SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૪૬૧ ગુજરાતના ખ્યાતનામ મહાવિદ્યાલય સી.એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં ૧૯૬૯ થી ૨૦૦૩ દરમ્યાન લેકચરર તરીકે કાર્ય કર્યા બાદ ૨-૩ થી ૨૦૦૮ દરમ્યાન આચાર્ય તરીકે સેવાઓ આપી છે. કચ્છમાં જેમનું મોસાળ છે એવા શ્રી કંસારાનો જન્મ ૧૩-૫-૧૯૫૦માં નડિયાદમાં થયો હતો. કલાનાં ત્રણેય ક્ષેત્રો પેઇન્ટિંગ, શિલ્પ અને એપ્લોઈડ આર્ટ્સનો ડિપ્લોમા મેળવી ૧૯૬૯માં સી.એન. કોલેજમાં પ્રાધ્યાપક બન્યા. તેઓએ સંગીત વિશારદની પરીક્ષામાં ગુજરાતના પ્રથમ વર્ગના પ્રથમ નંબર અને સંગીત અલંકારમાં ગોલ્ડ મેડલ સાથે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરેલ છે. રંગ-પીંછીના આ કલાકાર સંગીતક્ષેત્રે પણ આગળ પડતા રહ્યા છે. તેઓ ગાંધર્વ સંગીત મહાવિદ્યાલય દ્વારા સંગીત અલંકાર થયા છે એક કલાની સાધનામાં જ્યાં આખો જન્મારો ઓછો પડે એવી બન્ને કલામાં તેઓ પારંગત બન્યા છે. તેમણે પોતે સંગીતબદ્ધ કરેલી ત્રણ ઓડિયો કેસેટ બહાર પડી છે. “માતૃવંદના” (ભજન) “તુમ સાથ ચલો’ અને ‘દર્દ ન જાને કોઈ શીર્ષકવાળા આ આલ્બમો પ્રચલિત રહ્યા છે. તેમણે લલિતકલાના ચિત્રકારો વિશે દૂરદર્શન માટે દસ્તાવેજી ફિલ્મ બનાવેલ છે જેમાં વિન્સેટ વોન ગોગ, રવીન્દ્રનાથ ટાગોર અને ગુજરાતનાં જાણીતા કલાકારોનો સમાવેશ કર્યો છે. તેઓ સારા લેખક પણ છે. ભુજની મુલાકાત વખતે ચિત્રકારો સાથેના મિલનમાં શ્રી કંસારાએ જો કચ્છના કલાકારોને જિલ્લા બહાર પ્રદર્શન યોજવું હોય તો પૂરા સાથ સહકારની ખાત્રી આપી હતી. તેમણે કેટલાંક ઉપયોગી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી નિમિત્તે ૯૭ પ્રસંગ ચિત્રો તૈયાર કર્યા, જે-કુમાર', “અખંડ આનંદ', નવનીત સમર્પણ', ‘ભવન્સ જર્નલ' વગેરે સામયિકમાં ત્રીસ માસ દરમિયાન પ્રસારિત થયાં. | ગુજરાતના પ્રતિષ્ઠિત દૈનિક “સંદેશ'માં છેલ્લાં પાંચ વર્ષથી રવિવારની પૂર્તિમાં “સરગમ' કોલમમાં સંગીત તેમજ સંગીતકાર અને “આર્ટગેલેરી” કોલમમાં ચિત્રકલા તેમ જ ચિત્રકારોના જીવનપરિચયનું લેખનકાર્ય કરી રહ્યા છે. ધન્યવાદ. –સંપાદક ત્રણ મહામાનવોઃ માઇકલ એન્જલો, લિયોનાર્દો દ વિન્ચી અને રફાએલ ઇટાલીની પંદરમી સદી એવી છે કે જે સદી દરમિયાન અકલ્પનીય કલાશક્તિ ધરાવતા ત્રણ કલાકારો એ દેશ તરફથી જગતને મળ્યા. ત્યારબાદ એવી દેવીશક્તિ સાથેના કલાકાર આજસુધી બીજા નથી થયા. એક-માઇકલ એન્જલો, બેલિયોનાર્દો દ વિન્ચી અને ત્રણ–રફાએલ. ત્રણેય મહામાનવ સમાન આ કલાકારોએ પોતાના જીવન દરમિયાન જે સર્જન કર્યું તે જોઈને દરેકને એમ થાય છે કે એક જ જીવનમાં આટલું બધું અને આટલું અદ્ભુત કાર્ય કેવી રીતે થઈ શકે? માઇકલ એન્જલો ૮૮ વર્ષ જીવ્યા હતા, વિન્ચી ૬૭ વર્ષ અને રફાએલ ૩૭ વર્ષ! માઈકલ એન્જલો ચિત્રકાર. શિલ્પી સ્થપતિ. કવિ અને એન્જિનિયર હતા. તેમના આ પ્રત્યેક પાસામાં એમણે કરેલ સર્જનો આજેય અદ્વિતીય રહ્યાં છે. કોઈ એક માનવ શરીરમાં આટલી બધી શક્તિ-તાકાત હોય એ માની ન શકાય એવી બાબત રહી છે. | * માઇકલ એન્જલોનો જન્મ માર્ચ ૬, ૧૪૭૫ અને અવસાન ૧૮ ફેબ્રુઆરી ૧૫૬૪–ઇટાલી * લિયોનાર્દો દ વિન્ચીનો જન્મ ૧૫ એપ્રિલ, ૧૪૫ર અને અવસાન મે-૨, ૧૫૧૯-ઇટાલી. * રફાએલનો જન્મ ૬ એપ્રિલ ૧૪૮૩ અને અવસાન ૬ એપ્રિલ ૧૫૨૦ (જન્મ અને મૃત્યુની તારીખ સરખી જ)ઇટાલી. માઇકલ એન્જલોના જગવિખ્યાત શિલ્પ “પિએટા અને ‘ડેવિડ’ એમની ત્રીસ વર્ષની ઉંમર પહેલાં એમણે સર્યા હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy