________________
૪૪૨
સ્વપ્ન શિલ્પીઓ
: Tel:
The
ભારતનાં ગામડાંઓમાં ચીંથરે વીંયાં રતન જેવાં અનેક કલાકારો પડ્યા છે, જે અનેક કલાઓમાં કૌશલ્ય ધરાવે છે. લોકતૃત્ય એમાંનો એક પ્રકાર
છે. શ્રી જોરાવરસિંહ જાદવ સંચાલિત “ગુજરાત લોકકલા ફાઉન્ડેશન' આવા કલાકારોને ખૂણે-ખાંચરેથી શોધી રંગમંચ પર લાવવાનું અને કલાકારોને પ્રોત્સાહિત કરવાનું પ્રશંસનીય
કાર્ય કરે છે. એ વાતની પ્રતીતિ ઉપરની તસ્વીરમાં કલાકારોની વિવિધ મુદ્રાઓ
જોતાં થાય છે.
પાંચ વિભાગોમાં અને ચોપ્પન પ્રકરણોમાં વહેંચાયેલા આ ગૌરવશાળી ગ્રંથના અનેક લેખો કુમાર, નવચેતન, અખંડાનંદ, ગુજરાત દીપોત્સવી અંક વગેરે પ્રતિષ્ઠિત સામયિકો પ્રકાશિત થયેલાં છે.
જોરાવરસિંહની સિદ્ધહસ્ત કલમે કંડારાયેલ એ ગ્રંથમાં ગુજરાતનું લોકજીવન મૂર્તિમંત થાય છે. એમની પ્રવાહપૂર્ણ અને પ્રભાવશાળી શેલી વાચકને જકડી રાખવાનું સામર્થ્ય ધરાવે છે. “લોકસાગર'ને જોરાવરસિંહે પુસ્તકની ગાગરમાં ભર્યો છે. અલબત્ત આ સાગર “મીઠાપાણીનો’ છે, ખારાશમુક્ત. ગુજરાતના મૂર્ધન્ય સમીક્ષક અનંતરાય રાવળે પ્રસ્તાવના–લેખનમાં જાદવની પીઠ હોંશે-હોંશે થાબડી છે.
એમનાં પુસ્તકો ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી વગેરેના લોકસાહિત્યલક્ષી અભ્યાસક્રમોમાં સ્થાન પામ્યાં છે તો બીજી તરફ શાળા કક્ષાએ ધો. ૬ થી ૯ અને ૧૦નાં ગુજરાતી પાઠ્ય પુસ્તકોમાં ‘અમરો ઢોલી', “ઘોડીની સ્વામીભક્તિ', “આપણી પાઘડીઓ’, ‘દુશ્મનની દિલાવરી” જેવી રચનાઓ સ્થાન પામી છે.
' લોકકલા ફાઉન્ડેશન' અને લોકકલા કેન્દ્ર અમદાવાદના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વિશિષ્ટ કાર્યક્રમો દ્વારા કર્ણાવતી નગરીને “આશાવલ'કાલીન લોકસંસ્કૃતિનાં નજરાણાં અર્પનાર શ્રી જોરાવરસિંહ વિશ્વ ગુજરાતી સમાજના માનાર્ડ સભ્ય તરીકે સમ્માનિત છે. વિશ્વકોશ નિર્માણ સમિતિ, ભારતીય સાહિત્ય સંસદ, ગૂર્જર ગ્રંથભવન ટ્રસ્ટ, ઓડિશન કમિટિ આકાશવાણી, એડવાઈઝરી અને પ્રિવ્યુ કમિટિ દૂરદર્શન, ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી, એથિક્સ કમિટિ, ડૉ. બાવીશી ફર્ટિલિટી ઇનસ્ટિટ્યૂટ અમદાવાદ, સાર્વજનિક કેળવણી મંડળ વગેરે વિવિધ સંસ્થાઓમાં ક્યાંક સભ્યપદે તો ક્યાંક ટ્રસ્ટીપદે રહીને પોતાની સેવાઓ તેઓ અર્પી રહ્યા છે. આકાશવાણી અને દૂરદર્શન એમને વારંવાર યાદ કરે છે/સાદ કરે છે. ગુજરાત સમાચાર' અને “ગુજરાત ટાઇમ્સ', અમેરિકાના તેઓ માનવંતા કટારલેખક છે. ૫000 જેટલા લોકકલાકારોને સાંકળીને અઢી દાયકામાં ૧000થી પણ વધુ કાર્યક્રમો ભારત ઉપરાંત દુબઈ–મસ્કત સહિત વિવિધ દેશોમાં યોજીને એમણે વૈશ્વિક આદર પરિપ્રાપ્ત કર્યો છે. લોકસાહિત્યમાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org