________________
સ્વપ્ન શિલ્પીઓ
રહી છે—તો પણ માનવોનો સંસ્કૃતિ-જલરાશિનો સ્રોત અંદરથી વણથંભ્યો ચાલુ જ રહ્યો છે. અનંત આત્માઓની આ સિદ્ધભૂમિની સાંસ્કૃતિક વિશિષ્ટતા પવિત્ર ગંગાના પ્રવાહની માફક નિરંતર વહેતી જ રહી છે.
આજ જ્યારે આંતર-બાહ્ય ભયનો ઉત્પાત ઊભો થયો છે ત્યારે આ ગ્રંથમણિ દ્વારા અમારું લક્ષ્ય માનવની શાશ્વતી ચેતનાનાં પ્રકાશકિરણોને માનવચેતનાની સુગંધ કેન્દ્રસ્થાને રાખીને ઉજાગર કરવાનો અને પુનઃ વિશ્વાસ પ્રતિષ્ઠિત કરવાનો શુભાશય રહ્યો છે.
ગુણવૈભવી વારસો
માનવચેતના સમયાન્તરે જીવનની મઘમઘતી સૌરભ પ્રસરાવતી જ રહી છે. અત્રે પ્રતિભાસંપન્ન શ્રેષ્ઠીઓ અને દાતાઓ છે, જેમની મંગલ જીવનયાત્રાને વારંવાર પ્રણમીએ.
તેમના એક એક શબ્દોમાં કરણીની ભારોભાર ચેતનાનો ધબકાર સંભળાય છે. ચોતરફ ભયાનક દાવાનળ વચ્ચે પણ મનની શાંતિ અવિચળ રાખીને બેઠેલા દાર્શનિકો અને ચિંતકો પણ છે. જેમણે પોતાના તેજઝબકારથી સમાજ અને રાષ્ટ્રને એક નવો જ રાહ બતાવ્યો. પ્રેરણાની પરબો ઊભી કરનારા પ્રજ્ઞાપુરુષો પણ છે, જ્યાં નરી સાત્ત્વિકતો દેખાય છે. જેમણે માનવીગિરમાનો સંપૂર્ણ સ્વીકાર કરીને વિવિધ દિશાઓમાં પ્રકાશ પાથર્યો છે. અત્રે સમાજસેવકો અને કર્મનિષ્ઠો પણ છે. જેઓએ તપધર્મ અને ભાવધર્મ દ્વારા નર્યું પારદર્શક જીવનમાંડણીનું સુપેરે દર્શન કરાવ્યું છે. ધર્મનિષ્ઠો અને મૂલ્યનિષ્ઠો પણ અપરંપાર છે, જેમના શ્રદ્ધા, ભક્તિ, પ્રીતિ અને સમર્પણ જેવા વિશિષ્ટ ગુણો આદરપાત્ર બન્યા છે. અત્રે કોડિયાં અને દીપસ્તંભો પણ છે, જેઓએ માનવ–માનવ વચ્ચે આત્મિક ચેતનાની જીવનવીણા સતત ગુંજતી રાખી છે. અત્રે આત્માનાં રહસ્યોને સમજનારા પ્રજ્ઞાવંતોની સાધનાસિદ્ધિએ જગતનાં લોકોને પ્રેરણાનું પુષ્કળ ભાથું પૂરું પાડ્યું છે તેવા સૌ જે માનવજીવનના સાચા પથદર્શકો રહ્યાં છે.
યશગાથાના દીવાદાંડીરૂપ પરિચાયકો
અત્રે ચિરાગ છે, ફાનસ છે, તો નાના પણ તેજસ્વી ટમટમિયાં પણ છે. જેમના બિલોરી કાચ જેવા ઊજળા જીવનમાંથી આશા-શ્રદ્ધાનાં સંતરણો મળી રહે છે. સ્વયં પુરુષાર્થની પગદંડી ઉપર ચાલીને શૂન્યમાંથી વિરાટ સર્જન કરી વિક્રમ સ્થાપનારા એવા ભલાભોળા પણ ઘણા છે, જ્યાં મનુષ્યત્વનું માધુર્ય નજરે પડે છે. પુણ્યોદય હોય તો જ એવા શુભનો સથવારો મળી જાય. જેમની આંગળી પકડીને ચાલવાનું મન થાય તેવા ગૌરવશાળી પથદીવડાઓ પણ ઘણા છે.
આ ધર્મભૂમિમાં સરસ્વતી, શ્રમ અને શૌર્ય, વ્યાપાર અને વીરતાનું આબાદ સર્જન કરનારા, સંસ્કૃતિ, સંપત્તિ, કળા, પ્રેમ, ધર્મ અને કર્તવ્યનો અદ્ભુત સમન્વય કરનારા, જીવનમાં અનન્ય કાર્યો દ્વારા ઇતિહાસનું સર્જન કરાવનારા, જીવનભર શીલધર્મની સુગંધ પ્રસરાવનારા, પ્રજાની ધર્મભાવનાને હરઘડીએ સજાગ રાખનારા આ સૌ આ ધરાને યશકલગી અપાવવામાં ભારોભાર નિમિત્ત બન્યા છે. સંસ્કારવારસાની જ્યોતને વિશ્વ પ્રાંગણમાં મહેકતી રાખવામાં અનેક પુણ્યવંતોના પ્રબળ પુરુષાર્થે અત્રે તેજકિરણાવલિનું સુરેખ ચિત્ર આલેખવાનો પ્રયત્ન થયો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
૩૫
www.jainelibrary.org