SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० સ્વપ્ન શિલ્પીઓ ઉપક્રમ રાખ્યો હતો. ઘણા પ્રસંગો આલેખવાની ઇચ્છા હતી પણ સંજોગોવશાતુ એ બધી વિસ્મય પમાડતી વાતો રજૂ નથી કરી શકતા. સમજુનાથ અમારી સાથે દિલ્હી, બેંગલોર, મુંબઈ, પૂના, મદ્રાસ, કચ્છ અને કલકત્તા વગેરે અનેક નગરોમાં ફર્યા. સુરેન્દ્ર પટેલને વાત કરી એમને ઘણા વરસ વિશાલા હોટેલમાં કાર્યક્રમ કર્યા. એમને પરદેશના પ્રોગ્રામ માટે પણ નિમંત્રણ મળે છે, પણ પ્લેનમાં સાપ, સસલાં, વીંછી લઈ જવાની મનાઈ છે એટલે એમના ભવિષ્ય પર તાળું મારેલું છે. કાઠિયાવાડનાં ગામડેગામડે ચીંથરે વીંટ્યાં આવા કલારત્નો પડેલાં છે. સમજુનાથ મદારી, દલસુખ રાવળ, સિદીકભાઈ જત, સંતોકબા દુધાત, સોનીબહેન, તેજીબહેન, કેશરબહેન, બાબુભાઈ પરમાર જેવાં કલારત્નોને આંગળી પકડીને કલાજગતના ચોકમાં મૂકવામાં આવે તો શું કરી બતાવે છે એનાં તો આ માત્ર થોડા ઉદાહરણો છે. આવા કલાકારોની આંગળી ઝાલીને ઓળખ આપનારા કોણ છે? ઘણા કલાકારોનો અહીં પરિચય આપવા જેવો છે છતાં લેખમાળા વિસ્તૃત થઈ જવાથી આ લેખનું સમાપન કરી તેમનાં નામો દર્શાવું છું. સૌરાષ્ટ્રના છેલ્લા સુરંદાવાદક સિદ્દિકભાઈ જ. ગુજરાતની રંગભૂમિના કલાકાર પ્રાણસુખ નાયક. એશિયાડ રાસની સફળતાના યશભાગી નૃત્યકાર મધુ પટેલ. લોકનૃત્યનું બીજું નામ પ્રતિભા પંડિત. નિર્જીવ પૂતળીઓમાં પ્રાણ પ્રગટાવતા મહિપત કવિ. અઢાર ઉઘાડી તલવારો સાથે નૃત્ય કરતા દલસુખ રાવળ. અણબોટ્યા વાર્તાકાર દેવજી બારોટ. . શ્રી જોરાવરભાઈએ લોકસાહિત્ય, લોકકલા, લોકસંસ્કૃતિ ક્ષેત્રે ઘણી કામગીરી કરી છે. આથમતી પેઢીના કલાકારોને સમાજ સામે લાવવા તેમણે ભારતનાં ઘણાં શહેરોમાં કાર્યક્રમો યોજ્યા છે. વિદેશ લઈ જવાના પણ પ્રયત્નો કર્યા છે એટલે લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિને જાળવી રાખવા અથાહ પ્રયત્નો કર્યા છે અને આ માટે તેમણે અમદાવાદમાં ગુજરાત લોક કલા ફાઉન્ડેશન' નામની સંસ્થા પણ ઊભી કરી છે, જેના ૨000 જેટલા સભ્ય છે. ઢોલક- કલાકાર હાજી રમકડું હાજી રમકડાનો જન્મ મુસ્લિમ સમાજની મીર જ્ઞાતિમાં તા. ૨૭ (મહિનો યાદ નથી) ૧૯૫૧માં આદ્રી મુકામે થયો. તેના પિતાનું નામ કાસમ જમાલ અને માતાનું નામ નૂરબાઈ. કાસમભાઈ પણ સારા તબલાવાદક હતા. આ કળા હાજીભાઈને વારસાગત મળી છે. તેઓ નાની ઉંમરથી સારું ઢોલક વગાડતા. આજથી ૩૦ | ૪૦ વર્ષ પહેલાં તો ડાયરાના વાયરા હતા. છેક વેરાવળથી મુંબઈ સુધી ડાયરાના ટિકિટ શો થતા. પણ તેમના મુખ્ય કલાકાર હતા પ્રાણલાલ વ્યાસ, વેલજીભાઈ ગજ્જર અને અન્યો. વાદક કલાકાર નાનજીભાઈ મિસ્ત્રી (વાયોલિન), હાજી રમકડું અને ટપુ દેગામા. પણ નાનજી મિસ્ત્રીનું વાયોલિન, હાજી રમકડાનું ઢોલક અને ટપુ દેગામાનાં મંજીરાં આમ ત્રિવેણી સંગમ થાય અને તેમાં પ્રાણલાલ વ્યાસનો કંઠ ભળે એટલે ડાયરામાં વાવાઝોડું થાય, હાકલા, પડકારા અને તાળીઓના ગડગડાટ થાય. વાતાવરણ બંધાઈ જાય. હાજી રમકડાએ ભારતનાં અનેક રાજ્યોમાં અને શહેરોમાં કાર્યક્રમ આપ્યા જ છે, ઉપરાંત વિદેશની અનેકવાર જુદા જુદા કલાકારો સાથે યાત્રા કરી છે. | ડાયરામાં હાજી રમકડાનું ઢોલક નખરાં સાથે વાગતું હોય ત્યારે કલાકાર કરતાં ઢોલક મુખ્ય બની જાય. ડાયરો ડોલે. આવી છે તેના આંગળાની કરામત! આ છે કુદરતી દેણગી! હાજી રમકડાને આકાશવાણીના રાજકોટ કેન્દ્ર તબલા અને ઢોલક વાદન માટે બી. હાઇ.નો ગ્રેડ આપ્યો છે. ટી.વી.ની અનેક ચેનલોમાં તેના પ્રોગ્રામ થઈ ચૂક્યા છે. આમ તેણે બહોળી લોકચાહના પ્રાપ્ત કરી છે. હાજી રમકડાને ડાયરામાં સારી રકમ એકત્ર કરી અને તે રકમ પૂ. મોરારિબાપુના હાથે અર્પણ કરી સન્માન કર્યું અને બાપુએ કહ્યું, “હાજી રમકડું જ નથી, હિન્દુ, મુસ્લિમ કોમને કલાથી જોડતો સંવાદિતાનો સૂર પણ છે.” હાજી રમકડું એટલે ઢોલકનો બેતાજ બાદશાહ. તેમને તો અનેક ગામડાં, શહેર, સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી સમ્માન પત્રો પણ એનાયત થયાં છે. સંપર્ક : ઢાલ રોડ, જૂનાગઢ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy