાહોમાં પણ તેને પ્રતિષ્ઠા મળે છે. તેનાં ચિત્રો યોગ્ય કિંમત મેળવતાં થયા છે. મૂળ વાત ચિત્ર કેવું છે?' તેની ઉપર આધાર રાખે છે. ચિત્ર અને ચિત્રકારની કદર પહેલાંના સમય કરતાં અનેક ગણી વધી છે તેવું તેઓ દૃઢપણે માને છે.
જીવંત પાત્રોનો એનોટોમીનો તલસ્પર્શી-અભ્યાસ સ્કેચિંગ કે લેન્ડસ્કેપ, પેન, પેન્સિલ, કલરનાં માધ્યમોની જાણકારી, કેનવાસ હોય કે પેપર તેમ જ હાલના કલાપ્રવાહોથી સતત માહિતગાર રહેવા તેઓ આવતી પેઢી પર ખાસ ભાર મૂકે છે.
આ ચિત્રકારનું જીવનવૃત જોતાં લાગે છે કે, ચિત્રની સાથે સાથે સંગીત ક્ષેત્રે પણ એટલું જ પદાર્પણ છે. ૧૯૭૬, ૭૮, ૮૩ અને ૨૦૦૬માં ગુજરાત રાજ્ય લલિતકલાના ઇનામો તેમણે પ્રાપ્ત કર્યાં છે. લંડન, મુંબઈ તેમજ અમદાવાદમાં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો પણ યોજાયાં છે. અમદાવાદ દુરદર્શન માટે દસેક પ્રખ્યાત ચિત્રકારો ઉપર દસ્તાવેજી ફિલ્મ કરવામાં પણ તેમનો ફાળો અભિનંદનીય છે. રસના, ક્રાઉન ટી.વી., ઇટાલિયન બેકરીની ટી.વી. એડ્. પણ તેઓએ તૈયાર કરી વળી દર્દ ન જાને કોઈ’, ‘પ્રેમસગાઈ’ તેમ જ ‘કાકા ચાલે વાંકા’ જેવી ટી.વી. શ્રેણીઓમાં સંગીતકાર તેમજ ગાયક તરીકે પણ તેઓએ પોતાની કલાનાં દર્શન કરાવ્યાં છે.
આ કલાસાધકના વ્યક્તિત્વસંબંધે વિશેષમાં શ્રી નવીનભાઈ સોની લખે છે તે મુજબ કચ્છ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા તાજેતરમાં રણોત્સવમાં યોજાયેલી ચિત્રસ્પર્ધાના નિર્ણાયક તરીકે આવેલા ચન્દ્રકાન્ત કંસારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org