________________
સ્વપ્ન શિલ્પીઓ
૪પ૯
રંગરેખાના સર્જકો અને સંગીલો
ચન્દ્રકાન્ત કંસારા
સાંસ્કૃતિક વારસામાં કળાનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે, કારણ કે કળા એ પ્રજાજીવનના સંસ્કારોનું પ્રતિબિંબ છે. માનવજીવનની સંવેદનાઓનો સરવાળો છે. ભાવવિશ્વની રૂપલીલા છે. ભૂતકાળની માનવસંવેદનાને વર્તમાનમાં સુંદર રીતે દર્શાવીને ભાવિની સંવેદનાઓને સમૃદ્ધ અને સંમાજિત કરવામાં કળાનો ફાળો અનન્ય છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, સાહિત્ય વગર માનવસંસ્કૃતિનું અસ્તિત્વ કલ્પવું અશક્ય છે. આ સાતત્યને લીધે માનવજીવનના ઇતિહાસમાં કળા અમર છે. સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર દેશ્ય કળાઓ છે અને સંગીત તથા સાહિત્ય શ્રાવ્ય કળાઓ છે, પરંતુ દશ્યકળાઓમાં ચિત્ર વિશાળ ફલકને આવરી શકે છે. એટલે એ બધું વૈવિધ્યપૂર્ણ લાગે છે અને કુશળ કલાકાર ચિત્રમાંના વિવિધ ભાવોને વાચા આપી શકે તો તે કવિતા પણ બની શકે છે. એટલે બધી લલિતકળાઓમાં ચિત્રનું સ્થાન વિશિષ્ટ છે. ગુફાવાસી માનવીએ દોરેલાં
દેવાલયોનાં પરિસરમાં, રાજમહેલોની અટારીઓમાં, નગરોનાં સંથાગારોમાં. પ્રાચીન હસ્તપ્રતોમાંવસ્ત્રોપર-ધાતુઓ કે સ્ફટિકો પર ચિત્રોનો ભવ્ય ઇતિહાસ પથરાયેલો જોવા મળે છે. વિશ્વની કોઈ સભ્યતા એવી નથી, જેણે ચિત્રમાં પોતાના સાંસ્કૃતિક વારસાને રંગરેખાબદ્ધ ન કર્યો હોય ! | ગુજરાતમાં વડોદરાના ત્રિંબકવાડાના અલભ્ય ચિત્રાંકનો, ભાવનગર પાસે સિહોરના દરબારગઢના કમાંગરી અને સલાટી શૈલીનાં નયનરમ્ય ચિત્રો, કચ્છ-ભૂજનાં મ્યુઝિયમોમાંનાં મનોહર ચિત્રો, અમદાવાદ સ્વામિનારાયણ મંદિરનાં સુંદર ચિત્રો, પાલિતાણા તળેટીમાં સમવસરણ જૈન મંદિરમાં શ્રી ચતુર્વિધ સંઘના ૧૦૮ ઐતિહાસિક ચિત્રાંકનો તથા આજ સુધીમાં સમર્થ કલાકારોએ પ્રયોજેલી વિવિધ ચિત્રશૈલીઓ એ સાંસ્કૃતિક વારસાના કીર્તિસ્થંભો છે. એ કલાભવનો અત્રે પરિચય કરાવે છે શ્રી ચન્દ્રકાન્તભાઈ કંસારા.
નાદબ્રહ્મના સ્વરસાધકો માટે એવું કહેવાય છે કે વિશ્વની ઉત્પત્તિ ઓમકારના નાદથી શરૂ થઈ. નાદ અથવા સ્વરને બ્રહ્મરૂપ કહેવાય છે. સરસ્વતી, નારદજી, ચિત્રસેન આ બધાં દેવલોકના સ્વરસાધક-સિદ્ધો છે. સામવેદથી સંગીત પ્રગટ્યું. સંગીતમાં કંઠ્ય અને વાદ્ય આ બે પ્રકારો મુખ્ય. રાગ-રાગિણીઓ દેવ-દેવીઓ છે. ભારતીય સંગીતની વ્યાખ્યા ગાયન, વાદન અને નર્તનથી જ સંપૂર્ણ બને છે. આધુનિક જગત સુધી આ વ્યાખ્યાને સૌ કોઈ સ્વીકારે છે અને અનુસરે છે. સંગીત એ જીવનનો આનંદ છે, પરમાત્માને પ્રસન્ન કરવાનું મૂલ્યવાન સાધન અને સાચો સાથી છે. સાચું ધન છે.
સ્વ. રમણલાલ વ. દેસાઈએ એક જગ્યાએ નોંધ્યું છે કે “સંગીત એ તપશ્ચર્યા, સંયમ, શિક્ષણ અને સમૃદ્ધિ છે. જેની તુલનામાં સોનું, ચાંદી, હીરા, માણેક કે મોતી મૂકી શકાય નહીં. એક સમયે સમર્થ ગુજરાતની વિશાળકાય હવેલીઓમાં શિષ્ટ સંગીતજ્ઞો હતા. તેમ આજે પણ જૂની પદ્ધતિથી ગાનારાં ઘણાં માલુમ પડે છે. સોમનાથ એ પશ્ચિમ ભારતનું સમર્થ મહાનતીર્થ હતું. – ત્યાં ઉત્તમ કોટિના સંગીતજ્ઞો હતા. પછી પંદરમી શતાબ્દીમાં નરસિંહ મહેતાએ કાવ્ય, સંગીત અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચી કેદાર, મલ્હાર, સારંગ, દેશિકા, વેલાવલી, માલકોશ વગેરે રોગો દ્વારા ભજનો લખ્યાં અને ગાયાં. ગુજરાતમાં શૈવ, વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયે આ સંગીતકળાને પોષણ
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org