________________
૩૪
સ્વપ્ન શિલ્પીઓ
પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ વચ્ચેનાં કરારનામામાં કે દસ્તાવેજોમાં જામીનગીરી કરવામાં અને યુદ્ધ સમયે યોદ્ધાઓનું ખમીર ટકાવવામાં આ બારોટોએ બજાવેલી અનન્ય સેવાની ઇતિહાસે પણ પ્રસંગોપાત નોંધ લીધી છે. મારા પરમસ્નેહી શ્રી કે.સી. બારોટ પાસેથી પણ આ સમાજની વિપુલ સાહિત્યસામગ્રી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. જ્યારે ઇતિહાસ નહોતા લખાતા ત્યારે પણ આ બારોટોએ જ કાવ્યો અને સાહિત્ય દ્વારા ઇતિહાસ અને સંસ્કૃતિનું જીવનભર જતન કર્યું છે. ચંદબારોટના રાસાઓની અંગ્રેજ ઇતિહાસકારોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે. અમારા વિશાળ પરિવારમાંથી ભાઈ જિજ્ઞેશ ધનસુખ દેવલુકે સિહોરથી હમણાં જ “બ્રહ્મભટ્ટ પ્રકાશ' નામનું સામાયિક શરૂ કર્યું છે. જેમાં બ્રહ્મભટ્ટ બારોટોના ભાતીગળ ઈતિહાસને તાજો કરતાં રહ્યાં છે.
શ્રી અને સરસ્વતીનો વિરલ વિનિયોગ ' કહેવાય છે કે સરસ્વતી અને લક્ષ્મી એક આસને નથી બિરાજતાં. લક્ષ્મીનો ઉપાસક સોનાની અંબાડી પર બેઠો હોય અને સરસ્વતીનો ઉપાસક ભાંગીતૂટી ઝૂંપડીમાં બેઠો બેઠો કવિતા કરતો હોય. પેલો વસ્તુપાલ-તેજપાલની જેમ પોતાના કીર્તિમાનોને આરસમાં કંડારતો
હોય અને આ નરસિંહ મહેતા જેમ હાથમાં કરતાલ ઝાલીને કૃષ્ણભક્તિમાં લીન હોય. પેલો વાતવાતમાં નાણાંનો ધોધ વહાવતો હોય અને આને વાતે વાતે “મારે એક તારો આધાર એક શામળા ગિરધારી'ની આરત કરવાની હોય છે.
એવી જ બીજી લોકમાન્યતા વિદ્યા અંગેની છે. જેમ કવિ, તેમ વિદ્યાધર-પંડિત પણ સુદામાની જેમ અકિંચન જ હોય. એના પર સરસ્વતીની કૃપા હોય એટલી લક્ષ્મીની કૃપા ન હોય એટલે જ વેપારને શ્રેષ્ઠ અને નોકરીને કનિષ્ઠ માનવામાં આવે છે.
પણ હવે એવું નથી, સમય બદલાયો છે. સમયના વહેવા સાથે આ માન્યતામાં પણ બદલાવ આવેલો જોઈ શકાય છે. ડોક્ટરની વિદ્યા કે વકીલની વિદ્યા લક્ષ્મીને નમાવી શકે છે. આજે લોકપ્રિય નવલકથા લખનારો લેખક લાખો રૂપિયા કમાઈ શકે છે. એકાદ નૃત્યકાર, સંગીતકાર, ગાયક કે લોકગાયક લાખોની કમાણી કરી શકે છે. ત્યારે થાય છે કે ચોવીસ કલાકની લમણાઝીંક પછી કમાતા ઉદ્યોગપતિ કરતાં એક ચિત્રકારની, નૃત્યકારની, ગાયક-લેખક-વક્તા કે અદાકારની કમાણીનું મ
બહુમુખી પ્રતિભાઓનો કીર્તિકળશ
આર્યાવર્તના પ્રાચીન પ્રાજ્ઞોનું એવું એક સ્પષ્ટ વિધાન છે કે અત્રે માનવને માટે મૂલ્યનિષ્ઠ, સંસ્કૃતિનિષ્ઠ અને આચારનિષ્ઠ જીવનને જ શ્રેષ્ઠ અને સર્વોપરી ગણાવ્યું છે. અનાદિકાળથી ભલે માનવોમાં પણ પાંડવ-કૌરવ, રામરાવણ, કૃષ્ણ અને કંસ જેવા
સામસામેના ધુવો રહ્યા જ કર્યા પણ શીલભદ્ર સંસ્કૃતિની શાલીન પરંપરામાં તમને ક્યારેય આદર કે આવકાર મળ્યો નથી, પ્રભાવક જ્યોતિનો જ હંમેશાં સન્માનપૂર્વક આદર સ્વીકારાયો છે. કાળબળના ધસમસતા પ્રવાહમાં ઘણીવાર સંસ્કૃતિના ત્રિભેટે સત્ત્વશીલો નહીં ટકે કે શું? શઠતાની બદબૂ વચ્ચે માનવીની બધી સારપ ખલાસ થઈ જશે કે શું? અવારનવાર ઊભી થતી અરાજકતા-અશાંતિ સમાજજીવનને અસ્થિર કરી દેશે કે શું? સવાર તો પડી પણ પછી આજની સાંજ પડશે કે કેમ તેવી વિભિષિકા સતતપણે ડારતી
કરી
હતી. જો
કે
,
હા, ST
-
કરે
છે
કે હી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org